નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેઓ ધારાસભ્ય નહોતા અને મુખ્યપ્રધાન પદ પર યથાવત રહેવા માટે છ મહિનામાં જ ધારાસભ્ય બનવું ફરજીયાત હતું
મોદીને સૌપ્રથમ રાજકોટે MLA બનાવીને વિધાનસભામાં મોકલ્યા હતા
મોદીને રાજકોટમાં જીતાડવા માટે તે સમયના દિગગજ ભાજપના નેતાઓએ પણ સાથ આપ્યો હતો
WatchGujarat. હાલનાં વડાપ્રધાન તેમજ ગુજરાતનાં પૂર્વ મુખ્યપ્રધાન એવા નરેન્દ્ર મોદી માટે રંગીલું રાજકોટ ખૂબ જ ખાસ છે. નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યપ્રધાન બન્યા તે દરમિયાન તેઓ પ્રથમ વખત રાજકોટથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા અને તેઓ 14,000 જેટલા મતોથી વિજયી બન્યા હતા. મોદીને સૌપ્રથમ રાજકોટે MLA બનાવીને વિધાનસભામાં મોકલ્યા હતા. જેને લઈને મોદીના રાજકીય સફરમાં રાજકોટનો બહુમૂલ્ય ફાળો રહ્યો છે. હાલ તેઓ દેશના વડાપ્રધાન છે છતાં પણ આ બાબતનો ઉલ્લેખ કરીને રાજકોટ વાસીઓનો આભાર માનવાનું ચૂકતા નથી.
નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન બન્યા હતા. ત્યારે તેઓ ધારાસભ્ય નહોતા અને મુખ્યપ્રધાન પદ પર યથાવત રહેવા માટે છ મહિનામાં જ ધારાસભ્ય બનવું ફરજીયાત હતું. જેને લઈને તેઓએ રાજકોટથી ચૂંટણી લડવાનું પસંદ કર્યું હતું. દરમિયાન તે સમયનાં રાજકોટ 2ની વિધાનસભા બેઠક પર ચાલુ ધારાસભ્ય એવા વજુભાઇ વાળાએ આ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ પેટાચૂંટણી આવી અને મોદી આ બેઠક પરથી પ્રથમ ચૂંટણી જીતી વિધાનસભામાં ગયા હતા.
રાજકોટ 2 બેઠક જે હાલ રાજકોટ પશ્ચિમ બેઠક તરીકે ઓળખાય છે. તે બેઠક પરથી મોદી પોતાના જીવનની પ્રથમ ધારાસભા ચૂંટણી લડ્યા હતા અને પહેલીવારમાં તેઓ જીતી ગયા હતા. ત્યારે તેમને 14,000 જેટલા મત મળ્યા હતા અને ત્યારબાદ તેઓ વિધાનસભામાં ગયા હતા. જ્યારે મોદીને રાજકોટમાં જીતાડવા માટે તે સમયના દિગગજ ભાજપના નેતાઓએ પણ સાથ આપ્યો હતો. જો કે આ બેઠક પહેલાથી જ ભાજપનો ગઢ માનવામાં આવે છે, માટે મોદી આ બેઠક પરથી હારે તેવો કોઈ સવાલ નહોતો.
નરેન્દ્ર મોદી જ્યારે રાજકોટવાસીઓને કોઈ સંબોધન કરે અથવા રાજકોટમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપે એટલે પહેલા તેઓ રાજકોટના ધારાસભ્ય હતા તે વાત રાજકોટવાસીઓને કહે અને ત્યારબાદ એવું પણ કહે છે કે, હું હરહંમેશ રાજકોટવાસોનો ઋણી રહીશ. આમ PM મોદી આજે પણ આ વાત અને રાજકોટિયનોનાં પ્રેમને ભૂલ્યા નથી. ત્યારે આજે તેમના 71માં બર્થ-ડે નિમિતે રાજકોટ વાસીઓ તરફથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.
નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેઓ ધારાસભ્ય નહોતા અને મુખ્યપ્રધાન પદ પર યથાવત રહેવા માટે છ મહિનામાં જ ધારાસભ્ય બનવું ફરજીયાત હતું
મોદીને સૌપ્રથમ રાજકોટે MLA બનાવીને વિધાનસભામાં મોકલ્યા હતા
મોદીને રાજકોટમાં જીતાડવા માટે તે સમયના દિગગજ ભાજપના નેતાઓએ પણ સાથ આપ્યો હતો
WatchGujarat. હાલનાં વડાપ્રધાન તેમજ ગુજરાતનાં પૂર્વ મુખ્યપ્રધાન એવા નરેન્દ્ર મોદી માટે રંગીલું રાજકોટ ખૂબ જ ખાસ છે. નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યપ્રધાન બન્યા તે દરમિયાન તેઓ પ્રથમ વખત રાજકોટથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા અને તેઓ 14,000 જેટલા મતોથી વિજયી બન્યા હતા. મોદીને સૌપ્રથમ રાજકોટે MLA બનાવીને વિધાનસભામાં મોકલ્યા હતા. જેને લઈને મોદીના રાજકીય સફરમાં રાજકોટનો બહુમૂલ્ય ફાળો રહ્યો છે. હાલ તેઓ દેશના વડાપ્રધાન છે છતાં પણ આ બાબતનો ઉલ્લેખ કરીને રાજકોટ વાસીઓનો આભાર માનવાનું ચૂકતા નથી.
નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન બન્યા હતા. ત્યારે તેઓ ધારાસભ્ય નહોતા અને મુખ્યપ્રધાન પદ પર યથાવત રહેવા માટે છ મહિનામાં જ ધારાસભ્ય બનવું ફરજીયાત હતું. જેને લઈને તેઓએ રાજકોટથી ચૂંટણી લડવાનું પસંદ કર્યું હતું. દરમિયાન તે સમયનાં રાજકોટ 2ની વિધાનસભા બેઠક પર ચાલુ ધારાસભ્ય એવા વજુભાઇ વાળાએ આ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ પેટાચૂંટણી આવી અને મોદી આ બેઠક પરથી પ્રથમ ચૂંટણી જીતી વિધાનસભામાં ગયા હતા.
રાજકોટ 2 બેઠક જે હાલ રાજકોટ પશ્ચિમ બેઠક તરીકે ઓળખાય છે. તે બેઠક પરથી મોદી પોતાના જીવનની પ્રથમ ધારાસભા ચૂંટણી લડ્યા હતા અને પહેલીવારમાં તેઓ જીતી ગયા હતા. ત્યારે તેમને 14,000 જેટલા મત મળ્યા હતા અને ત્યારબાદ તેઓ વિધાનસભામાં ગયા હતા. જ્યારે મોદીને રાજકોટમાં જીતાડવા માટે તે સમયના દિગગજ ભાજપના નેતાઓએ પણ સાથ આપ્યો હતો. જો કે આ બેઠક પહેલાથી જ ભાજપનો ગઢ માનવામાં આવે છે, માટે મોદી આ બેઠક પરથી હારે તેવો કોઈ સવાલ નહોતો.
નરેન્દ્ર મોદી જ્યારે રાજકોટવાસીઓને કોઈ સંબોધન કરે અથવા રાજકોટમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપે એટલે પહેલા તેઓ રાજકોટના ધારાસભ્ય હતા તે વાત રાજકોટવાસીઓને કહે અને ત્યારબાદ એવું પણ કહે છે કે, હું હરહંમેશ રાજકોટવાસોનો ઋણી રહીશ. આમ PM મોદી આજે પણ આ વાત અને રાજકોટિયનોનાં પ્રેમને ભૂલ્યા નથી. ત્યારે આજે તેમના 71માં બર્થ-ડે નિમિતે રાજકોટ વાસીઓ તરફથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.