રાજકોટના પુરવઠા વિભાગને 32 જેટલા વેપારીઓ નકલી સોફ્ટવેરથી સસ્તા અનાજનું અનાજ બરોબર વેંચી દેવાનું કૌભાંડ આચરતા હોવાની માહિત મળી
પુરવઠા વિભાગે તપાસ કરતા 100 જેટલા વેપારીઓની સંડોવણી સામે આવી
આધાર પુરાવાનો નાશ કરી દેવામાં આવ્યો હોય તેવી શક્યતા નકારી શકાય એમ નથી
WatchGujarat. સાબરકાંઠા જિલ્લામાંથી નકલી સોફ્ટવેર દ્વારા ચાલતા સસ્તા અનાજનાં કૌભાંડનાં તાર રાજકોટ સુધી લંબાયા છે. જેને લઇને રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જિલ્લાના પુરવઠા અધિકારીને તપાસના આદેશ આપ્યા હતા. દરમિયાન રાજકોટમાં 100 વેપારીઓ આ નકલી સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. સાથે વેપારીઓએ ચેકિંગથી બચવા માટે આ નકલી સોફ્ટવેરનું નામ ‘ઢીંગલી’ રાખ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના પુરવઠા વિભાગને જ 32 જેટલા વેપારીઓ નકલી સોફ્ટવેરથી રાજકોટમાં સસ્તા અનાજનું અનાજ બરોબર વેંચી દેવાનું કૌભાંડ આચરતા હોવાની માહિતી આપી હતી. જેને લઈને પુરવઠા વિભાગે તપાસ કરતા 32 નહિ પરંતુ 100 જેટલા વેપારીઓ આ બોગસ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. પુરવઠા અને પોલીસના ચેકિંગમાં વેપારીઓ ઝડપાય નહિ તે માટે વેપારીઓ દ્વારા સોફ્ટવેરનું નામ ‘ઢીંગલી’ રાખવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા તપાસ કરનારા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.
તા. 19 ઓગસ્ટના રોજ ગાંધીનગર પુરવઠા નિયામકે રાજકોટ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવીને 32 વેપારીઓ સામે તપાસ કરવા આદેશ કર્યો હતો. જોકે, તપાસનું પેપર ફૂટી ગયું હતું. જેથી રાજકોટમાં તપાસ આવે તે પહેલાં વેપારીઓ સતર્ક થઈ ગયા હતા અને કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઇલમાંથી એપ્લિકેશનો દૂર કરી દીધી હતી. આધાર પુરાવાનો નાશ કરી દેવામાં આવ્યો હોય તેવી શક્યતા નકારી શકાય એમ નથી.
મોબાઈલ એપ્લિકેશનથી અનાજ કૌભાંડ આચરતા
રેશનકાર્ડ ધારકોના નામ, આધારકાર્ડ તેમજ ફિંગર પ્રિન્ટનો ‘ગેમ સ્કેન’ અને ‘સેવડેટા’ નામના સોફ્ટવેરનો મોબાઈલ એપ્લિકેશન તરીકે ઉપયોગ કરી કાર્ડધારકોના નામે સરકારી અનાજના ખોટા બિલ બનાવીને અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતું હતું. જેમાં અત્યાર સુધીમાં અંદાજિત 100 જેટલા વેપારીઓએ કરોડો રૂપિયાનું સસ્તા અનાજનું વેચાણ કર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- રાજકોટના પુરવઠા વિભાગને 32 જેટલા વેપારીઓ નકલી સોફ્ટવેરથી સસ્તા અનાજનું અનાજ બરોબર વેંચી દેવાનું કૌભાંડ આચરતા હોવાની માહિત મળી
- પુરવઠા વિભાગે તપાસ કરતા 100 જેટલા વેપારીઓની સંડોવણી સામે આવી
- આધાર પુરાવાનો નાશ કરી દેવામાં આવ્યો હોય તેવી શક્યતા નકારી શકાય એમ નથી
WatchGujarat. સાબરકાંઠા જિલ્લામાંથી નકલી સોફ્ટવેર દ્વારા ચાલતા સસ્તા અનાજનાં કૌભાંડનાં તાર રાજકોટ સુધી લંબાયા છે. જેને લઇને રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જિલ્લાના પુરવઠા અધિકારીને તપાસના આદેશ આપ્યા હતા. દરમિયાન રાજકોટમાં 100 વેપારીઓ આ નકલી સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. સાથે વેપારીઓએ ચેકિંગથી બચવા માટે આ નકલી સોફ્ટવેરનું નામ ‘ઢીંગલી’ રાખ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના પુરવઠા વિભાગને જ 32 જેટલા વેપારીઓ નકલી સોફ્ટવેરથી રાજકોટમાં સસ્તા અનાજનું અનાજ બરોબર વેંચી દેવાનું કૌભાંડ આચરતા હોવાની માહિતી આપી હતી. જેને લઈને પુરવઠા વિભાગે તપાસ કરતા 32 નહિ પરંતુ 100 જેટલા વેપારીઓ આ બોગસ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. પુરવઠા અને પોલીસના ચેકિંગમાં વેપારીઓ ઝડપાય નહિ તે માટે વેપારીઓ દ્વારા સોફ્ટવેરનું નામ ‘ઢીંગલી’ રાખવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા તપાસ કરનારા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.
તા. 19 ઓગસ્ટના રોજ ગાંધીનગર પુરવઠા નિયામકે રાજકોટ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવીને 32 વેપારીઓ સામે તપાસ કરવા આદેશ કર્યો હતો. જોકે, તપાસનું પેપર ફૂટી ગયું હતું. જેથી રાજકોટમાં તપાસ આવે તે પહેલાં વેપારીઓ સતર્ક થઈ ગયા હતા અને કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઇલમાંથી એપ્લિકેશનો દૂર કરી દીધી હતી. આધાર પુરાવાનો નાશ કરી દેવામાં આવ્યો હોય તેવી શક્યતા નકારી શકાય એમ નથી.
મોબાઈલ એપ્લિકેશનથી અનાજ કૌભાંડ આચરતા
રેશનકાર્ડ ધારકોના નામ, આધારકાર્ડ તેમજ ફિંગર પ્રિન્ટનો ‘ગેમ સ્કેન’ અને ‘સેવડેટા’ નામના સોફ્ટવેરનો મોબાઈલ એપ્લિકેશન તરીકે ઉપયોગ કરી કાર્ડધારકોના નામે સરકારી અનાજના ખોટા બિલ બનાવીને અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતું હતું. જેમાં અત્યાર સુધીમાં અંદાજિત 100 જેટલા વેપારીઓએ કરોડો રૂપિયાનું સસ્તા અનાજનું વેચાણ કર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.