માર્ચ-2020માં શહેરમાં કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી આજ સુધીમાં કોરોનાના સૌથી વધુ, એક દિવસમાં 1336 પોઝીટીવ કેસ મનપાના ચોપડે જાહેર થયા
કેસો પખવાડિયાથી વધી રહ્યા હોવા છતાં ટેસ્ટીંગ બુથ, ડોક્ટરો અને તબીબી સ્ટાફ તેમજ વાહનો પર્યાપ્ત સંખ્યામાં નહીં ફાળવતા લોકો ખાનગી તબીબોની પાસે જવા મજબૂર
ટેસ્ટ થાય તેમાં દર 100માં 10-15 નાગરિકો કોરોના પોઝીટીવ આવે છે
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ ફેલાઈ રહ્યું છે. અને એક દિવસમાં એપ્રિલ-મેંનાં પીક કરતા બમણા રેકર્ડબ્રેક 1336 નવા કેસો નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ ઊંધામાથે થઇ ગયું છે. અને સ્ટાફનાં અભાવે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને સારવાર તેમજ દવાઓ પહોંચાડવી મુશ્કેલ બની ગઈ છે. બીજીતરફ લોકો પણ કોરોનાનો ફેલાવો વધતા જાગૃત થયા છે. અને ઠેર ઠેર ટેસ્ટ માટેની લાંબી કતારો લાગી રહી છે.
મનપાની સત્તાવાર યાદી મુજબ, માર્ચ-2020માં શહેરમાં કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી આજ સુધીમાં કોરોનાના સૌથી વધુ, એક દિવસમાં 1336 પોઝીટીવ કેસ મનપાના ચોપડે જાહેર થયા છે. ગંભીર વાત એ છે કે એપ્રિલ-મેના ભીષણ કાળ કે જ્યારે કોરોના ટોચ પર પહોંચ્યો હતો, ત્યારે એક દિવસમાં મહત્તમ 700 કેસો કરતા પણ આજે બમણાં કેસો નોંધાયા છે. જેને લઈને એક દિવસમાં જ કેસોની સંખ્યા ત્રણ ગણી થઈ છે.
આ કપરા સમયમાં સબ સલામતનાં દાવાઓ કરતા મનપા તંત્રએ જન સ્વાસ્થ્ય માટે ખર્ચ બચાવવો હોય તેમ કેસો પખવાડિયાથી વધી રહ્યા હોવા છતાં ટેસ્ટીંગ બુથ, ડોક્ટરો અને તબીબી સ્ટાફ તેમજ વાહનો પર્યાપ્ત સંખ્યામાં નહીં ફાળવતા લોકો ખાનગી તબીબોની પાસે જવા મજબૂર બન્યા છે. અને ખાનગી દવાખાનાઓમાં પણ લાંબી કતારો લાગી છે. શહેરમાં આજે સારવાર લેતા કોરોના દર્દીઓની સંખ્યા 3800 ઉપર પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ થાય તેમાં દર 100માં 10-15 નાગરિકો કોરોના પોઝીટીવ આવે છે. એપ્રિલ-મેના પિક દરમિયાન મનપાએ તાબડતોબ ડોક્ટરો અને ડિગ્રી ધારી ડોક્ટરો નહીં મળતા મેડીકલ,આયુર્વેદ,હોમિયોપેથીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને મેડીકલ ઓફિસરને પણ કામગીરી સોંપી હતી. અને ઘરે ઘરે હોમ આઈસોલેટ દર્દીઓના ટેમ્પરેચર-ઓક્સીજન માપવા, લક્ષણો મૂજબ દવા આપવી અને ગંભીર જણાય તો હોસ્પિટલે રીફર કરવા સહિતની સારવાર આપી હતી. પરંતુ, હવે કેસોની સંખ્યાની દ્રષ્ટિએ એપ્રિલ કરતા વધુ ગંભીર સ્થિતિ છતાં સ્ટાફ અર્ધો જ છે. જેને કારણે 104માં ફોન કરવાના ચોવીસ કલાકે ટેસ્ટીંગ માટે ઘરે આવતું નથી, કેટલાક હોમ આઈસોલેટ દર્દીઓની દેખભાળ રાખતી વાન આવતી નથી, વાન આવે તો દવા હોતી નથી તેવી ફરિયાદો પણ ઉઠી રહી છે.
