પહેલા કોકિલિયર ઈમ્પ્લાન્ટ પદ્ધતિનાં ઓપરેશન માર્ચમાં શરૂ કરવામાં આવ્યા હતા
ડો. નીરજ સુરી દ્વારા અત્યાર સુધી આ પદ્ધતિની એક હજાર કરતાં વધારે લોકોની સર્જરી પણ કરવામાં આવી ચુકી હોવાનું જણાવ્યું
રાજ્યમાં દર વર્ષે 2500 થી 3000 બાળકો જન્મજાત મૂંગા અને બહેરા જન્મે છે
WatchGujarat. સિવિલ હોસ્પિટલ ખાતે કોકિલયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ખાસ જન્મથી મૂંગા બહેરા બાળકોનું ઓપરેશન કરી તેઓને સાંભળતા અને બોલતા કરવામાં આવે છે. આ પહેલા સિવિલ હોસ્પિટલનાં પીડિયું વિભાગ ખાતે ઓપરેશન કરવામાં આવતા હતા. પરંતુ કોવિડને કારણે તેને બંધ કરાયા હતા. બાદમાં હવે ફરીથી આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ખાસ ગાંધીનગરના એસોસિએટ પ્રોફેસર ડો. નીરજ સુરી કે જે રાજ્યનાં કોકિલયર ઈમ્પ્લાન્ટ પ્રોગ્રામના નોડલ ઓફિસર તરીકે સેવા આપે છે, તેઓ રાજકોટ આવ્યા હતા અને તેમની હાજરીમાં ફરી એકવાર કોકિલિયર ઈમ્પ્લાન્ટ પદ્ધતિની સારવાર શરૂ કરવામાં આવતા જન્મથી બહેરા-મૂંગા બાળકોને મોટો લાભ થશે.
આ અંગે ગાંધીનગરના સર્જન ડો. નીરજ સુરીએ કહ્યું હતું કે, જન્મજાત બહેરા-મૂંગા બાળકોનાં કોકિલિયર ઈમ્પ્લાન્ટ પધ્ધતિથી ઓપરેશન કરવામાં આવે છે. આ ઓપરેશન માત્ર બે કલાકનું હોય છે. જેના દ્વારા આવા બાળકોને ફરીથી સાંભળતા અને બોલતા કરી શકાય છે. ડો. નીરજ સુરી દ્વારા અત્યાર સુધી આ પદ્ધતિની એક હજાર કરતાં વધારે લોકોની સર્જરી પણ કરવામાં આવી ચુકી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોવિડને કારણે ઓપરેશન બંધ કરવાની ફરજ પડી હતી. જો કે હવે રાજકોટના ડોક્ટર આ સર્જરીને આગળ વધારશે અને જન્મજાત મૂંગા-બહેરા બાળકોના ઓપરેશન કરશે.
ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન માટે 8 થી 10 લાખનો ખર્ચ આવે છે. પરંતુ માત્ર રાજ્ય સરકારના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં આ ઓપરેશન તદ્દન મફત કરવામાં આવે છે. રાજ્યમાં દર વર્ષે 2500 થી 3000 બાળકો જન્મજાત મૂંગા અને બહેરા જન્મે છે. જેને ડામી નખી શકાતું પરંતુ તેનું આપણે નિદાન કરી શકીએ છીએ. તેમજ નાના બાળકોને સાંભળવાની તકલીફ સર્જાય તો તાત્કાલિક રિપોર્ટ કરી ઓપરેશન કરાવવાની સલાહ પણ તેમણે આપી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોકિલિયર ઈમ્પ્લાન્ટ પદ્ધતિનાં ઓપરેશન માર્ચમાં શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાની બીજી લહેર તીવ્ર બનતા આ ઓપરેશન બંધ કરવાની ફરજ પડી હતી. જો કે પીડિયું મેડિકલ કોલેજના પ્રોફેસર દ્વારા અત્યાર સુધી 114 બાળકોનાં આ પદ્ધતિથી સફળ ઓપરેશન થઈ ચૂક્યા છે. તેમજ આ તમામ બાળકો બોલતા અને સાંભળતા પણ થયા છે. ત્યારે જન્મથી મૂંગા-બહેરા બાળકોના વાલીઓએ જાગૃત થઈ તેમના બાળકોનું ચેકઅપ કરાવવું જોઈએ. અને જો ઓપરેશનની જરૂર જણાય તો સરકારની આ યોજનાનો લેવો જોઈએ.
