મનપા દ્વારા રાજકોટના પંચનાથ મંદિર ખાતે ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
સ્થળ પર આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા રસીકરણની સાથે કોરોના ટેસ્ટીગની કામગીરી પણ કરવામાં આવી
કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય વેકસીન છે - મેડિકલ ઓફિસર ચાર્મી મદાની
[caption id="attachment_1393136" align="aligncenter" width="640"] Rajkot - covid vaccine in temple[/caption]
WatchGujarat. આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને સોમવતી અમાસ છે. કોરોનાને સંક્રમણને કારણે આ વખતે શ્રાવણ મહિના દરમિયાન મંદિરોમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. તો મંદિરમાં દર્શન કરવાને લઈને પણ અનેક ગાઇડલાઇન બનાવવામાં આવી હતી. પરંતુ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ઘણા મંદિરમાં ભક્તો ભોળેનાથના દર્શન કરવા માટે પહોંચતા રાજકોટના શિવાલયો શિવમય થઈ ગયા છે. ત્યારે રાજકોટ મનપાએ વેકસીનેશન વધારવા નવતર અભિગમ અપનાવ્યો હતો. અને ભોળાના ભક્તોને પ્રસાદીરૂપે વેક્સિન આપવામાં આવી હતી.
https://youtu.be/lPvA7BG8RyQ
આ માટે મનપા દ્વારા રાજકોટના પંચનાથ મંદિર ખાતે ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ધર્મપ્રેમી જનતામાં જાગૃતિ લાવવા મનપા દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે. સદર આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા રસીકરણની સાથે કોરોના ટેસ્ટીગની કામગીરી પણ કરવામાં આવી હતી. અને ભોળાનાથનાં ભક્તોએ પણ મહાનગરપાલિકા તંત્રની આ કામગીરીને બિરદાવી હતી. તેમજ મોટી સંખ્યામાં વેકસીન લેવાની બાકી હોય તેવા લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.
આ અંગે સદર આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર ચાર્મી મદાનીએ જણાવ્યું હતું કે, કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય વેકસીન છે. અને રાજકોટની જનતા પણ આ વાતને સારી રીતે જાણતી હોવાથી મહદઅંશે લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. પરંતુ હજુ અમુક ટકા લોકો લાઈનમાં ઉભા રહેવાનો સમય નહીં હોવાથી કે અન્ય કોઈ કારણસર વેકસીન લેવા આવી શક્યા નથી. ત્યારે આજના પવિત્ર દિવસે અહીં મંદિરે દર્શન કરવા આવતા આવા લોકોને પ્રસાદીરૂપે જ વેકસીન આપવામાં આવી રહી છે. અને ભોળાનાથનાં ભક્તો મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લઇ રહ્યા છે. આ સાથે જ વધુમાં વધુ લોકોને વેકસીન લેવા અપીલ પણ તેમણે કરી હતી.
મનપા દ્વારા રાજકોટના પંચનાથ મંદિર ખાતે ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
સ્થળ પર આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા રસીકરણની સાથે કોરોના ટેસ્ટીગની કામગીરી પણ કરવામાં આવી
[caption id="attachment_1393136" align="aligncenter" width="640"] Rajkot - covid vaccine in temple[/caption]
WatchGujarat. આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને સોમવતી અમાસ છે. કોરોનાને સંક્રમણને કારણે આ વખતે શ્રાવણ મહિના દરમિયાન મંદિરોમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. તો મંદિરમાં દર્શન કરવાને લઈને પણ અનેક ગાઇડલાઇન બનાવવામાં આવી હતી. પરંતુ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ઘણા મંદિરમાં ભક્તો ભોળેનાથના દર્શન કરવા માટે પહોંચતા રાજકોટના શિવાલયો શિવમય થઈ ગયા છે. ત્યારે રાજકોટ મનપાએ વેકસીનેશન વધારવા નવતર અભિગમ અપનાવ્યો હતો. અને ભોળાના ભક્તોને પ્રસાદીરૂપે વેક્સિન આપવામાં આવી હતી.
આ માટે મનપા દ્વારા રાજકોટના પંચનાથ મંદિર ખાતે ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ધર્મપ્રેમી જનતામાં જાગૃતિ લાવવા મનપા દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે. સદર આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા રસીકરણની સાથે કોરોના ટેસ્ટીગની કામગીરી પણ કરવામાં આવી હતી. અને ભોળાનાથનાં ભક્તોએ પણ મહાનગરપાલિકા તંત્રની આ કામગીરીને બિરદાવી હતી. તેમજ મોટી સંખ્યામાં વેકસીન લેવાની બાકી હોય તેવા લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.
આ અંગે સદર આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર ચાર્મી મદાનીએ જણાવ્યું હતું કે, કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય વેકસીન છે. અને રાજકોટની જનતા પણ આ વાતને સારી રીતે જાણતી હોવાથી મહદઅંશે લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. પરંતુ હજુ અમુક ટકા લોકો લાઈનમાં ઉભા રહેવાનો સમય નહીં હોવાથી કે અન્ય કોઈ કારણસર વેકસીન લેવા આવી શક્યા નથી. ત્યારે આજના પવિત્ર દિવસે અહીં મંદિરે દર્શન કરવા આવતા આવા લોકોને પ્રસાદીરૂપે જ વેકસીન આપવામાં આવી રહી છે. અને ભોળાનાથનાં ભક્તો મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લઇ રહ્યા છે. આ સાથે જ વધુમાં વધુ લોકોને વેકસીન લેવા અપીલ પણ તેમણે કરી હતી.