શહેરમાં દિવાળીનાં તહેવારોમાં ઘણી છૂટછાટ મળી હતી. જેનો લોકોએ પણ ભરપૂર લાભ લીધો હતો
છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે, અને વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પણ વરસી રહ્યો છે
હાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી હોવાથી શરદીનાં તેમજ ઉધરસનાં કેસોની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ તેમ છતાં કોઈપણ ગફલતમાં રહ્યા વિના લોકોએ ટેસ્ટ કરાવી લેવો જોઈએ
WatchGujarat. બીજી લહેર બાદ મહદઅંશે કાબુમાં આવી ગયેલો કોરોના દિવાળીનાં તહેવારોમાં મળેલી છૂટછાટ બાદ ધીમે-ધીમે માથું ઊંચકી રહ્યો છે. અને દરરોજનાં બે-ત્રણ નવા કેસો સામે આવી રહ્યા છે. જેને લઈને હવે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. અને શરદી અને કફના દર્દીઓને પણ કોરોનાનો ટેસ્ટ કરાવવાની અપીલ કરવામાં આવી છે. સાથે આ માટે તમામ આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
https://youtu.be/iEPWE3Ic6-E
આ અંગે આરોગ્ય અધિકારી વાંઝાએ જણાવ્યું હતું કે, હાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી હોવાથી શરદીનાં તેમજ ઉધરસનાં કેસોની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ તેમ છતાં કોઈપણ ગફલતમાં રહ્યા વિના લોકોએ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. તમામ આરોગ્ય કેન્દ્રોની સાથે જ સરકારી હોસ્પિટલમાં પણ આ માટેની વ્યવસ્થા કરાઈ છે. એટલું જ નહીં જરૂર મુજબની દવાઓ પણ તમામ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી છે. દિવાળી પછીની રજાઓ બાદ છેલ્લા ત્રણેક દિવસથી દરરોજ બે-ત્રણ કેસ સામે આવવા લાગ્યા છે. ત્યારે લોકોએ જાગૃત થઈ ટેસ્ટ કરાવવા માટે આગળ આવવું જરૂરી છે.
છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. જેને લઈને મચ્છરજન્ય રોગચાળો મેલેરિયા અને ડેંગ્યુનો ફેલાવો વધવાની દહેશત પણ ઉભી થઇ છે. ત્યારે આ અંગે લોકોએ મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે જરૂરી પગલાંઓ લેવા જોઈએ. સાથે બાળકોને બહાર રમવા કે શાળાએ મોકલતી વખતે ફૂલ સ્લીવનાં કપડાં તેમજ મચ્છર વિરોધી ક્રીમ લગાવવાની સલાહ પણ તેમણે આપી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં દિવાળીનાં તહેવારોમાં ઘણી છૂટછાટ મળી હતી. જેનો લોકોએ પણ ભરપૂર લાભ લીધો હતો. જેના ફળ સ્વરૂપે છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા સપ્તાહથી દરરોજનાં બે-ત્રણ કેસ નવા નોંધાઈ રહ્યા છે. અને સપ્તાહમાં સારવારમાં રહેલા દર્દીઓની સંખ્યા ડબલ થઈ ચૂકી છે. જેને લઈને હવે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અને રેલવે-બસ સ્ટેશનો ઉપરાંત એરપોર્ટ પર પણ બહારથી આવતા મુસાફરોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે લોકો પણ જો જરૂરી સાથ-સહકાર આપશે તો કોરોનાની ત્રીજી લહેરને ચોક્કસ રોકી શકાશે.
- શહેરમાં દિવાળીનાં તહેવારોમાં ઘણી છૂટછાટ મળી હતી. જેનો લોકોએ પણ ભરપૂર લાભ લીધો હતો
- છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે, અને વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પણ વરસી રહ્યો છે
- હાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી હોવાથી શરદીનાં તેમજ ઉધરસનાં કેસોની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ તેમ છતાં કોઈપણ ગફલતમાં રહ્યા વિના લોકોએ ટેસ્ટ કરાવી લેવો જોઈએ
WatchGujarat. બીજી લહેર બાદ મહદઅંશે કાબુમાં આવી ગયેલો કોરોના દિવાળીનાં તહેવારોમાં મળેલી છૂટછાટ બાદ ધીમે-ધીમે માથું ઊંચકી રહ્યો છે. અને દરરોજનાં બે-ત્રણ નવા કેસો સામે આવી રહ્યા છે. જેને લઈને હવે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. અને શરદી અને કફના દર્દીઓને પણ કોરોનાનો ટેસ્ટ કરાવવાની અપીલ કરવામાં આવી છે. સાથે આ માટે તમામ આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
આ અંગે આરોગ્ય અધિકારી વાંઝાએ જણાવ્યું હતું કે, હાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી હોવાથી શરદીનાં તેમજ ઉધરસનાં કેસોની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ તેમ છતાં કોઈપણ ગફલતમાં રહ્યા વિના લોકોએ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. તમામ આરોગ્ય કેન્દ્રોની સાથે જ સરકારી હોસ્પિટલમાં પણ આ માટેની વ્યવસ્થા કરાઈ છે. એટલું જ નહીં જરૂર મુજબની દવાઓ પણ તમામ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી છે. દિવાળી પછીની રજાઓ બાદ છેલ્લા ત્રણેક દિવસથી દરરોજ બે-ત્રણ કેસ સામે આવવા લાગ્યા છે. ત્યારે લોકોએ જાગૃત થઈ ટેસ્ટ કરાવવા માટે આગળ આવવું જરૂરી છે.
છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. જેને લઈને મચ્છરજન્ય રોગચાળો મેલેરિયા અને ડેંગ્યુનો ફેલાવો વધવાની દહેશત પણ ઉભી થઇ છે. ત્યારે આ અંગે લોકોએ મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે જરૂરી પગલાંઓ લેવા જોઈએ. સાથે બાળકોને બહાર રમવા કે શાળાએ મોકલતી વખતે ફૂલ સ્લીવનાં કપડાં તેમજ મચ્છર વિરોધી ક્રીમ લગાવવાની સલાહ પણ તેમણે આપી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં દિવાળીનાં તહેવારોમાં ઘણી છૂટછાટ મળી હતી. જેનો લોકોએ પણ ભરપૂર લાભ લીધો હતો. જેના ફળ સ્વરૂપે છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા સપ્તાહથી દરરોજનાં બે-ત્રણ કેસ નવા નોંધાઈ રહ્યા છે. અને સપ્તાહમાં સારવારમાં રહેલા દર્દીઓની સંખ્યા ડબલ થઈ ચૂકી છે. જેને લઈને હવે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અને રેલવે-બસ સ્ટેશનો ઉપરાંત એરપોર્ટ પર પણ બહારથી આવતા મુસાફરોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે લોકો પણ જો જરૂરી સાથ-સહકાર આપશે તો કોરોનાની ત્રીજી લહેરને ચોક્કસ રોકી શકાશે.