શપથ લેતા પહેલા ભુપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા જામનગર અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા તેમન રાહતકામગીરી શરૂ કરી દેવા માટે સુચન કર્યું હતું
એરફોર્સ, એનડીઆરએફ અને એસડીઆરએફની વિવિધ ટુકડીઓ રાહત કાર્યમાં જોડાઇ
અસરગ્રસ્તોનું અગાઉ કરતા જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે – ભુપેન્દ્ર પટેલ, સીએમ
Watchgujarat. રાજ્યના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજરોજ વરસાદની અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. તેમણે સ્થિતીનો તાગ મેળવીને અસરગ્રસ્ત ગ્રામજનોને સરકાર તરફથી પુરતી મદદ કરવાની ખાતરી આપી હતી. અને સૌનું જીવન બહેતર બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે તેવું જણાવ્યું હતું.
ગતરોજ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. શપથ લેતા પહેલા ભુપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા જામનગર અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા તેમન રાહતકામગીરી શરૂ કરી દેવા માટે સુચન આપ્યું હતું. જેને પગલે એરફોર્સ, એનડીઆરએફ અને એસડીઆરએફની વિવિધ ટુકડીઓ રાહત કાર્યમાં જોડાઇ હતી.
આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગરના ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં જઇને તેમણે રૂબરૂ અસરગ્રસ્ત લોકો સાથે સંવાદ સાધ્યો હતો. અને તેમની વેદના જાણી હતી. પહેલી વખત નવા મુખ્યમંત્રીને જોઇને સ્થાનિકોએ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. મુખ્યમંત્રીની સરળતા અને સહજતા જોઇને સૌ ગ્રામજનો આશ્ચર્યમાં મુકાયા હતા.
મુખઅયમંત્રીએ અસરગ્રસ્તો સાથે સંવાદ સાધ્યા બાદ તેમને મળવા પાત્ર તમામ સહાયની ખાતરી આપી હતી. એટલુ જ નહિ કોઇ પણ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય તેમ પણ જણાવ્યું હતું. તથા તેમણે ઉમેર્યું હતું કે, અસરગ્રસ્તોનું અગાઉ કરતા જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.
મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન જામનગર ના સાંસદ પૂનમ બહેન, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર તેમજ અન્ય પદાધિકારીઓ, મુખ્ય સચિવ પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી, કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા.
શપથ લેતા પહેલા ભુપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા જામનગર અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા તેમન રાહતકામગીરી શરૂ કરી દેવા માટે સુચન કર્યું હતું
એરફોર્સ, એનડીઆરએફ અને એસડીઆરએફની વિવિધ ટુકડીઓ રાહત કાર્યમાં જોડાઇ
અસરગ્રસ્તોનું અગાઉ કરતા જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે – ભુપેન્દ્ર પટેલ, સીએમ
Watchgujarat. રાજ્યના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજરોજ વરસાદની અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. તેમણે સ્થિતીનો તાગ મેળવીને અસરગ્રસ્ત ગ્રામજનોને સરકાર તરફથી પુરતી મદદ કરવાની ખાતરી આપી હતી. અને સૌનું જીવન બહેતર બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે તેવું જણાવ્યું હતું.
ગતરોજ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. શપથ લેતા પહેલા ભુપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા જામનગર અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા તેમન રાહતકામગીરી શરૂ કરી દેવા માટે સુચન આપ્યું હતું. જેને પગલે એરફોર્સ, એનડીઆરએફ અને એસડીઆરએફની વિવિધ ટુકડીઓ રાહત કાર્યમાં જોડાઇ હતી.
આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગરના ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં જઇને તેમણે રૂબરૂ અસરગ્રસ્ત લોકો સાથે સંવાદ સાધ્યો હતો. અને તેમની વેદના જાણી હતી. પહેલી વખત નવા મુખ્યમંત્રીને જોઇને સ્થાનિકોએ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. મુખ્યમંત્રીની સરળતા અને સહજતા જોઇને સૌ ગ્રામજનો આશ્ચર્યમાં મુકાયા હતા.
મુખઅયમંત્રીએ અસરગ્રસ્તો સાથે સંવાદ સાધ્યા બાદ તેમને મળવા પાત્ર તમામ સહાયની ખાતરી આપી હતી. એટલુ જ નહિ કોઇ પણ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય તેમ પણ જણાવ્યું હતું. તથા તેમણે ઉમેર્યું હતું કે, અસરગ્રસ્તોનું અગાઉ કરતા જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.
મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન જામનગર ના સાંસદ પૂનમ બહેન, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર તેમજ અન્ય પદાધિકારીઓ, મુખ્ય સચિવ પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી, કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા.