કુદરતી આપત્તિના આ સમયમાં અધિકારી - પદાધિકારીઓએ પરસ્પરના સંકલન સાથે કરેલ કાર્ય સરાહનીય
જિલ્લામાં થયેલ નૂકશાનીની વિગતો મેળવી અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવાયું
હવામાન વિભાગ દ્વારા આવનારા બે દિવસ માટે જાહેર કરવામાં આવેલા ‘રેડ’ અને ‘યલો’ એલર્ટના પગલે વહિવટી તંત્રને ‘સ્ટેન્ડ ટુ મોડ’માં
WatchGujarat. નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ભારે વરસાદથી અસરગ્રસ્ત એવા જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જ્યાં અસરગ્રસ્તોની સાથે સંવાદ કરી કુદરતી આપત્તિના સમયમાં સરકાર તેમની પડખે છે તેવી હૈયા ધારણા આપી હતી. બાદમાં કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના અધિકારીઓ સાથે એક બેઠક યોજીને પ્રશાસન દ્વારા હાથ ધરાયેલ કામગીરીની સર્વગ્રાહી સમિક્ષા કરી હતી. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રેસ્ક્યુની કામગીરી સારી રીતે થઈ છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. અને નુકસાન અંગે સર્વે બાદ નિર્ણય કરાશે.
મુખ્યમંત્રી પટેલનાં જણાવ્યા મુજબ, કુદરતી આપત્તિના આ સમયમાં અધિકારી - પદાધિકારીઓએ પરસ્પરના સંકલન સાથે કરેલ કાર્ય સરાહનીય છે. કપરા સમયમાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ૩૩૦૬ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતુ, જે પૈકી ૨૭૩૩ જેટલા લોકો પોતાના ઘરે પરત ગયા છે. આ ઉપરાંત ૫૧૭ લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે. વરસાદના જે પાણી ભરાઇ ગયા હતા તે ઓસરી ગયા છે. જિલ્લામાં ૮૨ જેટલા ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી, તેમાંથી હવે માત્ર ૩ ગામો જ પૂર્વવત થવાના બાકી છે. રાજકોટમાં એકાદ દિવસમાં જનજીવન પૂર્વવત થઈ જાય તે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, જિલ્લામાં થયેલ નૂકશાનીની વિગતો મેળવી અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવાયું છે. તેમજ સર્વે થતાની સાથે જ અસરગ્રસ્તોને સહાય અંગે નિર્ણય કરવામાં આવનાર છે. એટલું જ નહીં હવામાન વિભાગ દ્વારા આવનારા બે દિવસ માટે જાહેર કરવામાં આવેલા ‘રેડ’ અને ‘યલો’ એલર્ટના પગલે વહિવટી તંત્રને ‘સ્ટેન્ડ ટુ મોડ’માં રહી પરિસ્થિતિ ઉપર નજર રાખવા તાકીદ પણ કરવામાં આવી છે. આ તકે તેમણે જિલ્લાના સાંસદ તેમજ ધારાસભ્યો રાજકોટ તેમજ પોરબંદર વિસ્તારમાં પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી. અને વરસાદ બાદ રોડ-રસ્તા, ખેતર, ઘરો અને જાનમાલની થયેલ નુકસાનીનો સર્વે વહેલી તકે પૂર્ણ કરી અસરગ્રસ્ત લોકોને જરૂરી સુવિધા પુરી પાડવા સૂચન કર્યું હતું.
કુદરતી આપત્તિના આ સમયમાં અધિકારી - પદાધિકારીઓએ પરસ્પરના સંકલન સાથે કરેલ કાર્ય સરાહનીય
જિલ્લામાં થયેલ નૂકશાનીની વિગતો મેળવી અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવાયું
હવામાન વિભાગ દ્વારા આવનારા બે દિવસ માટે જાહેર કરવામાં આવેલા ‘રેડ’ અને ‘યલો’ એલર્ટના પગલે વહિવટી તંત્રને ‘સ્ટેન્ડ ટુ મોડ’માં
WatchGujarat. નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ભારે વરસાદથી અસરગ્રસ્ત એવા જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જ્યાં અસરગ્રસ્તોની સાથે સંવાદ કરી કુદરતી આપત્તિના સમયમાં સરકાર તેમની પડખે છે તેવી હૈયા ધારણા આપી હતી. બાદમાં કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના અધિકારીઓ સાથે એક બેઠક યોજીને પ્રશાસન દ્વારા હાથ ધરાયેલ કામગીરીની સર્વગ્રાહી સમિક્ષા કરી હતી. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રેસ્ક્યુની કામગીરી સારી રીતે થઈ છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. અને નુકસાન અંગે સર્વે બાદ નિર્ણય કરાશે.
મુખ્યમંત્રી પટેલનાં જણાવ્યા મુજબ, કુદરતી આપત્તિના આ સમયમાં અધિકારી - પદાધિકારીઓએ પરસ્પરના સંકલન સાથે કરેલ કાર્ય સરાહનીય છે. કપરા સમયમાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ૩૩૦૬ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતુ, જે પૈકી ૨૭૩૩ જેટલા લોકો પોતાના ઘરે પરત ગયા છે. આ ઉપરાંત ૫૧૭ લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે. વરસાદના જે પાણી ભરાઇ ગયા હતા તે ઓસરી ગયા છે. જિલ્લામાં ૮૨ જેટલા ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી, તેમાંથી હવે માત્ર ૩ ગામો જ પૂર્વવત થવાના બાકી છે. રાજકોટમાં એકાદ દિવસમાં જનજીવન પૂર્વવત થઈ જાય તે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, જિલ્લામાં થયેલ નૂકશાનીની વિગતો મેળવી અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવાયું છે. તેમજ સર્વે થતાની સાથે જ અસરગ્રસ્તોને સહાય અંગે નિર્ણય કરવામાં આવનાર છે. એટલું જ નહીં હવામાન વિભાગ દ્વારા આવનારા બે દિવસ માટે જાહેર કરવામાં આવેલા ‘રેડ’ અને ‘યલો’ એલર્ટના પગલે વહિવટી તંત્રને ‘સ્ટેન્ડ ટુ મોડ’માં રહી પરિસ્થિતિ ઉપર નજર રાખવા તાકીદ પણ કરવામાં આવી છે. આ તકે તેમણે જિલ્લાના સાંસદ તેમજ ધારાસભ્યો રાજકોટ તેમજ પોરબંદર વિસ્તારમાં પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી. અને વરસાદ બાદ રોડ-રસ્તા, ખેતર, ઘરો અને જાનમાલની થયેલ નુકસાનીનો સર્વે વહેલી તકે પૂર્ણ કરી અસરગ્રસ્ત લોકોને જરૂરી સુવિધા પુરી પાડવા સૂચન કર્યું હતું.