સોમવારથી રાજકોટ શહેરના તમામ વોર્ડમાં આરોગ્ય વિભાગની જુદી-જુદી ટીમ દ્વારા પીડિયાટ્રિક સર્વે શરૂ કરવામાં આવશે
મહાનગરપાલિકા દ્વારા કોઠારિયા વિસ્તારમાં આવેલા 721 ઘરમાં સર્વે હાથ ધરવામાં આવ્યો
સાતમ-આઠમના તહેવાર અંતર્ગત પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય, ન્યારી ડેમ, આજીડેમ, લાલપરી તળાવ, ઈશ્વર્યા પાર્ક સહિતના પર્યટન સ્થળો ખુલ્લા રાખવામાં આવશે
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છતાં ત્રીજી લહેરની શક્યતા હોવાને લઈને તંત્ર પણ એલર્ટ છે. અને ગ્રામ્ય વિસ્તારમાં પીડીયાટ્રીક સર્વે બાદ હવે શહેરી વિસ્તારમાં પણ પીડીયાટ્રીક સર્વેનો વધુ એક રાઉન્ડ શરૂ કરવામાં આવનાર છે. જો કે આ બધાની વચ્ચે લોકો તહેવારો ઉજવી શકે તે માટે મ્યુ. તંત્ર દ્વારા સાતમ આઠમનાં તહેવારોમાં રેસકોર્સ સહિતના તમામ બગીચાઓ અને પ્રદ્યુમન પાર્ક સહિતના તમામ પર્યટન સ્થળો ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. જો કે આ દરમિયાન લોકોને કોવિડ નિયમોનું પાલન કરવાની અપીલ પણ મ્યુ. કમિશ્નરે કરી છે.
આગામી સોમવારથી રાજકોટ શહેરના તમામ વોર્ડમાં આરોગ્ય વિભાગની જુદી-જુદી ટીમ દ્વારા પીડિયાટ્રિક સર્વે શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત જરૂર જણાય ત્યાં સ્થળ પર બાળકોને સારવાર આપવામાં આવશે. તેમજ વધુ જરૂર જણાશે તો બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે. તેમજ બાળકનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. ત્રીજી લહેર પૂર્વે મહાનગરપાલિકા પીડીયાટ્રીક સર્વે અંતર્ગત રાજકોટ શહેરમાં રહેલા તમામ બાળકો નો એક ડેટા એકત્રિત કરવા માંગે છે. જે અંતર્ગત કોમોર્બીડિટી ધરાવતા કેટલા બાળકો છે તેનો પણ ખ્યાલ આવશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોઠારિયા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. જે અંતર્ગત 5 મહિનાના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાદમાં મહાનગરપાલિકા દ્વારા કોઠારિયા વિસ્તારમાં આવેલા 721 ઘરમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે સર્વે અંતર્ગત 27 બાળકોના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જોકે તમામ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે.
બીજીતરફ રાજકોટની ઉત્સવપ્રિય જનતા માટે તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી સાતમ-આઠમના તહેવાર અંતર્ગત એક પણ પર્યટન સ્થળ બંધ રાખવામાં નહીં આવે. રાજકોટનો પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય, ન્યારી ડેમ, આજીડેમ, લાલપરી તળાવ, ઈશ્વર્યા પાર્ક સહિતના પર્યટન સ્થળો ખુલ્લા રાખવામાં આવશે. તમામ જગ્યાએ એન્ટ્રી ગેટ પર આરોગ્યની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે. થર્મલ ગન દ્વારા પ્રવેશ મેળવવા ઇચ્છુક તમામ વ્યક્તિઓના શરીરનુ તાપમાન માપવામાં આવશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે સિક્યુરિટી પણ મુકવામાં આવશે.
સોમવારથી રાજકોટ શહેરના તમામ વોર્ડમાં આરોગ્ય વિભાગની જુદી-જુદી ટીમ દ્વારા પીડિયાટ્રિક સર્વે શરૂ કરવામાં આવશે
મહાનગરપાલિકા દ્વારા કોઠારિયા વિસ્તારમાં આવેલા 721 ઘરમાં સર્વે હાથ ધરવામાં આવ્યો
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છતાં ત્રીજી લહેરની શક્યતા હોવાને લઈને તંત્ર પણ એલર્ટ છે. અને ગ્રામ્ય વિસ્તારમાં પીડીયાટ્રીક સર્વે બાદ હવે શહેરી વિસ્તારમાં પણ પીડીયાટ્રીક સર્વેનો વધુ એક રાઉન્ડ શરૂ કરવામાં આવનાર છે. જો કે આ બધાની વચ્ચે લોકો તહેવારો ઉજવી શકે તે માટે મ્યુ. તંત્ર દ્વારા સાતમ આઠમનાં તહેવારોમાં રેસકોર્સ સહિતના તમામ બગીચાઓ અને પ્રદ્યુમન પાર્ક સહિતના તમામ પર્યટન સ્થળો ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. જો કે આ દરમિયાન લોકોને કોવિડ નિયમોનું પાલન કરવાની અપીલ પણ મ્યુ. કમિશ્નરે કરી છે.
આગામી સોમવારથી રાજકોટ શહેરના તમામ વોર્ડમાં આરોગ્ય વિભાગની જુદી-જુદી ટીમ દ્વારા પીડિયાટ્રિક સર્વે શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત જરૂર જણાય ત્યાં સ્થળ પર બાળકોને સારવાર આપવામાં આવશે. તેમજ વધુ જરૂર જણાશે તો બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે. તેમજ બાળકનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. ત્રીજી લહેર પૂર્વે મહાનગરપાલિકા પીડીયાટ્રીક સર્વે અંતર્ગત રાજકોટ શહેરમાં રહેલા તમામ બાળકો નો એક ડેટા એકત્રિત કરવા માંગે છે. જે અંતર્ગત કોમોર્બીડિટી ધરાવતા કેટલા બાળકો છે તેનો પણ ખ્યાલ આવશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોઠારિયા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. જે અંતર્ગત 5 મહિનાના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાદમાં મહાનગરપાલિકા દ્વારા કોઠારિયા વિસ્તારમાં આવેલા 721 ઘરમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે સર્વે અંતર્ગત 27 બાળકોના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જોકે તમામ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે.
બીજીતરફ રાજકોટની ઉત્સવપ્રિય જનતા માટે તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી સાતમ-આઠમના તહેવાર અંતર્ગત એક પણ પર્યટન સ્થળ બંધ રાખવામાં નહીં આવે. રાજકોટનો પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય, ન્યારી ડેમ, આજીડેમ, લાલપરી તળાવ, ઈશ્વર્યા પાર્ક સહિતના પર્યટન સ્થળો ખુલ્લા રાખવામાં આવશે. તમામ જગ્યાએ એન્ટ્રી ગેટ પર આરોગ્યની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે. થર્મલ ગન દ્વારા પ્રવેશ મેળવવા ઇચ્છુક તમામ વ્યક્તિઓના શરીરનુ તાપમાન માપવામાં આવશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે સિક્યુરિટી પણ મુકવામાં આવશે.