હાલ ત્રીજી લહેર પીક ઉપર હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈને હવે કેસમાં વધારો થવાની શક્યતા ઓછી છે - સિવીલ અધિક્ષક ડો. ત્રિવેદી
નવા કેસોની સંખ્યામાં મોટો વધારો થવા છતાં સિવિલ હોસ્પિટલની 4 હજારની કેપેસિટી સામે માત્ર 50 દર્દીઓ સારવાર હેઠળ છે
વધુ લોકોનું ટેસ્ટિંગ થઈ શકે તે માટે મહાનગરપાલિકાનાં મેયર પ્રદિપ ડવે ટેસ્ટીંગમાં વધારો કરવા માટે ટેસ્ટીંગ બુથ સાંજે 5 વાગ્યાના બદલે સાંજે 6:30 વાગ્યા સુધી ચાલુ રાખવાની સૂચના આપી
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. અને ચાલુ મહિનાનાં માત્ર 19 દિવસમાં જ 6,383 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેમાં પણ 48 કલાકમાં અધધ 2,595 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાનાં કેસોમાં વધારો થતાં મનપા ઉપરાંત સિવિલ હોસ્પિટલ તેમજ કલેક્ટર તંત્ર પણ એલર્ટ મોડમાં છે. અને ટેસ્ટિંગ-ટ્રેસિંગ પણ વધારવામાં આવ્યા છે. જોકે હાલ ત્રીજી લહેર પીક નજીક હોવાથી તેનો અંત ઘણો નજીક લાગતો હોવાનું અને વેકસીન લેનારા દર્દીઓમાં માત્ર સામાન્ય લક્ષણો જોવા મળતા હોવાનું સિવિલ અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું.
સિવીલ અધિક્ષક ડો. ત્રિવેદીનાં જણાવ્યા અનુસાર, હાલ ત્રીજી લહેર પીક ઉપર હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈને હવે કેસમાં વધારો થવાની શક્યતા ઓછી છે. હાલમાં ટેસ્ટની સંખ્યા વધી હોવાથી અને સંક્રમિત વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ થતું હોવાથી નવા કેસોની સંખ્યા વધી છે. જેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. આનંદની વાત એ છે કે, નવા કેસોની સંખ્યામાં મોટો વધારો થવા છતાં સિવિલ હોસ્પિટલની 4 હજારની કેપેસિટી સામે માત્ર 50 દર્દીઓ સારવાર હેઠળ છે. એ પૈકી પણ 41 દર્દીઓ નોર્મલ રૂમ એરમાં છે. તેઓએ વેકસીનનાં બંને ડોઝ લીધા હોવાથી ઑક્સિજનની જરૂર પણ પડી નથી. જો કે બંને ડોઝ કે માત્ર બીજો ડોઝ બાકી હોય તેવા 9 દર્દીઓ હાલમાં ઑક્સિજન ઉપર છે. ત્યારે વેકસીન રામબાણ ઈલાજ હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. ત્યારે લોકોએ વેકસીનનાં બંને ડોઝ લઈ લેવા ખાસ જરૂરી છે. આ તકે તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણપણે તૈયાર હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.
સતત વધી રહેલા કેસોને લઈને મહાનગરપાલિકા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. તેમજ ધન્વંતરી- સંજીવની રથની સંખ્યા વધારવામાં આવી છે. સાથે વધુમાં વધુ લોકોનું ટેસ્ટિંગ થઈ શકે તે માટે મહાનગરપાલિકાનાં મેયર પ્રદિપ ડવે ટેસ્ટીંગમાં વધારો કરવા માટે ટેસ્ટીંગ બુથ સાંજે 5 વાગ્યાના બદલે સાંજે 6:30 વાગ્યા સુધી ચાલુ રાખવાની સૂચના આપી છે. તો કલેક્ટર તંત્ર દ્વારા પણ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલનાં જવાબદારો સાથે મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. તેમજ કોઈપણ દર્દીને સારવાર કે દવાઓની મુશ્કેલી ન પડે તેનો ખાસ ખ્યાલ રાખવાનાં આદેશ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આપ્યા છે.
હાલમાં 4732 એક્ટિવ કેસ જેમાંથી 50 દર્દીઓ સારવાર હેઠળ
રાજકોટમાં કોરોના કેસમાં વધારો થયો છે. જેમાંથી હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી છે. હાલમાં શહેરની સિવીલ હોસ્પિટલમાં માત્ર 50 દર્દીઓ સારવાર હેઠળ છે. બાકીના મોટા ભાગના લોકો હોમ આઇસોલેટ છે. હોમઆઇસોલેટ દર્દીઓ ઉપર આરોગ્ય વિભાગની ટીમ સતત નજર રાખી રહી છે અને તેની તબિયતની તકેદારી લઇ રહી છે. સાથે જ તમામ દર્દીઓનાં ઑક્સિજન લેવલ સહિતનું સમયસર ચેકીંગ અને જરૂરી દવાઓ પણ પુરી પાડવામાં આવી રહી છે. જોકે મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાની તબિયત નાદુરસ્ત થઇ છે. તેમનામાં કોરોનાના લક્ષણો જોવા મળતા ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે.
