જન્માષ્ટમીનાં તહેવારો પર હરવા - ફરવાના સ્થળોએ ઉમટી પડયા હતા
ચોટીલા મંદિરમાં ડુંગરના પગથિયાં પર પગ મૂકવાની પણ જગ્યા ન મળતા ભક્તોએ સીધા ડુંગર પરથી ચડવાનું શરૂ કર્યું
મોટા ભાગનાં લોકો જન્માષ્ટમીનાં તહેવારોની ત્રણ-ચાર દિવસની રજાઓમાં બહારગામ ફરવા નીકળી ગયા
[caption id="attachment_1389403" align="aligncenter" width="640"] Rajkot - people gathering outside temple[/caption]
WatchGujarat. કોરોના મહામારીને લઈ બે વર્ષથી લોકોએ ઘરમાં જ તહેવારો ઉજવ્યા બાદ હવે કોરોના હળવો પડતા અને સરકારે નિયંત્રણો હળવા કરતા જ લોકો જન્માષ્ટમીનાં તહેવારો પર હરવા - ફરવાના સ્થળોએ ઉમટી પડયા હતા. અને રાજકોટ નજીકનાં ફરવાલાયક સ્થળે હજારો લોકો ઉમટી પડતા ઠેર-ઠેર ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. ચોટીલામાં મંદિરનાં પગથિયાં પર જગ્યા નહીં મળતા ભક્તો સીધા ડુંગરથી જ ચઢતા જોવા મળ્યા હતા.
https://youtu.be/AYfwUr-NbhA
જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સૌરાષ્ટ્રના મંદિરોમાં લોકો ઉમટી રહ્યા છે. ત્યારે જન્માષ્ટમીનાં પર્વ નિમિત્તે ગતરોજ ચોટીલામાં લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થઈ જતાં મંદિરનો દરવાજો બંધ કરવાની ફરજ પડી હતી. અને ચોટીલા મંદિરમાં ડુંગરના પગથિયાં પર પગ મૂકવાની પણ જગ્યા ન મળતા ભક્તોએ સીધા ડુંગર પરથી ચડવાનું શરૂ કર્યું હતું. મંદિરમાં હજારોની સંખ્યામાં ભીડ થતાં સોશિયલ ડિસ્ટન્સના નામે મીંડું વળી ગયું હતું. અને ભક્તો માસ્ક વગર બિન્દાસ ફરતા નજરે પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજકોટનાં પ્રધ્યુમન પાર્ક ઝુ સહિત આજી ડેમ, ન્યારી ડેમ, ઈશ્વરીયા મહાદેવ, રતનપર અને હનુમાન ધારા, ભીચરી ડુંગર સહિતનાં ફરવાનાં સ્થળોએ લોકો પરિવાર સાથે રજાની મજા માણવા ઉમટી પડયા હતા. જેને લઈને આજી ડેમ નજીકનાં રસ્તાઓ પર ટ્રાફિક જામનાં દ્શ્યો જોવા મળ્યા હતા. પ્રધ્યુમન પાર્ક ઝુ બહાર પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો પહોંચતા બહાર લાંબી લાઈનો લાગી હતી. અને લોકોને નિયમોનું પાલન કરાવવું લગભગ અશક્ય બની ગયું હતું. જો કે હજુ તો મોટા ભાગનાં લોકો જન્માષ્ટમીનાં તહેવારોની ત્રણ-ચાર દિવસની રજાઓમાં બહારગામ ફરવા નીકળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જન્માષ્ટમીનાં તહેવારો પર હરવા - ફરવાના સ્થળોએ ઉમટી પડયા હતા
ચોટીલા મંદિરમાં ડુંગરના પગથિયાં પર પગ મૂકવાની પણ જગ્યા ન મળતા ભક્તોએ સીધા ડુંગર પરથી ચડવાનું શરૂ કર્યું
મોટા ભાગનાં લોકો જન્માષ્ટમીનાં તહેવારોની ત્રણ-ચાર દિવસની રજાઓમાં બહારગામ ફરવા નીકળી ગયા
[caption id="attachment_1389403" align="aligncenter" width="640"] Rajkot - people gathering outside temple[/caption]
WatchGujarat. કોરોના મહામારીને લઈ બે વર્ષથી લોકોએ ઘરમાં જ તહેવારો ઉજવ્યા બાદ હવે કોરોના હળવો પડતા અને સરકારે નિયંત્રણો હળવા કરતા જ લોકો જન્માષ્ટમીનાં તહેવારો પર હરવા - ફરવાના સ્થળોએ ઉમટી પડયા હતા. અને રાજકોટ નજીકનાં ફરવાલાયક સ્થળે હજારો લોકો ઉમટી પડતા ઠેર-ઠેર ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. ચોટીલામાં મંદિરનાં પગથિયાં પર જગ્યા નહીં મળતા ભક્તો સીધા ડુંગરથી જ ચઢતા જોવા મળ્યા હતા.
જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સૌરાષ્ટ્રના મંદિરોમાં લોકો ઉમટી રહ્યા છે. ત્યારે જન્માષ્ટમીનાં પર્વ નિમિત્તે ગતરોજ ચોટીલામાં લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થઈ જતાં મંદિરનો દરવાજો બંધ કરવાની ફરજ પડી હતી. અને ચોટીલા મંદિરમાં ડુંગરના પગથિયાં પર પગ મૂકવાની પણ જગ્યા ન મળતા ભક્તોએ સીધા ડુંગર પરથી ચડવાનું શરૂ કર્યું હતું. મંદિરમાં હજારોની સંખ્યામાં ભીડ થતાં સોશિયલ ડિસ્ટન્સના નામે મીંડું વળી ગયું હતું. અને ભક્તો માસ્ક વગર બિન્દાસ ફરતા નજરે પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજકોટનાં પ્રધ્યુમન પાર્ક ઝુ સહિત આજી ડેમ, ન્યારી ડેમ, ઈશ્વરીયા મહાદેવ, રતનપર અને હનુમાન ધારા, ભીચરી ડુંગર સહિતનાં ફરવાનાં સ્થળોએ લોકો પરિવાર સાથે રજાની મજા માણવા ઉમટી પડયા હતા. જેને લઈને આજી ડેમ નજીકનાં રસ્તાઓ પર ટ્રાફિક જામનાં દ્શ્યો જોવા મળ્યા હતા. પ્રધ્યુમન પાર્ક ઝુ બહાર પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો પહોંચતા બહાર લાંબી લાઈનો લાગી હતી. અને લોકોને નિયમોનું પાલન કરાવવું લગભગ અશક્ય બની ગયું હતું. જો કે હજુ તો મોટા ભાગનાં લોકો જન્માષ્ટમીનાં તહેવારોની ત્રણ-ચાર દિવસની રજાઓમાં બહારગામ ફરવા નીકળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.