હાથીખાના-13 ખાતે ભારે વરસાદને કારણે પાણી કમર સુધી પહોંચી જતા સ્થાનિકોએ તંત્રનો સંપર્ક કર્યો
કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા એ-ડિવિઝન પોલીસ સાથે મળીને અસરગ્રસ્તોનું રેસ્ક્યુ કરાયું
લલ્લુડી વોંકળી વિસ્તારમાં પણ નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસતા આમ આદમી પાર્ટી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
WatchGujarat. શહેરનાં હાથીખાના ખાતે વરસાદી આફતમાં એકતાનાં દર્શન કરાવતી ઘટનાં સામે આવી છે. જો કે તંત્ર દ્વારા સમયસર જરૂરી મદદ નહીં મળ્યાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. જેમાં હાથીખાના ખાતે શેરી નં.- 13માં કમરડૂબથી વધુ પાણી ભરાઈ જતા કોંગ્રેસનાં કાર્યકરો દોડી ગયા હતા. અને તંત્રની મદદ સમયસર નહીં મળતા એ-ડિવિઝન પોલીસ સાથે મળીને 50 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું હતું. જેમાં ઉંમરલાયક લોકોને પોલીસ અને કોંગી કાર્યકરો ઊંચકી જતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. બીજીતરફ લલ્લુડી વોંકળી નજીક ઘરોમાં પાણી ઘુસી જતા 'આપ' લોકોની વ્હારે આવ્યું હતું. અને 'આપ' કાર્યકરો દ્વારા આ વિસ્તારના લોકોને જરૂરી મદદ પુરી પાડવામાં આવી હતી. જો કે મેયર તેમજ મ્યુ. કમિશ્નર સહિતનાં અધિકારી-પદાધિકારીઓ પણ ફિલ્ડમાં જોવા મળ્યા હતાં. પરંતુ હાથીખાના ખાતે સમયસર મદદ નહીં મળ્યાનો આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો છે.
https://youtu.be/7noau23zA1Y
જાણવા મળતી વિગત મુજબ, હાથીખાના-13 ખાતે ભારે વરસાદને કારણે પાણી કમર સુધી પહોંચી જતા સ્થાનિકોએ તંત્રનો સંપર્ક કર્યો હતો. પરંતુ સકાત્મક જવાબ નહીં મળતા સ્થાનિકોએ કોંગ્રેસનાં રણજિત મૂંધવા સહિતનાં આગેવાનોને જાણ કરી હતી. આ અંગે જાણ થતાં જ મૂંધવા સહિતનાં આગેવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા. અને તંત્ર પાસે મદદની માંગ કરી હતી. જો કે અધિકારીઓ દ્વારા જવાબદારીની ફેંકાફેકી કરાઈ હતી. જેને લઈને કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા એ-ડિવિઝન પોલીસ સાથે મળીને અસરગ્રસ્તોનું રેસ્ક્યુ કરાયું હતું. અને પ્રથમ વખત કોંગ્રેસ-પોલીસની એકતા જોવા મળી હતી.
આ કામગીરીમાં કૉંગ્રેસ અગ્રણી રણજીત મૂંધવા, રમેશ તલાટીયા, એન.ડી ગોહેલ ઉપરાંત એ. ડિવિ.નાં પી.આઈ જોષી, અને પી.એસ.આઇ ભટ્ટ સહિતનાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. આ દરમિયાન જ હાથીખાનાનાં એક મકાનની દીવાલ પડતા મનપાનું બુલડોઝર આવી પહોંચ્યું હતું. જો કે તેનાથી તત્કાળ કાર્યવાહી શરૂ ન કરાતા કોંગી આગેવાનો પણ રોષે ભરાયા હતા. અને ચાલુ વરસાદે રામધૂન બોલાવી વિરોધ પ્રગટ કર્યો હતો. બાદમાં ઉચ્ચ અધિકારીઓનાં આદેશથી બુલડોઝર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે સમગ્ર ઘટનાને પગલે મનપાની પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર થઈ હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરાઈ રહ્યો છે.
