રીબડામાં યોજાયેલા લોકડાયરામાં સુપ્રસિદ્ધ કલાકારો કિર્તીદાન ગઢવી, ઓસમાણ મીર, બ્રીજરાજદાન ગઢવી, સાંઈરામ દવે સહિતનાએ લોકગીત, ભજન, દેશભક્તિના ગીતની રમઝટ બોલાવી
શ્રોતાઓએ મન મુકીને રૂપિયાનો વરસાદ વરસાવતા સ્ટેજ 20, 50, 100 અને 500ની નોટોથી ઢંકાઈ ગયું હતું
લોકડાયરામાં ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયા હાજર રહ્યા
WatchGujarat. ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે 26મે સુધી શ્રીમદ ભાગવત કથાનાં મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં વ્યાસપીઠ પરથી રમેશ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે. જે અંતર્ગત અહીં ગતરાત્રે લોકડાયરો યોજાયા હતા. જેમાં કલાકારોએ ગીતો અને ભજનોની રમઝટ બોલવતા લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આ દરમિયાન 100 અને 500ની નોટો વરસતા જ્યાં જુઓ ત્યાં તેના ઢગલા જોવા મળ્યા હતા.
રીબડામાં યોજાયેલા લોકડાયરામાં સુપ્રસિદ્ધ કલાકારો કિર્તીદાન ગઢવી, ઓસમાણ મીર, બ્રીજરાજદાન ગઢવી, સાંઈરામ દવે સહિતનાએ લોકગીત, ભજન, દેશભક્તિના ગીતની રમઝટ બોલાવી હતી. જેને લઈ લોકો રીતસર ઝૂમી ઉઠયા હતા. તેમજ મન મુકીને રૂપિયાનો વરસાદ વરસાવતા સ્ટેજ 20, 50, 100 અને 500ની નોટોથી ઢંકાઈ ગયું હતું. આ લોકડાયરામાં ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયા હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રીબડા ખાતે મહીરાજ બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજા દ્વારા ભાઈશ્રીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું શ્રવણ કરવા આસપાસના ગામડાઓમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ કથામાં 23મેને સોમવારે શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ યોજાયો હતો. તેમજ આજે મંગળવારે ગોવર્ધન પૂજા અને 25મેને બુધવારના રોજ રૂક્ષ્મણિ વિવાહ પ્રસંગ યોજાશે. આ સાથે જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા મહોત્સવ દરમિયાન ખાસ સંતવાણી કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે.
શ્રોતાઓએ મન મુકીને રૂપિયાનો વરસાદ વરસાવતા સ્ટેજ 20, 50, 100 અને 500ની નોટોથી ઢંકાઈ ગયું હતું
લોકડાયરામાં ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયા હાજર રહ્યા
WatchGujarat. ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે 26મે સુધી શ્રીમદ ભાગવત કથાનાં મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં વ્યાસપીઠ પરથી રમેશ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે. જે અંતર્ગત અહીં ગતરાત્રે લોકડાયરો યોજાયા હતા. જેમાં કલાકારોએ ગીતો અને ભજનોની રમઝટ બોલવતા લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આ દરમિયાન 100 અને 500ની નોટો વરસતા જ્યાં જુઓ ત્યાં તેના ઢગલા જોવા મળ્યા હતા.
રીબડામાં યોજાયેલા લોકડાયરામાં સુપ્રસિદ્ધ કલાકારો કિર્તીદાન ગઢવી, ઓસમાણ મીર, બ્રીજરાજદાન ગઢવી, સાંઈરામ દવે સહિતનાએ લોકગીત, ભજન, દેશભક્તિના ગીતની રમઝટ બોલાવી હતી. જેને લઈ લોકો રીતસર ઝૂમી ઉઠયા હતા. તેમજ મન મુકીને રૂપિયાનો વરસાદ વરસાવતા સ્ટેજ 20, 50, 100 અને 500ની નોટોથી ઢંકાઈ ગયું હતું. આ લોકડાયરામાં ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયા હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રીબડા ખાતે મહીરાજ બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજા દ્વારા ભાઈશ્રીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું શ્રવણ કરવા આસપાસના ગામડાઓમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ કથામાં 23મેને સોમવારે શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ યોજાયો હતો. તેમજ આજે મંગળવારે ગોવર્ધન પૂજા અને 25મેને બુધવારના રોજ રૂક્ષ્મણિ વિવાહ પ્રસંગ યોજાશે. આ સાથે જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા મહોત્સવ દરમિયાન ખાસ સંતવાણી કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે.