પીડીયુ મેડિકલ કોલેજ-રાજકોટને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
દર્દીઓની આ હેરાનગતિ સરકાર સુધી પહોંચી ગઈ હોય તેવી રીતે હવે તેમણે સિવિલમાં આમ-તેમ ભટકવું ન પડે તે માટે ‘હેલ્પ ડેસ્ક’ શરૂ કરવામાં આવશે
રાજકોટ ઉપરાંત જામનગર અને અમદાવાદ સિવિલને પણ આ એવોર્ડ મળ્યો
WatchGujarat. સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 6873 માં-આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલનાં તંત્રની આ સર્વોત્તમ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં ગાંધીનગર સિવિલના અસ્મિતા ભવન ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતનાની હાજરીમાં આ એવોર્ડ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ આર. એસ. ત્રિવેદીને અપાયો હતો. બીજીતરફ સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાઓને આમતેમ ભટકવું ન પડે તે માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવાનો નિર્ણય પણ તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
સિવિલ સુપ્રિ. ડો.આર.એસ.ત્રિવેદીનાં જણાવ્યા મુજબ ગાંધીનગર સિવિલના અસ્મિતા ભવન ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી પ્રદીપ પરમાર, આરોગ્ય વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર તેમજ રાજકોટના પૂર્વ કલેક્ટર રેમ્યા મોહન સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીડીયુ મેડિકલ કોલેજ-રાજકોટને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ એક વર્ષની અંદર 6873 જેટલા દર્દીઓને મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી બદલ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમ મા-આયુષ્યમાન કાર્ડની યોજનાનું ચોથું વર્ષ શરૂ થઈ રહ્યું હોય તેના માનમાં યોજાયો હતો. રાજકોટ ઉપરાંત જામનગર અને અમદાવાદ સિવિલને પણ આ એવોર્ડ મળ્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું.
દર્દીઓની આ હેરાનગતિ સરકાર સુધી પહોંચી ગઈ હોય તેવી રીતે હવે તેમણે સિવિલમાં આમ-તેમ ભટકવું ન પડે તે માટે ‘હેલ્પ ડેસ્ક’ શરૂ કરવામાં આવશે મતલબ કે હવે સિવિલમાં આવનારી દરેક વ્યક્તિ આ ડેસ્ક ઉપર આવીને કયો વિભાગ ક્યાં આવેલો છે તેની જાણ મેળવી શકશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવનાર છે. આ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં મળેલી બેઠકમાં સરકાર દ્વારા રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં ‘ગ્રીન કોરિડોર’ મતલબ કે હેલ્પ ડેસ્ક તેમજ પબ્લીક રિલેશન ઓફિસર (પીઆરઓ)ની નિમણૂકને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ટૂંક સમયમાં હોસ્પિટલની અંદર આ હેલ્પ ડેસ્ક શરૂ કરી દેવામાં આવશે.
આ હેલ્પ ડેસ્ક પરથી દર્દી અને તેના પરિવારજનને કયો વિભાગ ક્યાં આવેલો છે, તેને જે બીમારી હોય તેના નિદાન માટેના ડૉક્ટર ઉપલબ્ધ છે કે નહીં અને જો ઉપલબ્ધ ન હોય તો ક્યારે ઉપલબ્ધ બનશે, કયો વિભાગ ક્યાં આવેલો છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાશે, સ્ટ્રેચર-વ્હીલચેરની વ્યવસ્થા સહિતની મદદ મળી રહેશે. આ ઉપરાંત પબ્લીક રિલેશન ઓફિસર (પીઆરઓ)ની પણ નિમણૂક કરવામાં આવશે જે દર્દીઓને માં-આયુષ્યમાન કાર્ડ સહિતની સેવાઓ પૂરી પાડશે. આ બન્નેની નિમણૂક કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા કરવામાં આવશે કે પછી સિવિલ હોસ્પિટલ કરશે તે અંગે આગામી સમયમાં નિર્ણય લેવાનાર હોવાનું પણ સુપ્રિ.એ જણાવ્યું હતું.