- પહેલા કોકિલિયર ઈમ્પ્લાન્ટ પદ્ધતિનાં ઓપરેશન માર્ચમાં શરૂ કરવામાં આવ્યા હતા
- ડો. નીરજ સુરી દ્વારા અત્યાર સુધી આ પદ્ધતિની એક હજાર કરતાં વધારે લોકોની સર્જરી પણ કરવામાં આવી ચુકી હોવાનું જણાવ્યું
- રાજ્યમાં દર વર્ષે 2500 થી 3000 બાળકો જન્મજાત મૂંગા અને બહેરા જન્મે છે
WatchGujarat. સિવિલ હોસ્પિટલ ખાતે કોકિલયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ખાસ જન્મથી મૂંગા બહેરા બાળકોનું ઓપરેશન કરી તેઓને સાંભળતા અને બોલતા કરવામાં આવે છે. આ પહેલા સિવિલ હોસ્પિટલનાં પીડિયું વિભાગ ખાતે ઓપરેશન કરવામાં આવતા હતા. પરંતુ કોવિડને કારણે તેને બંધ કરાયા હતા. બાદમાં હવે ફરીથી આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ખાસ ગાંધીનગરના એસોસિએટ પ્રોફેસર ડો. નીરજ સુરી કે જે રાજ્યનાં કોકિલયર ઈમ્પ્લાન્ટ પ્રોગ્રામના નોડલ ઓફિસર તરીકે સેવા આપે છે, તેઓ રાજકોટ આવ્યા હતા અને તેમની હાજરીમાં ફરી એકવાર કોકિલિયર ઈમ્પ્લાન્ટ પદ્ધતિની સારવાર શરૂ કરવામાં આવતા જન્મથી બહેરા-મૂંગા બાળકોને મોટો લાભ થશે.
આ અંગે ગાંધીનગરના સર્જન ડો. નીરજ સુરીએ કહ્યું હતું કે, જન્મજાત બહેરા-મૂંગા બાળકોનાં કોકિલિયર ઈમ્પ્લાન્ટ પધ્ધતિથી ઓપરેશન કરવામાં આવે છે. આ ઓપરેશન માત્ર બે કલાકનું હોય છે. જેના દ્વારા આવા બાળકોને ફરીથી સાંભળતા અને બોલતા કરી શકાય છે. ડો. નીરજ સુરી દ્વારા અત્યાર સુધી આ પદ્ધતિની એક હજાર કરતાં વધારે લોકોની સર્જરી પણ કરવામાં આવી ચુકી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોવિડને કારણે ઓપરેશન બંધ કરવાની ફરજ પડી હતી. જો કે હવે રાજકોટના ડોક્ટર આ સર્જરીને આગળ વધારશે અને જન્મજાત મૂંગા-બહેરા બાળકોના ઓપરેશન કરશે.
ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન માટે 8 થી 10 લાખનો ખર્ચ આવે છે. પરંતુ માત્ર રાજ્ય સરકારના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં આ ઓપરેશન તદ્દન મફત કરવામાં આવે છે. રાજ્યમાં દર વર્ષે 2500 થી 3000 બાળકો જન્મજાત મૂંગા અને બહેરા જન્મે છે. જેને ડામી નખી શકાતું પરંતુ તેનું આપણે નિદાન કરી શકીએ છીએ. તેમજ નાના બાળકોને સાંભળવાની તકલીફ સર્જાય તો તાત્કાલિક રિપોર્ટ કરી ઓપરેશન કરાવવાની સલાહ પણ તેમણે આપી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોકિલિયર ઈમ્પ્લાન્ટ પદ્ધતિનાં ઓપરેશન માર્ચમાં શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાની બીજી લહેર તીવ્ર બનતા આ ઓપરેશન બંધ કરવાની ફરજ પડી હતી. જો કે પીડિયું મેડિકલ કોલેજના પ્રોફેસર દ્વારા અત્યાર સુધી 114 બાળકોનાં આ પદ્ધતિથી સફળ ઓપરેશન થઈ ચૂક્યા છે. તેમજ આ તમામ બાળકો બોલતા અને સાંભળતા પણ થયા છે. ત્યારે જન્મથી મૂંગા-બહેરા બાળકોના વાલીઓએ જાગૃત થઈ તેમના બાળકોનું ચેકઅપ કરાવવું જોઈએ. અને જો ઓપરેશનની જરૂર જણાય તો સરકારની આ યોજનાનો લેવો જોઈએ.