લોધા સમાજના અગ્રણી ભરતભાઈ ઉમેદભાઈ જરીયા આનંદ બંગલા ચોક ખાતે આવેલા જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા
અચાનક ઢળી પડતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
પુત્રના મોતના સમાચાર સાંભળતાની સાથે જ માતાને પણ આઘાત લાગ્યો
WatchGujarat. કમુરતા પૂર્ણ થતા લગ્નસરાની સિઝન શરૂ થઈ છે. ત્યારે શહેરમાં દીકરીના લગ્ન પહેલાં જ તેણીના પિતાનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સાંભળીને વયોવૃદ્ધ દાદી પણ બેભાન બની જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અને થોડા દિવસ બાદ જે આંગણે શરણાઈના સુર રેલાઈ જવાનાં હતા ત્યાં હાલ માતમ છવાઈ ગયો છે.
જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના વિજય પ્લોટ ખાતે રહેતા તેમજ લોધા સમાજના અગ્રણી ભરતભાઈ ઉમેદભાઈ જરીયા આનંદ બંગલા ચોક ખાતે આવેલા જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક ઢળી પડતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસની સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
બીજીતરફ પુત્રના મોતના સમાચાર સાંભળતાની સાથે જ માતાને પણ આઘાત લાગ્યો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ભરતભાઈનાં વયોવૃદ્ધ માતાને બેભાન થઈ જતા હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે પરિવારમાં હાલ ગમગીનીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ભરતભાઈ જરીયા લોધા સમાજના અગ્રણી છે. અઠવાડિયા બાદ તેમની પુત્રી અને ભત્રીજીના લગ્ન છે. ત્યારે દીકરી ના લગ્ન પૂર્વે તેના બાબુલનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
લોધા સમાજના અગ્રણી ભરતભાઈ ઉમેદભાઈ જરીયા આનંદ બંગલા ચોક ખાતે આવેલા જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા
અચાનક ઢળી પડતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
પુત્રના મોતના સમાચાર સાંભળતાની સાથે જ માતાને પણ આઘાત લાગ્યો
WatchGujarat. કમુરતા પૂર્ણ થતા લગ્નસરાની સિઝન શરૂ થઈ છે. ત્યારે શહેરમાં દીકરીના લગ્ન પહેલાં જ તેણીના પિતાનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સાંભળીને વયોવૃદ્ધ દાદી પણ બેભાન બની જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અને થોડા દિવસ બાદ જે આંગણે શરણાઈના સુર રેલાઈ જવાનાં હતા ત્યાં હાલ માતમ છવાઈ ગયો છે.
જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના વિજય પ્લોટ ખાતે રહેતા તેમજ લોધા સમાજના અગ્રણી ભરતભાઈ ઉમેદભાઈ જરીયા આનંદ બંગલા ચોક ખાતે આવેલા જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક ઢળી પડતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસની સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
બીજીતરફ પુત્રના મોતના સમાચાર સાંભળતાની સાથે જ માતાને પણ આઘાત લાગ્યો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ભરતભાઈનાં વયોવૃદ્ધ માતાને બેભાન થઈ જતા હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે પરિવારમાં હાલ ગમગીનીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ભરતભાઈ જરીયા લોધા સમાજના અગ્રણી છે. અઠવાડિયા બાદ તેમની પુત્રી અને ભત્રીજીના લગ્ન છે. ત્યારે દીકરી ના લગ્ન પૂર્વે તેના બાબુલનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.