- માર્ચ-2020માં શહેરમાં કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી આજ સુધીમાં કોરોનાના સૌથી વધુ, એક દિવસમાં 1336 પોઝીટીવ કેસ મનપાના ચોપડે જાહેર થયા
- કેસો પખવાડિયાથી વધી રહ્યા હોવા છતાં ટેસ્ટીંગ બુથ, ડોક્ટરો અને તબીબી સ્ટાફ તેમજ વાહનો પર્યાપ્ત સંખ્યામાં નહીં ફાળવતા લોકો ખાનગી તબીબોની પાસે જવા મજબૂર
- ટેસ્ટ થાય તેમાં દર 100માં 10-15 નાગરિકો કોરોના પોઝીટીવ આવે છે
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ ફેલાઈ રહ્યું છે. અને એક દિવસમાં એપ્રિલ-મેંનાં પીક કરતા બમણા રેકર્ડબ્રેક 1336 નવા કેસો નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ ઊંધામાથે થઇ ગયું છે. અને સ્ટાફનાં અભાવે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને સારવાર તેમજ દવાઓ પહોંચાડવી મુશ્કેલ બની ગઈ છે. બીજીતરફ લોકો પણ કોરોનાનો ફેલાવો વધતા જાગૃત થયા છે. અને ઠેર ઠેર ટેસ્ટ માટેની લાંબી કતારો લાગી રહી છે.
મનપાની સત્તાવાર યાદી મુજબ, માર્ચ-2020માં શહેરમાં કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી આજ સુધીમાં કોરોનાના સૌથી વધુ, એક દિવસમાં 1336 પોઝીટીવ કેસ મનપાના ચોપડે જાહેર થયા છે. ગંભીર વાત એ છે કે એપ્રિલ-મેના ભીષણ કાળ કે જ્યારે કોરોના ટોચ પર પહોંચ્યો હતો, ત્યારે એક દિવસમાં મહત્તમ 700 કેસો કરતા પણ આજે બમણાં કેસો નોંધાયા છે. જેને લઈને એક દિવસમાં જ કેસોની સંખ્યા ત્રણ ગણી થઈ છે.
આ કપરા સમયમાં સબ સલામતનાં દાવાઓ કરતા મનપા તંત્રએ જન સ્વાસ્થ્ય માટે ખર્ચ બચાવવો હોય તેમ કેસો પખવાડિયાથી વધી રહ્યા હોવા છતાં ટેસ્ટીંગ બુથ, ડોક્ટરો અને તબીબી સ્ટાફ તેમજ વાહનો પર્યાપ્ત સંખ્યામાં નહીં ફાળવતા લોકો ખાનગી તબીબોની પાસે જવા મજબૂર બન્યા છે. અને ખાનગી દવાખાનાઓમાં પણ લાંબી કતારો લાગી છે. શહેરમાં આજે સારવાર લેતા કોરોના દર્દીઓની સંખ્યા 3800 ઉપર પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ થાય તેમાં દર 100માં 10-15 નાગરિકો કોરોના પોઝીટીવ આવે છે. એપ્રિલ-મેના પિક દરમિયાન મનપાએ તાબડતોબ ડોક્ટરો અને ડિગ્રી ધારી ડોક્ટરો નહીં મળતા મેડીકલ,આયુર્વેદ,હોમિયોપેથીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને મેડીકલ ઓફિસરને પણ કામગીરી સોંપી હતી. અને ઘરે ઘરે હોમ આઈસોલેટ દર્દીઓના ટેમ્પરેચર-ઓક્સીજન માપવા, લક્ષણો મૂજબ દવા આપવી અને ગંભીર જણાય તો હોસ્પિટલે રીફર કરવા સહિતની સારવાર આપી હતી. પરંતુ, હવે કેસોની સંખ્યાની દ્રષ્ટિએ એપ્રિલ કરતા વધુ ગંભીર સ્થિતિ છતાં સ્ટાફ અર્ધો જ છે. જેને કારણે 104માં ફોન કરવાના ચોવીસ કલાકે ટેસ્ટીંગ માટે ઘરે આવતું નથી, કેટલાક હોમ આઈસોલેટ દર્દીઓની દેખભાળ રાખતી વાન આવતી નથી, વાન આવે તો દવા હોતી નથી તેવી ફરિયાદો પણ ઉઠી રહી છે.