પીડીયુ મેડિકલ કોલેજ-રાજકોટને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
દર્દીઓની આ હેરાનગતિ સરકાર સુધી પહોંચી ગઈ હોય તેવી રીતે હવે તેમણે સિવિલમાં આમ-તેમ ભટકવું ન પડે તે માટે ‘હેલ્પ ડેસ્ક’ શરૂ કરવામાં આવશે
રાજકોટ ઉપરાંત જામનગર અને અમદાવાદ સિવિલને પણ આ એવોર્ડ મળ્યો
WatchGujarat. સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 6873 માં-આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલનાં તંત્રની આ સર્વોત્તમ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં ગાંધીનગર સિવિલના અસ્મિતા ભવન ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતનાની હાજરીમાં આ એવોર્ડ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ આર. એસ. ત્રિવેદીને અપાયો હતો. બીજીતરફ સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાઓને આમતેમ ભટકવું ન પડે તે માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવાનો નિર્ણય પણ તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
સિવિલ સુપ્રિ. ડો.આર.એસ.ત્રિવેદીનાં જણાવ્યા મુજબ ગાંધીનગર સિવિલના અસ્મિતા ભવન ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી પ્રદીપ પરમાર, આરોગ્ય વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર તેમજ રાજકોટના પૂર્વ કલેક્ટર રેમ્યા મોહન સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીડીયુ મેડિકલ કોલેજ-રાજકોટને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ એક વર્ષની અંદર 6873 જેટલા દર્દીઓને મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી બદલ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમ મા-આયુષ્યમાન કાર્ડની યોજનાનું ચોથું વર્ષ શરૂ થઈ રહ્યું હોય તેના માનમાં યોજાયો હતો. રાજકોટ ઉપરાંત જામનગર અને અમદાવાદ સિવિલને પણ આ એવોર્ડ મળ્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું.
દર્દીઓની આ હેરાનગતિ સરકાર સુધી પહોંચી ગઈ હોય તેવી રીતે હવે તેમણે સિવિલમાં આમ-તેમ ભટકવું ન પડે તે માટે ‘હેલ્પ ડેસ્ક’ શરૂ કરવામાં આવશે મતલબ કે હવે સિવિલમાં આવનારી દરેક વ્યક્તિ આ ડેસ્ક ઉપર આવીને કયો વિભાગ ક્યાં આવેલો છે તેની જાણ મેળવી શકશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવનાર છે. આ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં મળેલી બેઠકમાં સરકાર દ્વારા રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં ‘ગ્રીન કોરિડોર’ મતલબ કે હેલ્પ ડેસ્ક તેમજ પબ્લીક રિલેશન ઓફિસર (પીઆરઓ)ની નિમણૂકને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ટૂંક સમયમાં હોસ્પિટલની અંદર આ હેલ્પ ડેસ્ક શરૂ કરી દેવામાં આવશે.
આ હેલ્પ ડેસ્ક પરથી દર્દી અને તેના પરિવારજનને કયો વિભાગ ક્યાં આવેલો છે, તેને જે બીમારી હોય તેના નિદાન માટેના ડૉક્ટર ઉપલબ્ધ છે કે નહીં અને જો ઉપલબ્ધ ન હોય તો ક્યારે ઉપલબ્ધ બનશે, કયો વિભાગ ક્યાં આવેલો છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાશે, સ્ટ્રેચર-વ્હીલચેરની વ્યવસ્થા સહિતની મદદ મળી રહેશે. આ ઉપરાંત પબ્લીક રિલેશન ઓફિસર (પીઆરઓ)ની પણ નિમણૂક કરવામાં આવશે જે દર્દીઓને માં-આયુષ્યમાન કાર્ડ સહિતની સેવાઓ પૂરી પાડશે. આ બન્નેની નિમણૂક કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા કરવામાં આવશે કે પછી સિવિલ હોસ્પિટલ કરશે તે અંગે આગામી સમયમાં નિર્ણય લેવાનાર હોવાનું પણ સુપ્રિ.એ જણાવ્યું હતું.