બીજીતરફ શહેરનાં લલ્લુડી વોંકળી વિસ્તારમાં પણ નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસતા આમ આદમી પાર્ટી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં મનપાનું તંત્ર પણ બાદમાં જોડાયું હતું. જ્યારે શહેરના જોખમી ગણાતા એવા પોપટપરા નાલાની મુલાકાતે ખુદ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દોડી ગયા હતા. અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પાણી ન ઉતરે ત્યાં સુધી નાલું બંધ કરવામાં આવ્યું છે. મેયર તેમજ મ્યુ. કમિશ્નર સહિતનાં અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આજી નદી સહિતનાં નીચાણવાળા વિસ્તારોમાં દોડી ગયા હતા. અને 1100 જેટલા લોકોનું સ્થળાંતર કરી ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
હાથીખાના-13 ખાતે ભારે વરસાદને કારણે પાણી કમર સુધી પહોંચી જતા સ્થાનિકોએ તંત્રનો સંપર્ક કર્યો
કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા એ-ડિવિઝન પોલીસ સાથે મળીને અસરગ્રસ્તોનું રેસ્ક્યુ કરાયું
લલ્લુડી વોંકળી વિસ્તારમાં પણ નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસતા આમ આદમી પાર્ટી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
WatchGujarat. શહેરનાં હાથીખાના ખાતે વરસાદી આફતમાં એકતાનાં દર્શન કરાવતી ઘટનાં સામે આવી છે. જો કે તંત્ર દ્વારા સમયસર જરૂરી મદદ નહીં મળ્યાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. જેમાં હાથીખાના ખાતે શેરી નં.- 13માં કમરડૂબથી વધુ પાણી ભરાઈ જતા કોંગ્રેસનાં કાર્યકરો દોડી ગયા હતા. અને તંત્રની મદદ સમયસર નહીં મળતા એ-ડિવિઝન પોલીસ સાથે મળીને 50 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું હતું. જેમાં ઉંમરલાયક લોકોને પોલીસ અને કોંગી કાર્યકરો ઊંચકી જતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. બીજીતરફ લલ્લુડી વોંકળી નજીક ઘરોમાં પાણી ઘુસી જતા 'આપ' લોકોની વ્હારે આવ્યું હતું. અને 'આપ' કાર્યકરો દ્વારા આ વિસ્તારના લોકોને જરૂરી મદદ પુરી પાડવામાં આવી હતી. જો કે મેયર તેમજ મ્યુ. કમિશ્નર સહિતનાં અધિકારી-પદાધિકારીઓ પણ ફિલ્ડમાં જોવા મળ્યા હતાં. પરંતુ હાથીખાના ખાતે સમયસર મદદ નહીં મળ્યાનો આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ, હાથીખાના-13 ખાતે ભારે વરસાદને કારણે પાણી કમર સુધી પહોંચી જતા સ્થાનિકોએ તંત્રનો સંપર્ક કર્યો હતો. પરંતુ સકાત્મક જવાબ નહીં મળતા સ્થાનિકોએ કોંગ્રેસનાં રણજિત મૂંધવા સહિતનાં આગેવાનોને જાણ કરી હતી. આ અંગે જાણ થતાં જ મૂંધવા સહિતનાં આગેવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા. અને તંત્ર પાસે મદદની માંગ કરી હતી. જો કે અધિકારીઓ દ્વારા જવાબદારીની ફેંકાફેકી કરાઈ હતી. જેને લઈને કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા એ-ડિવિઝન પોલીસ સાથે મળીને અસરગ્રસ્તોનું રેસ્ક્યુ કરાયું હતું. અને પ્રથમ વખત કોંગ્રેસ-પોલીસની એકતા જોવા મળી હતી.
આ કામગીરીમાં કૉંગ્રેસ અગ્રણી રણજીત મૂંધવા, રમેશ તલાટીયા, એન.ડી ગોહેલ ઉપરાંત એ. ડિવિ.નાં પી.આઈ જોષી, અને પી.એસ.આઇ ભટ્ટ સહિતનાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. આ દરમિયાન જ હાથીખાનાનાં એક મકાનની દીવાલ પડતા મનપાનું બુલડોઝર આવી પહોંચ્યું હતું. જો કે તેનાથી તત્કાળ કાર્યવાહી શરૂ ન કરાતા કોંગી આગેવાનો પણ રોષે ભરાયા હતા. અને ચાલુ વરસાદે રામધૂન બોલાવી વિરોધ પ્રગટ કર્યો હતો. બાદમાં ઉચ્ચ અધિકારીઓનાં આદેશથી બુલડોઝર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે સમગ્ર ઘટનાને પગલે મનપાની પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર થઈ હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરાઈ રહ્યો છે.
બીજીતરફ શહેરનાં લલ્લુડી વોંકળી વિસ્તારમાં પણ નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસતા આમ આદમી પાર્ટી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં મનપાનું તંત્ર પણ બાદમાં જોડાયું હતું. જ્યારે શહેરના જોખમી ગણાતા એવા પોપટપરા નાલાની મુલાકાતે ખુદ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દોડી ગયા હતા. અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પાણી ન ઉતરે ત્યાં સુધી નાલું બંધ કરવામાં આવ્યું છે. મેયર તેમજ મ્યુ. કમિશ્નર સહિતનાં અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આજી નદી સહિતનાં નીચાણવાળા વિસ્તારોમાં દોડી ગયા હતા. અને 1100 જેટલા લોકોનું સ્થળાંતર કરી ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.