રાજકોટ શહેરનાં 150 ફુટ રીંગ રોડ ઉપર નટુએ દિનેશભાઈ પર પથ્થરનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા
દિકરીએ કહેતા જ મહેન્દ્રગીરી પળનો વિલંબ કર્યા વિના નજીકમાં રહેલા એક વોર્ડનને સાથે રાખીને આરોપી જયંતિને પકડવા દોડ્યા
ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસની મદદ કરનાર જાગૃત નાગરિક મહેન્દ્રગીરી ગોસ્વામીને પોલીસ કમિશ્નર દ્વારા સન્માનિત કરાયા
WatchGujarat. ગત તારીખ 4નાં રોજ 150 ફૂટ રિંગ રોડ પર ગોવર્ધન ચોક નજીક પ્રૌઢની પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની ઘટના નજરે જોનાર પુત્રીએ પિતાને કહ્યું પપ્પા આને પકડો' અને પિતાની મદદથી પોલીસે હત્યારા જયંતિ ઉર્ફે નટુ જોટાણીયાને ઝડપી પાડી પર્લ હોસ્પિટલ નજીક દિનેશ સરચાણી નામના વ્યક્તિની થયેલી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મૃતક દિનેશ ખાંટ ફૂટપાથ ઉપર રસ્તામાં આડો સૂતો હતો. અને આરોપી ત્યાંથી પસાર થતા ચાલવા બાબતે બોલાચાલી થતા આ હત્યા કરી હોવાનું આરોપીએ કબૂલ કર્યું છે. આ ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસની મદદ કરનાર જાગૃત નાગરિક મહેન્દ્રગીરી ગોસ્વામીને પોલીસ કમિશ્નર દ્વારા સન્માનિત કરાયા છે.
જાણો શું હતો સમગ્ર મામલો
રાજકોટ શહેરનાં 150 ફુટ રીંગ રોડ ઉપર ખોડીયાર નગરમાં રહેતા મુળ કોટડા સાંગાણીનાં નાની મેંગણી ગામનાં 45 વર્ષીય દિનેશભાઈ પોપટભાઈ સરમાની રાત્રે ગૌવર્ધન ચોક પાસે ફૂટપાથ ઉપર સુતા હતા. દરમિયાન આરોપી જયંતિ ઉર્ફે નટુ જોટાણીયા ત્યાંથી પસાર થતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને લઈ ઉશ્કેરાયેલા નટુએ દિનેશભાઈ પર પથ્થરનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ ઘટના દરમિયાન મહેન્દ્રગીરી ગોસ્વામી તેની દિકરી સાથે ચાલવા નીકળ્યા હતા. તે સમયે અફરાતફરીનો માહોલ હતો. અને હત્યારો જયંતિ ફરાર થઇ રહ્યો હતો. આ જોઈને મહેન્દ્રગિરીની દિકરીએ પિતાને કહ્યું હતું કે, પપ્પા આને પકડો' જેને લઈ મહેન્દ્રગીરી પળનો વિલંબ કર્યા વિના નજીકમાં રહેલા એક વોર્ડનને સાથે રાખીને આરોપી જયંતિને પકડવા દોડ્યા હતા. તેમજ સ્થાનિક પોલીસને જાણ કરી તેને પકડી પાડ્યો હતો. આ બાબતે ખુદ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જ મહેન્દ્રગિરીની બહાદુરીને બિરદાવી, પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કર્યું હતું.
રાજકોટ શહેરનાં 150 ફુટ રીંગ રોડ ઉપર નટુએ દિનેશભાઈ પર પથ્થરનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા
દિકરીએ કહેતા જ મહેન્દ્રગીરી પળનો વિલંબ કર્યા વિના નજીકમાં રહેલા એક વોર્ડનને સાથે રાખીને આરોપી જયંતિને પકડવા દોડ્યા
WatchGujarat. ગત તારીખ 4નાં રોજ 150 ફૂટ રિંગ રોડ પર ગોવર્ધન ચોક નજીક પ્રૌઢની પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની ઘટના નજરે જોનાર પુત્રીએ પિતાને કહ્યું પપ્પા આને પકડો' અને પિતાની મદદથી પોલીસે હત્યારા જયંતિ ઉર્ફે નટુ જોટાણીયાને ઝડપી પાડી પર્લ હોસ્પિટલ નજીક દિનેશ સરચાણી નામના વ્યક્તિની થયેલી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મૃતક દિનેશ ખાંટ ફૂટપાથ ઉપર રસ્તામાં આડો સૂતો હતો. અને આરોપી ત્યાંથી પસાર થતા ચાલવા બાબતે બોલાચાલી થતા આ હત્યા કરી હોવાનું આરોપીએ કબૂલ કર્યું છે. આ ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસની મદદ કરનાર જાગૃત નાગરિક મહેન્દ્રગીરી ગોસ્વામીને પોલીસ કમિશ્નર દ્વારા સન્માનિત કરાયા છે.
જાણો શું હતો સમગ્ર મામલો
રાજકોટ શહેરનાં 150 ફુટ રીંગ રોડ ઉપર ખોડીયાર નગરમાં રહેતા મુળ કોટડા સાંગાણીનાં નાની મેંગણી ગામનાં 45 વર્ષીય દિનેશભાઈ પોપટભાઈ સરમાની રાત્રે ગૌવર્ધન ચોક પાસે ફૂટપાથ ઉપર સુતા હતા. દરમિયાન આરોપી જયંતિ ઉર્ફે નટુ જોટાણીયા ત્યાંથી પસાર થતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને લઈ ઉશ્કેરાયેલા નટુએ દિનેશભાઈ પર પથ્થરનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ ઘટના દરમિયાન મહેન્દ્રગીરી ગોસ્વામી તેની દિકરી સાથે ચાલવા નીકળ્યા હતા. તે સમયે અફરાતફરીનો માહોલ હતો. અને હત્યારો જયંતિ ફરાર થઇ રહ્યો હતો. આ જોઈને મહેન્દ્રગિરીની દિકરીએ પિતાને કહ્યું હતું કે, પપ્પા આને પકડો' જેને લઈ મહેન્દ્રગીરી પળનો વિલંબ કર્યા વિના નજીકમાં રહેલા એક વોર્ડનને સાથે રાખીને આરોપી જયંતિને પકડવા દોડ્યા હતા. તેમજ સ્થાનિક પોલીસને જાણ કરી તેને પકડી પાડ્યો હતો. આ બાબતે ખુદ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જ મહેન્દ્રગિરીની બહાદુરીને બિરદાવી, પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કર્યું હતું.