રાજકોટમાં આવેલ નાની-મોટી 400થી વધુ ખાનગી શાળાઓમાં ફાયર સેફ્ટીના નિયમ મુજબના સાધનો વસાવ્યા બાદ ફાયર એનઓસી માટે અરજી કરવાની સૂચના આપવામાં આવી
ફાયર વિભાગની અલગ અલગ ટીમો દ્વારા તમામ સ્કૂલોમાં ચેકીંગ હાથ ધરી અનેક સ્કૂલોને નોટીસ ફટકારવામાં આવી
આજસુધી આ નોટિસનો જવાબ આપવાની પણ શાળા સંચાલકોએ તસ્દી લીધી નથી
WatchGujarat. હોસ્પિટલોમાં આગની દૂર્ઘટના સર્જાયા બાદ રાજ્ય સરકાર અને હાઈકોર્ટે તમામ હોસ્પિટલો તેમજ શાળા-કોલેજ, બહુમંઝીલા ઈમારતો, હોટલ-રેસ્ટોરન્ટો, કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી મુદ્દે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. ત્યારબાદ મનપાના ફાયર વિભાગે શહેર સ્થિત 400થી વધુ ખાનગી શાળાઓને ફાયર એનઓસી મેળવવા માટે નોટિસ પાઠવી હતી. જે પૈકી 60થી વધુ ખાનગી શાળાએ આજસુધી નોટિસનો જવાબ નહીં આપતા અંતે આ પ્રકારની સ્કૂલો સીલ કરવાનો નિર્ણય મનપાએ લીધો છે. આગામી દિવસોમાં આ બાબતે બેઠક યોજ્યા બાદ ફાઈનલ નિર્ણય લઈ કાર્યવાહી શરૂ કરાશે.
રાજકોટમાં આવેલ નાની-મોટી 400થી વધુ ખાનગી શાળાઓમાં ફાયર સેફ્ટીના નિયમ મુજબના સાધનો વસાવ્યા બાદ ફાયર એનઓસી માટે અરજી કરવાની સૂચના આપવામાં આવી હતી. અને ફાયર વિભાગની અલગ અલગ ટીમો દ્વારા તમામ સ્કૂલોમાં ચેકીંગ હાથ ધરી અનેક સ્કૂલોને નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે 9 મિટરથી ઓછી ઉંચાઈ ધરાવતી અને 500 ચોરસ મીટરથી ઓછી જગ્યામાં બાંધકામ હોય તે પ્રકારની તમામ શાળાઓને ફાયર એનઓસીમાંથી મુકિત આપવામાં આવી છે. પરંતુ, આ શાળાઓમાં નિયમ મુજબ ફાયર સેફ્ટીના સાધનો હોવા ફરજીયાત છે. 9 મિટરથી વધુ ઉંચાઈ ધરાવતી 60થી વધુ ખાનગી શાળાઓને અગાઉ નોટિસ આપવામાં આવી તેવી જ રીતે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ આ પ્રકારની સ્કૂલોને સૂચના આપવામાં આવી હતી.
જોકે આમ છતાં આજસુધી આ નોટિસનો જવાબ આપવાની પણ શાળા સંચાલકોએ તસ્દી લીધી નથી. તેમજ ફાયર એનઓસી માટે અરજી પણ કરી નહીં હોવાથી તમામ શાળાઓ વિરુધ્ધ કડક પગલા ભરવા માટે આગામી દિવસોમાં સંભવત: શાળા સંચાલકોને સાથે રાખી મીટીંગ યોજવામાં આવશે. બાદમાં આવી શાળાઓ સિલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાશે. રાજકોટની ખ્યાતનામ શાળાઓએ ફાયર એનઓસી મેળવી લીધી છે. પણ બાકી રહેલ 60થી વધુ શાળાએ આજસુધી ફાયર એનઓસી માટે અરજી કરી નથી. ફાયર વિભાગની ટીમ દ્વારા આ પ્રકારની શાળાઓમાં ચેકીંગ હાથ ધરતાં માલુમ પડ્યું છે કે મોટાભાગની શાળાઓમાં ફાયર સેફ્ટીના નિયમ મુજબના સાધનો પણ નથી. તેમજ ફાયર એનઓસી મેળવેલ નથી. આથી, થોડા દિવસોમાં તમામ શાળાઓ ઉપર ફાયર વિભાગની તવાઈ ઉતરશે. અને આ માટેની તૈયારીઓ હાલ ચલી રહી છે.
- રાજકોટમાં આવેલ નાની-મોટી 400થી વધુ ખાનગી શાળાઓમાં ફાયર સેફ્ટીના નિયમ મુજબના સાધનો વસાવ્યા બાદ ફાયર એનઓસી માટે અરજી કરવાની સૂચના આપવામાં આવી
- ફાયર વિભાગની અલગ અલગ ટીમો દ્વારા તમામ સ્કૂલોમાં ચેકીંગ હાથ ધરી અનેક સ્કૂલોને નોટીસ ફટકારવામાં આવી
- આજસુધી આ નોટિસનો જવાબ આપવાની પણ શાળા સંચાલકોએ તસ્દી લીધી નથી
WatchGujarat. હોસ્પિટલોમાં આગની દૂર્ઘટના સર્જાયા બાદ રાજ્ય સરકાર અને હાઈકોર્ટે તમામ હોસ્પિટલો તેમજ શાળા-કોલેજ, બહુમંઝીલા ઈમારતો, હોટલ-રેસ્ટોરન્ટો, કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી મુદ્દે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. ત્યારબાદ મનપાના ફાયર વિભાગે શહેર સ્થિત 400થી વધુ ખાનગી શાળાઓને ફાયર એનઓસી મેળવવા માટે નોટિસ પાઠવી હતી. જે પૈકી 60થી વધુ ખાનગી શાળાએ આજસુધી નોટિસનો જવાબ નહીં આપતા અંતે આ પ્રકારની સ્કૂલો સીલ કરવાનો નિર્ણય મનપાએ લીધો છે. આગામી દિવસોમાં આ બાબતે બેઠક યોજ્યા બાદ ફાઈનલ નિર્ણય લઈ કાર્યવાહી શરૂ કરાશે.
રાજકોટમાં આવેલ નાની-મોટી 400થી વધુ ખાનગી શાળાઓમાં ફાયર સેફ્ટીના નિયમ મુજબના સાધનો વસાવ્યા બાદ ફાયર એનઓસી માટે અરજી કરવાની સૂચના આપવામાં આવી હતી. અને ફાયર વિભાગની અલગ અલગ ટીમો દ્વારા તમામ સ્કૂલોમાં ચેકીંગ હાથ ધરી અનેક સ્કૂલોને નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે 9 મિટરથી ઓછી ઉંચાઈ ધરાવતી અને 500 ચોરસ મીટરથી ઓછી જગ્યામાં બાંધકામ હોય તે પ્રકારની તમામ શાળાઓને ફાયર એનઓસીમાંથી મુકિત આપવામાં આવી છે. પરંતુ, આ શાળાઓમાં નિયમ મુજબ ફાયર સેફ્ટીના સાધનો હોવા ફરજીયાત છે. 9 મિટરથી વધુ ઉંચાઈ ધરાવતી 60થી વધુ ખાનગી શાળાઓને અગાઉ નોટિસ આપવામાં આવી તેવી જ રીતે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ આ પ્રકારની સ્કૂલોને સૂચના આપવામાં આવી હતી.
જોકે આમ છતાં આજસુધી આ નોટિસનો જવાબ આપવાની પણ શાળા સંચાલકોએ તસ્દી લીધી નથી. તેમજ ફાયર એનઓસી માટે અરજી પણ કરી નહીં હોવાથી તમામ શાળાઓ વિરુધ્ધ કડક પગલા ભરવા માટે આગામી દિવસોમાં સંભવત: શાળા સંચાલકોને સાથે રાખી મીટીંગ યોજવામાં આવશે. બાદમાં આવી શાળાઓ સિલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાશે. રાજકોટની ખ્યાતનામ શાળાઓએ ફાયર એનઓસી મેળવી લીધી છે. પણ બાકી રહેલ 60થી વધુ શાળાએ આજસુધી ફાયર એનઓસી માટે અરજી કરી નથી. ફાયર વિભાગની ટીમ દ્વારા આ પ્રકારની શાળાઓમાં ચેકીંગ હાથ ધરતાં માલુમ પડ્યું છે કે મોટાભાગની શાળાઓમાં ફાયર સેફ્ટીના નિયમ મુજબના સાધનો પણ નથી. તેમજ ફાયર એનઓસી મેળવેલ નથી. આથી, થોડા દિવસોમાં તમામ શાળાઓ ઉપર ફાયર વિભાગની તવાઈ ઉતરશે. અને આ માટેની તૈયારીઓ હાલ ચલી રહી છે.