રાજકોટમાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા પોપટપરાનું નાલુ બંધ કરાયું
ગતરાતથી શહેરનાં 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ તેમજ યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો
હાથીખાના વિસ્તારમાં પાણી ભરાયાની જાણ થતાં કોંગ્રેસનાં રણજીત મૂંધવા સહિતના આગેવાનો ત્યાં દોડી ગયા
[caption id="attachment_1396870" align="aligncenter" width="640"] Rajkot - heavy rain[/caption]
WatchGujarat. શહેર અને જિલ્લામાં આભ ફાટ્યું હોય તેમ ગઈકાલ રાતથી સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. અને શહેરનાં નીચાણવાળા વિસ્તારો સહિતનાં અનેક પોષ વિસ્તારોમાં પણ લોકોનાં ઘરોમાં પાણી ઘુસી જતા ભારે ફફડાટનો માહોલ સર્જાયો છે. અત્યાર સુધી વરસાદનાં આગમનની રાહ જોતા લોકો હવે વરસાદ રોકાય તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. ભારે વરસાદનાં કારણે નદી નાળા અને વોકળાઓ છલકાઈ જતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આજી નદી બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. લોધિકા નજીક એક ઉદ્યોગપતિની કાર ડ્રાઈવર સહિત તણાતા તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે. હાલ તો શહેરમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા લાલપરી અને ન્યારી-1 ડેમ ઓવરફ્લો થયો છે.
https://youtu.be/ZEDWMb_uY2Q
રાજકોટમાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા પોપટપરાનું નાલુ બંધ કરાયું છે. અને નાળા પાસે પોલીસ કમિશ્નરે ખુદ મુલાકાત લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ઉપરાંત ભારે વરસાદને લઈને રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો બંધ થયો છે. જેમાં મવડી ગામની નદીમાં પુર આવતા રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત કણકોટ ગામને જોડતો રસ્તો પણ ભારે વરસાદને પગલે બંધ છે. રાજકોટમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. અને ધોધમાર વરસાદે પ્રિમોન્સૂ કામગીરીની પોલ ખોલી નાંખી છે. પ્રિમોન્સૂનની કામગીરી કાગળ પર રહી ગઇ હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. કોર્પોરેશને દાવો કર્યો હતો કે આ વર્ષે રસ્તાઓ પર પાણી ભરાશે નહીં પરંતુ ધોધમાર વરસાદમાં શહેર પાણી પાણી થઇ ચૂક્યું છે.
ગતરાતથી શહેરનાં 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ તેમજ યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. બાદમાં 12 વાગ્યા પછીથી ફરી મેઘરાજા મુશળધાર વરસી રહ્યાં છે. હાલમાં રામનાથ મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું છે. પાણીમાં ફંસાયેલા વાહનો તેમજ લોકોને બહાર કાઢવા પોલીસ વિરોધ પક્ષ તેમજ શાસક પક્ષનાં મેયર સાહિતનાઓ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. હાલ તો મ્યુ. કમિશ્નર દ્વારા લોકોને કામ સિવાય ઘર બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે. તો કલેક્ટરે પણ મીડિયાને શહેર અને જિલ્લામાં પડેલા વરસાદ તેમજ તંત્રની તૈયારીઓ અંગે જાણકારી આપી હતી.
શહેરનાં હાથીખાના વિસ્તારમાં પાણી ભરાયાની જાણ થતાં કોંગ્રેસનાં રણજીત મૂંધવા સહિતના આગેવાનો ત્યાં દોડી ગયા હતા. અને મનપાનાં અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. જોકે ત્યાંથી જવાબદારીની ફેંકાફેકી થતા એ-ડિવિઝન પોલીસ સાથે મળીને 50થી વધુ લોકોનું રેસ્ક્યુ કકરવામાં આવ્યું છે. અને હાલ પણ આ રેસ્ક્યુની કામગીરી યથાવત છે. બીજીતરફ છાપરા નજીક I-20 પેલીકન ગ્રુપનાં માલિકની કાર તણાઇ છે. જેમાં સવાર ત્રણ પૈકી એકને સલામત બચાવી લેવાયા છે. જ્યારે અન્ય બેની શોધખોળ કરવામાં આવી રહી છે. અને આ માટે NDRFની ટીમની મદદ લેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તો લાલપરી અને ન્યારી-2 ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખજુરડી ગામ પાસેનો આજી-3 ડેમના 12 દરવાજા પરથી 5 ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના ખજુરડી, થોરીયાડી, ખીજડીયા મોટા, મોરબી જિલ્લાના ટૈકાર તાલુકાનું ખાખરા ગામ, જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બોડકા, જશાપર, જીરાગઢ, મેધપર, પીઠળ, રસનાળ, ટીંબળી અને ધ્રોલ તાલુકાના મોડપર, ધરમપુર, તેમજ સગાડીયા, સધાધુના, અને દેડકદડ ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી 53.15 મીટર છે અને ડેમમાં 67,528 ક્યુસેક પાણીની આવક છે.
રાજકોટમાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા પોપટપરાનું નાલુ બંધ કરાયું
હાથીખાના વિસ્તારમાં પાણી ભરાયાની જાણ થતાં કોંગ્રેસનાં રણજીત મૂંધવા સહિતના આગેવાનો ત્યાં દોડી ગયા
[caption id="attachment_1396870" align="aligncenter" width="640"] Rajkot - heavy rain[/caption]
WatchGujarat. શહેર અને જિલ્લામાં આભ ફાટ્યું હોય તેમ ગઈકાલ રાતથી સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. અને શહેરનાં નીચાણવાળા વિસ્તારો સહિતનાં અનેક પોષ વિસ્તારોમાં પણ લોકોનાં ઘરોમાં પાણી ઘુસી જતા ભારે ફફડાટનો માહોલ સર્જાયો છે. અત્યાર સુધી વરસાદનાં આગમનની રાહ જોતા લોકો હવે વરસાદ રોકાય તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. ભારે વરસાદનાં કારણે નદી નાળા અને વોકળાઓ છલકાઈ જતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આજી નદી બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. લોધિકા નજીક એક ઉદ્યોગપતિની કાર ડ્રાઈવર સહિત તણાતા તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે. હાલ તો શહેરમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા લાલપરી અને ન્યારી-1 ડેમ ઓવરફ્લો થયો છે.
રાજકોટમાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા પોપટપરાનું નાલુ બંધ કરાયું છે. અને નાળા પાસે પોલીસ કમિશ્નરે ખુદ મુલાકાત લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ઉપરાંત ભારે વરસાદને લઈને રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો બંધ થયો છે. જેમાં મવડી ગામની નદીમાં પુર આવતા રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત કણકોટ ગામને જોડતો રસ્તો પણ ભારે વરસાદને પગલે બંધ છે. રાજકોટમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. અને ધોધમાર વરસાદે પ્રિમોન્સૂ કામગીરીની પોલ ખોલી નાંખી છે. પ્રિમોન્સૂનની કામગીરી કાગળ પર રહી ગઇ હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. કોર્પોરેશને દાવો કર્યો હતો કે આ વર્ષે રસ્તાઓ પર પાણી ભરાશે નહીં પરંતુ ધોધમાર વરસાદમાં શહેર પાણી પાણી થઇ ચૂક્યું છે.
ગતરાતથી શહેરનાં 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ તેમજ યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. બાદમાં 12 વાગ્યા પછીથી ફરી મેઘરાજા મુશળધાર વરસી રહ્યાં છે. હાલમાં રામનાથ મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું છે. પાણીમાં ફંસાયેલા વાહનો તેમજ લોકોને બહાર કાઢવા પોલીસ વિરોધ પક્ષ તેમજ શાસક પક્ષનાં મેયર સાહિતનાઓ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. હાલ તો મ્યુ. કમિશ્નર દ્વારા લોકોને કામ સિવાય ઘર બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે. તો કલેક્ટરે પણ મીડિયાને શહેર અને જિલ્લામાં પડેલા વરસાદ તેમજ તંત્રની તૈયારીઓ અંગે જાણકારી આપી હતી.
શહેરનાં હાથીખાના વિસ્તારમાં પાણી ભરાયાની જાણ થતાં કોંગ્રેસનાં રણજીત મૂંધવા સહિતના આગેવાનો ત્યાં દોડી ગયા હતા. અને મનપાનાં અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. જોકે ત્યાંથી જવાબદારીની ફેંકાફેકી થતા એ-ડિવિઝન પોલીસ સાથે મળીને 50થી વધુ લોકોનું રેસ્ક્યુ કકરવામાં આવ્યું છે. અને હાલ પણ આ રેસ્ક્યુની કામગીરી યથાવત છે. બીજીતરફ છાપરા નજીક I-20 પેલીકન ગ્રુપનાં માલિકની કાર તણાઇ છે. જેમાં સવાર ત્રણ પૈકી એકને સલામત બચાવી લેવાયા છે. જ્યારે અન્ય બેની શોધખોળ કરવામાં આવી રહી છે. અને આ માટે NDRFની ટીમની મદદ લેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તો લાલપરી અને ન્યારી-2 ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખજુરડી ગામ પાસેનો આજી-3 ડેમના 12 દરવાજા પરથી 5 ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના ખજુરડી, થોરીયાડી, ખીજડીયા મોટા, મોરબી જિલ્લાના ટૈકાર તાલુકાનું ખાખરા ગામ, જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બોડકા, જશાપર, જીરાગઢ, મેધપર, પીઠળ, રસનાળ, ટીંબળી અને ધ્રોલ તાલુકાના મોડપર, ધરમપુર, તેમજ સગાડીયા, સધાધુના, અને દેડકદડ ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી 53.15 મીટર છે અને ડેમમાં 67,528 ક્યુસેક પાણીની આવક છે.