શનિવારે શહેરમાં 438 જ્યારે ગ્રામ્યમાં 149 સહિત કુલ 587 નવા કેસ આવ્યા
ગોંડલ રોડ પર આવેલા રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમમાં 3 દિવસમાં 18 વડીલ કોરોનાગ્રસ્ત થયા
કોરોનાના લક્ષણો હળવા હોવાથી 99 ટકા લોકો ઘરમાં આઈસોલેટ રહી સારવાર લઈ રહ્યા છે
WatchGujarat. શહેર તેમજ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે હવે કોરોના કોર્પોરેશનમાં પહોંચી ચુક્યો છે. મનપાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.એલ.ટી. વાંજા, સિટી એન્જિનિયર કામલીયા પણ પોઝિટિવ આવ્યા છે. સાથે યુપીમાં ચૂંટણી પ્રચારમાંથી પરત આવેલા કોર્પોરેટર જયમીન ઠાકરને કોરોનાનો ચેપ લાગતા તમામ હોમ આઇસોલેટ થયા છે. આ ઉપરાંત શહેરનાં રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમમાં 3 દિવસમાં 18 વડીલ પણ કોરોનાગ્રસ્ત બન્યા છે.
શનિવારે શહેરમાં 438 જ્યારે ગ્રામ્યમાં 149 સહિત કુલ 587 નવા કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. તો શહેરના ગોંડલ રોડ પર આવેલા રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમમાં 3 દિવસમાં 18 વડીલ કોરોનાગ્રસ્ત થયા છે. આ તમામની તબિયત સ્થિર હોવા છતાં અન્યને ચેપ ન લાગે તે માટે તમામને તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં આઈસોલેટ કરાયા છે. ગોંડલ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફમાં પણ 5 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે. પરંતુ ગઈકાલે શહેરમાં બપોર સુધીમાં જ નવા 91 કેસ અને સાંજે 347 કેસ આવતા કુલ 438 કેસ નોંધાયા હતા. તે સાથે મહાનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીનો આંકડો પણ 2000ને પાર થઇ ગયો છે. અને દર કલાકે 18 જેટલા લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું હોવા છતાં તંત્ર લાચાર બની ગયું છે. જોકે હવે કોરોનાના લક્ષણો હળવા હોવાથી 99 ટકા લોકો ઘરમાં આઈસોલેટ રહી સારવાર લઈ રહ્યા છે. પોઝિટિવિટી રેટ 6.33 ટકા સુધી પહોંચી ગયો હતો. જેમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
- શનિવારે શહેરમાં 438 જ્યારે ગ્રામ્યમાં 149 સહિત કુલ 587 નવા કેસ આવ્યા
- ગોંડલ રોડ પર આવેલા રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમમાં 3 દિવસમાં 18 વડીલ કોરોનાગ્રસ્ત થયા
- કોરોનાના લક્ષણો હળવા હોવાથી 99 ટકા લોકો ઘરમાં આઈસોલેટ રહી સારવાર લઈ રહ્યા છે
WatchGujarat. શહેર તેમજ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે હવે કોરોના કોર્પોરેશનમાં પહોંચી ચુક્યો છે. મનપાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.એલ.ટી. વાંજા, સિટી એન્જિનિયર કામલીયા પણ પોઝિટિવ આવ્યા છે. સાથે યુપીમાં ચૂંટણી પ્રચારમાંથી પરત આવેલા કોર્પોરેટર જયમીન ઠાકરને કોરોનાનો ચેપ લાગતા તમામ હોમ આઇસોલેટ થયા છે. આ ઉપરાંત શહેરનાં રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમમાં 3 દિવસમાં 18 વડીલ પણ કોરોનાગ્રસ્ત બન્યા છે.
શનિવારે શહેરમાં 438 જ્યારે ગ્રામ્યમાં 149 સહિત કુલ 587 નવા કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. તો શહેરના ગોંડલ રોડ પર આવેલા રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમમાં 3 દિવસમાં 18 વડીલ કોરોનાગ્રસ્ત થયા છે. આ તમામની તબિયત સ્થિર હોવા છતાં અન્યને ચેપ ન લાગે તે માટે તમામને તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં આઈસોલેટ કરાયા છે. ગોંડલ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફમાં પણ 5 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે. પરંતુ ગઈકાલે શહેરમાં બપોર સુધીમાં જ નવા 91 કેસ અને સાંજે 347 કેસ આવતા કુલ 438 કેસ નોંધાયા હતા. તે સાથે મહાનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીનો આંકડો પણ 2000ને પાર થઇ ગયો છે. અને દર કલાકે 18 જેટલા લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું હોવા છતાં તંત્ર લાચાર બની ગયું છે. જોકે હવે કોરોનાના લક્ષણો હળવા હોવાથી 99 ટકા લોકો ઘરમાં આઈસોલેટ રહી સારવાર લઈ રહ્યા છે. પોઝિટિવિટી રેટ 6.33 ટકા સુધી પહોંચી ગયો હતો. જેમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.