- હાલ ત્રીજી લહેર પીક ઉપર હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈને હવે કેસમાં વધારો થવાની શક્યતા ઓછી છે - સિવીલ અધિક્ષક ડો. ત્રિવેદી
- નવા કેસોની સંખ્યામાં મોટો વધારો થવા છતાં સિવિલ હોસ્પિટલની 4 હજારની કેપેસિટી સામે માત્ર 50 દર્દીઓ સારવાર હેઠળ છે
- વધુ લોકોનું ટેસ્ટિંગ થઈ શકે તે માટે મહાનગરપાલિકાનાં મેયર પ્રદિપ ડવે ટેસ્ટીંગમાં વધારો કરવા માટે ટેસ્ટીંગ બુથ સાંજે 5 વાગ્યાના બદલે સાંજે 6:30 વાગ્યા સુધી ચાલુ રાખવાની સૂચના આપી
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. અને ચાલુ મહિનાનાં માત્ર 19 દિવસમાં જ 6,383 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેમાં પણ 48 કલાકમાં અધધ 2,595 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાનાં કેસોમાં વધારો થતાં મનપા ઉપરાંત સિવિલ હોસ્પિટલ તેમજ કલેક્ટર તંત્ર પણ એલર્ટ મોડમાં છે. અને ટેસ્ટિંગ-ટ્રેસિંગ પણ વધારવામાં આવ્યા છે. જોકે હાલ ત્રીજી લહેર પીક નજીક હોવાથી તેનો અંત ઘણો નજીક લાગતો હોવાનું અને વેકસીન લેનારા દર્દીઓમાં માત્ર સામાન્ય લક્ષણો જોવા મળતા હોવાનું સિવિલ અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું.
સિવીલ અધિક્ષક ડો. ત્રિવેદીનાં જણાવ્યા અનુસાર, હાલ ત્રીજી લહેર પીક ઉપર હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈને હવે કેસમાં વધારો થવાની શક્યતા ઓછી છે. હાલમાં ટેસ્ટની સંખ્યા વધી હોવાથી અને સંક્રમિત વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ થતું હોવાથી નવા કેસોની સંખ્યા વધી છે. જેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. આનંદની વાત એ છે કે, નવા કેસોની સંખ્યામાં મોટો વધારો થવા છતાં સિવિલ હોસ્પિટલની 4 હજારની કેપેસિટી સામે માત્ર 50 દર્દીઓ સારવાર હેઠળ છે. એ પૈકી પણ 41 દર્દીઓ નોર્મલ રૂમ એરમાં છે. તેઓએ વેકસીનનાં બંને ડોઝ લીધા હોવાથી ઑક્સિજનની જરૂર પણ પડી નથી. જો કે બંને ડોઝ કે માત્ર બીજો ડોઝ બાકી હોય તેવા 9 દર્દીઓ હાલમાં ઑક્સિજન ઉપર છે. ત્યારે વેકસીન રામબાણ ઈલાજ હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. ત્યારે લોકોએ વેકસીનનાં બંને ડોઝ લઈ લેવા ખાસ જરૂરી છે. આ તકે તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણપણે તૈયાર હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.
સતત વધી રહેલા કેસોને લઈને મહાનગરપાલિકા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. તેમજ ધન્વંતરી- સંજીવની રથની સંખ્યા વધારવામાં આવી છે. સાથે વધુમાં વધુ લોકોનું ટેસ્ટિંગ થઈ શકે તે માટે મહાનગરપાલિકાનાં મેયર પ્રદિપ ડવે ટેસ્ટીંગમાં વધારો કરવા માટે ટેસ્ટીંગ બુથ સાંજે 5 વાગ્યાના બદલે સાંજે 6:30 વાગ્યા સુધી ચાલુ રાખવાની સૂચના આપી છે. તો કલેક્ટર તંત્ર દ્વારા પણ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલનાં જવાબદારો સાથે મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. તેમજ કોઈપણ દર્દીને સારવાર કે દવાઓની મુશ્કેલી ન પડે તેનો ખાસ ખ્યાલ રાખવાનાં આદેશ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આપ્યા છે.
હાલમાં 4732 એક્ટિવ કેસ જેમાંથી 50 દર્દીઓ સારવાર હેઠળ
રાજકોટમાં કોરોના કેસમાં વધારો થયો છે. જેમાંથી હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી છે. હાલમાં શહેરની સિવીલ હોસ્પિટલમાં માત્ર 50 દર્દીઓ સારવાર હેઠળ છે. બાકીના મોટા ભાગના લોકો હોમ આઇસોલેટ છે. હોમઆઇસોલેટ દર્દીઓ ઉપર આરોગ્ય વિભાગની ટીમ સતત નજર રાખી રહી છે અને તેની તબિયતની તકેદારી લઇ રહી છે. સાથે જ તમામ દર્દીઓનાં ઑક્સિજન લેવલ સહિતનું સમયસર ચેકીંગ અને જરૂરી દવાઓ પણ પુરી પાડવામાં આવી રહી છે. જોકે મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાની તબિયત નાદુરસ્ત થઇ છે. તેમનામાં કોરોનાના લક્ષણો જોવા મળતા ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે.