ભાવિકા શર્માના લગ્ન 3 મહિના અગાઉ આહીર સમાજનાં એક યુવક ચિરાગ બલદાનીયા સાથે થયા હતા
લગ્નના 15-20 દિવસ બાદ સાસરિયાં પક્ષ દ્વારા માનસિક ત્રાસ તેમજ દિયર દ્વારા પણ રિલેશનશિપ રાખવા અંગે ત્રાસ આપવામાં આવતો
પરિવારજનો આજે બપોરે રાજકોટ સિવિલ હોસ્પિટલે યુવતિની ડેડ બોડીને લઇને પહોંચ્યા
WatchGujarat. જિલ્લાનાં ગોંડલનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્નના ફક્ત 3 મહિના બાદ યુવતિનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. સાસરિયાઓએ વહુને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી હોવાનો આક્ષેપ યુવતિનાં પરિવારે લગાવ્યો છે. આ મામલે આજે સિંધી સમાજનાં લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે ન્યાયની માંગ સાથે એકઠા થયા હતા. અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગત અનુસાર, ભાવિકા શર્માના લગ્ન 3 મહિના અગાઉ આહીર સમાજનાં એક યુવક ચિરાગ બલદાનીયા સાથે થયા હતા. આ લગ્નના 15-20 દિવસ બાદ સાસરિયાં પક્ષ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ દિયર દ્વારા પણ રિલેશનશિપ રાખવા અંગે ત્રાસ આપવામાં આવતો હતો. આ અંગેની જાણ યુવતીએ તેના માતાને પણ કરી હતી. ગઈકાલે રાતે પણ યુવતીને અતિશય માર મારતા તેનું મૃત્યુ થયા હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ આ મામલાને ગોંડલ પોલીસ છાવરતી હોય તેવા પણ આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે.
પરિવારજનો આજે બપોરે રાજકોટ સિવિલ હોસ્પિટલે યુવતિની ડેડ બોડીને લઇને પહોંચ્યા હતા. તેમજ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ન્યાયની માંગ સાથે પરિવારજનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી દીકરીને ન્યાય નહીં મળે ત્યારે સુધી અમે તેની ડેડ બોડી નહીં સ્વીકારીએ. જોકે હાલ તો પરિવારજનો દ્વારા પીએમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે. પીએમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે કે આખરે યુવતિનું મોત ક્યાં કારણોસર થયું છે.
ભાવિકા શર્માના લગ્ન 3 મહિના અગાઉ આહીર સમાજનાં એક યુવક ચિરાગ બલદાનીયા સાથે થયા હતા
લગ્નના 15-20 દિવસ બાદ સાસરિયાં પક્ષ દ્વારા માનસિક ત્રાસ તેમજ દિયર દ્વારા પણ રિલેશનશિપ રાખવા અંગે ત્રાસ આપવામાં આવતો
WatchGujarat. જિલ્લાનાં ગોંડલનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્નના ફક્ત 3 મહિના બાદ યુવતિનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. સાસરિયાઓએ વહુને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી હોવાનો આક્ષેપ યુવતિનાં પરિવારે લગાવ્યો છે. આ મામલે આજે સિંધી સમાજનાં લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે ન્યાયની માંગ સાથે એકઠા થયા હતા. અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગત અનુસાર, ભાવિકા શર્માના લગ્ન 3 મહિના અગાઉ આહીર સમાજનાં એક યુવક ચિરાગ બલદાનીયા સાથે થયા હતા. આ લગ્નના 15-20 દિવસ બાદ સાસરિયાં પક્ષ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ દિયર દ્વારા પણ રિલેશનશિપ રાખવા અંગે ત્રાસ આપવામાં આવતો હતો. આ અંગેની જાણ યુવતીએ તેના માતાને પણ કરી હતી. ગઈકાલે રાતે પણ યુવતીને અતિશય માર મારતા તેનું મૃત્યુ થયા હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ આ મામલાને ગોંડલ પોલીસ છાવરતી હોય તેવા પણ આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે.
પરિવારજનો આજે બપોરે રાજકોટ સિવિલ હોસ્પિટલે યુવતિની ડેડ બોડીને લઇને પહોંચ્યા હતા. તેમજ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ન્યાયની માંગ સાથે પરિવારજનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી દીકરીને ન્યાય નહીં મળે ત્યારે સુધી અમે તેની ડેડ બોડી નહીં સ્વીકારીએ. જોકે હાલ તો પરિવારજનો દ્વારા પીએમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે. પીએમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે કે આખરે યુવતિનું મોત ક્યાં કારણોસર થયું છે.