આવાસ યોજનામાં જે આસામીઓએ આવાસ ખરીઘા નથી તેવા બંધ પડેલા આવાસમાં તાળુ તોડીને કેટલાક લોકો ગેરકાયદેસર પ્રવેશ કરતા હોવાનું જાણવા મળ્યું
યોગ્ય સાફ સફાઇ રાખવા તેમજ તેમાં કોઇપણ ગેરકાયદેસર વ્યક્તિ ન પ્રવેશે અને જો પ્રવેશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ
કેટલાક કિસ્સાઓમાં એવું જાણવા મળ્યું છે કે આવાસના હપ્તાઓ ન ભરી શકવાને કારણે આવાસનો કબ્જો લેવામાં આવી રહ્યો નથી
Watchguarat. શહેરની જુદી-જુદી આવાસ યોજનાનાં ક્વાર્ટરમાં ગેરકાયદેસર કબ્જો થતો હોવાની કેટલીક ફરિયાદો મનપા તંત્રને મળી હતી. જેને પગલે ગઈકાલે મ્યુ. અમિત અરોરાએ આવાસ યોજઓનાં ક્વાર્ટરોની સ્થળ મુલાકાત લીધી હતી. બાદમાં અધિકારીઓની સાથે એક રિવ્યુ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં તાળા તોડી ગેરકાયદેસર પ્રવેશ કરનાર આસામીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી છે.
મ્યુ. કમિશ્નરે જણાવ્યા મુજબ, કેટલીક બાબતો ધ્યાને આવી છે. જેમાં આવાસ યોજનામાં જે આસામીઓએ આવાસ ખરીઘા નથી તેવા બંધ પડેલા આવાસમાં તાળુ તોડીને કેટલાક લોકો ગેરકાયદેસર પ્રવેશ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા હેતુથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવનાર છે.
અમિત અરોરાએ કાલાવડ રોડ પરની વામ્બે આવાસ યોજના,સાઘુ વાસવાણી રોડ પર આવેલી રાજીવ આવાસ યોજના, મોરબી રોડ પર આવેલી ક્રાંતિકારી ચંદ્રશેખર આવાસ યોજના અને કુવાડવા રોડ પર આવેલી આવાસ યોજનાની મુલાકાત લીઘી હતી. આ મુલાકાતમાં જુદી-જુદી આવાસ યોજનામાં અંદાજિત 660 જેટલા આવાસ ખાલી હોવાનું સામે આવ્યું છે. જેમાં યોગ્ય સાફ સફાઇ રાખવા તેમજ તેમાં કોઇપણ ગેરકાયદેસર વ્યક્તિ ન પ્રવેશે અને જો પ્રવેશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
નોંધનીય છે કે, કોરોનાકાળની સૌથી વધુ માઠી અસર આવાસ યોજનાઓ ઉપર પડી છે. શહેરમાં આવાસ યોજનાના ફોર્મ બહાર પાડવામાં આવ્યા તો લોકોએ તેમાં નિરુત્સાહ દેખાડ્યો હતો. કેટલાક કિસ્સાઓમાં એવું જાણવા મળ્યું છે કે આવાસના હપ્તાઓ ન ભરી શકવાને કારણે આવાસનો કબ્જો લેવામાં આવી રહ્યો નથી. જેના કારણે આવા આવાસોની ફાળવણી થઇ હોવા છતા બંધ પડેલા છે. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા યોજાયેલી રિવ્યુ બેઠકમાં ડે. કમિશ્નર એ. આર. સિંઘ, આવાસ યોજનના ઇન્ચાર્જ ઇજનેર એસ.બી.છૈયા, પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર, મ્યુ. કમિશ્નર પીએ રસિક રૈયાણી, ડે. ઇજનેર પી.ટી,પટેલ, આસી.મેનેજર કૌશિક ઉનાવા ઉપરાંત નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવેર હાજર રહ્યા હતા.
આવાસ યોજનામાં જે આસામીઓએ આવાસ ખરીઘા નથી તેવા બંધ પડેલા આવાસમાં તાળુ તોડીને કેટલાક લોકો ગેરકાયદેસર પ્રવેશ કરતા હોવાનું જાણવા મળ્યું
યોગ્ય સાફ સફાઇ રાખવા તેમજ તેમાં કોઇપણ ગેરકાયદેસર વ્યક્તિ ન પ્રવેશે અને જો પ્રવેશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ
કેટલાક કિસ્સાઓમાં એવું જાણવા મળ્યું છે કે આવાસના હપ્તાઓ ન ભરી શકવાને કારણે આવાસનો કબ્જો લેવામાં આવી રહ્યો નથી
Watchguarat. શહેરની જુદી-જુદી આવાસ યોજનાનાં ક્વાર્ટરમાં ગેરકાયદેસર કબ્જો થતો હોવાની કેટલીક ફરિયાદો મનપા તંત્રને મળી હતી. જેને પગલે ગઈકાલે મ્યુ. અમિત અરોરાએ આવાસ યોજઓનાં ક્વાર્ટરોની સ્થળ મુલાકાત લીધી હતી. બાદમાં અધિકારીઓની સાથે એક રિવ્યુ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં તાળા તોડી ગેરકાયદેસર પ્રવેશ કરનાર આસામીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી છે.
મ્યુ. કમિશ્નરે જણાવ્યા મુજબ, કેટલીક બાબતો ધ્યાને આવી છે. જેમાં આવાસ યોજનામાં જે આસામીઓએ આવાસ ખરીઘા નથી તેવા બંધ પડેલા આવાસમાં તાળુ તોડીને કેટલાક લોકો ગેરકાયદેસર પ્રવેશ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા હેતુથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવનાર છે.
અમિત અરોરાએ કાલાવડ રોડ પરની વામ્બે આવાસ યોજના,સાઘુ વાસવાણી રોડ પર આવેલી રાજીવ આવાસ યોજના, મોરબી રોડ પર આવેલી ક્રાંતિકારી ચંદ્રશેખર આવાસ યોજના અને કુવાડવા રોડ પર આવેલી આવાસ યોજનાની મુલાકાત લીઘી હતી. આ મુલાકાતમાં જુદી-જુદી આવાસ યોજનામાં અંદાજિત 660 જેટલા આવાસ ખાલી હોવાનું સામે આવ્યું છે. જેમાં યોગ્ય સાફ સફાઇ રાખવા તેમજ તેમાં કોઇપણ ગેરકાયદેસર વ્યક્તિ ન પ્રવેશે અને જો પ્રવેશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
નોંધનીય છે કે, કોરોનાકાળની સૌથી વધુ માઠી અસર આવાસ યોજનાઓ ઉપર પડી છે. શહેરમાં આવાસ યોજનાના ફોર્મ બહાર પાડવામાં આવ્યા તો લોકોએ તેમાં નિરુત્સાહ દેખાડ્યો હતો. કેટલાક કિસ્સાઓમાં એવું જાણવા મળ્યું છે કે આવાસના હપ્તાઓ ન ભરી શકવાને કારણે આવાસનો કબ્જો લેવામાં આવી રહ્યો નથી. જેના કારણે આવા આવાસોની ફાળવણી થઇ હોવા છતા બંધ પડેલા છે. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા યોજાયેલી રિવ્યુ બેઠકમાં ડે. કમિશ્નર એ. આર. સિંઘ, આવાસ યોજનના ઇન્ચાર્જ ઇજનેર એસ.બી.છૈયા, પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર, મ્યુ. કમિશ્નર પીએ રસિક રૈયાણી, ડે. ઇજનેર પી.ટી,પટેલ, આસી.મેનેજર કૌશિક ઉનાવા ઉપરાંત નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવેર હાજર રહ્યા હતા.