લક્ષ્મીવાડીમાં રસોઇ મુદ્દે દંપતિ વચ્ચે થયેલી તકરારમાં પતિએ પત્નીને તલવાર ઝીંકી દીધા
પતિએ હુમલો કરતા મહિલાએ દેકારો મચાવતા પાડોશીઓ દોડયા
આધેડ બપોરે તલવાર સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો
watchguujarat પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થવાના બનાવો અવારનવાર પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ઘણીવાર આવા ઝઘડાઓમાં મામલો કોઇનાં મોત સુધી પહોંચી જતો હોવાની પણ અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે લક્ષ્મીવાડીમાં રસોઇ મુદ્દે દંપતિ વચ્ચે થયેલી તકરારમાં પતિએ પત્નીને તલવાર ઝીંકી દીધાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગાયત્રી એપાર્ટમેન્ટ ખાતે રહેતો આધેડ બપોરે તલવાર સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. અને રસોઈ બાબતે માથાકૂટ થતાં તેણે પોતાની પત્નીને તલવારનો ઘા ઝીંકી દીધાનું કહ્યું હતું. જેને પગલે ચોંકી ઉઠેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા 45 વકર્ષીય ક્રિષ્નાબેન રાણીંગા સોમવારે બપોરે પોતાના ઘરે હતા. ત્યારે પતિએ ઉશ્કેરાઇને તલવારનો ઘા ઝીંકી દીધો હતો. પતિએ હુમલો કરતા મહિલાએ દેકારો મચાવતા પાડોશીઓ દોડયા અને ક્રિષ્નાબેનને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ક્રિષ્નાબેનનો પતિ કમલ કરશન રાણીંગા તલવાર સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશને સામેથી રજૂ થયો હતો. અને પોતે પત્નીને તલવારનો ઘા માર્યાની કબૂલાત આપી હતી.
પોલીસનાં કહેવા મુજબ, કમલ રાણીંગા સોનીકામની મજૂરી કરે છે, અને તેને સંતાનમાં એક પુત્ર છે, કમલ રાણીંગા કેટલાક સમયથી માનસિક બીમારીમાં સપડાયો હતો. અને તેની દવા પણ ચાલુ હતી. જોકે કમલ છેલ્લા લાંબા સમયથી દવા પણ લેતો નહોતો, સોમવારે બપોરે રસોઈના મુદ્દે સામાન્ય બોલાચાલી થતાં જ તેણે ઘરમાં રહેલી તલવાર ઉઠાવી પત્નીને માથામાં ઝનૂનથી ઘા ઝીંકી દીધો હતો. હાલ પોલીસે કમલ રાણીંગા સામે ખૂનની કોશિશનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે. જ્યારે પતિના હુમલાનો ભોગ બનનાર ક્રિષ્નાબેનની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
લક્ષ્મીવાડીમાં રસોઇ મુદ્દે દંપતિ વચ્ચે થયેલી તકરારમાં પતિએ પત્નીને તલવાર ઝીંકી દીધા
પતિએ હુમલો કરતા મહિલાએ દેકારો મચાવતા પાડોશીઓ દોડયા
આધેડ બપોરે તલવાર સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો
watchguujarat પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થવાના બનાવો અવારનવાર પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ઘણીવાર આવા ઝઘડાઓમાં મામલો કોઇનાં મોત સુધી પહોંચી જતો હોવાની પણ અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે લક્ષ્મીવાડીમાં રસોઇ મુદ્દે દંપતિ વચ્ચે થયેલી તકરારમાં પતિએ પત્નીને તલવાર ઝીંકી દીધાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગાયત્રી એપાર્ટમેન્ટ ખાતે રહેતો આધેડ બપોરે તલવાર સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. અને રસોઈ બાબતે માથાકૂટ થતાં તેણે પોતાની પત્નીને તલવારનો ઘા ઝીંકી દીધાનું કહ્યું હતું. જેને પગલે ચોંકી ઉઠેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા 45 વકર્ષીય ક્રિષ્નાબેન રાણીંગા સોમવારે બપોરે પોતાના ઘરે હતા. ત્યારે પતિએ ઉશ્કેરાઇને તલવારનો ઘા ઝીંકી દીધો હતો. પતિએ હુમલો કરતા મહિલાએ દેકારો મચાવતા પાડોશીઓ દોડયા અને ક્રિષ્નાબેનને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ક્રિષ્નાબેનનો પતિ કમલ કરશન રાણીંગા તલવાર સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશને સામેથી રજૂ થયો હતો. અને પોતે પત્નીને તલવારનો ઘા માર્યાની કબૂલાત આપી હતી.
પોલીસનાં કહેવા મુજબ, કમલ રાણીંગા સોનીકામની મજૂરી કરે છે, અને તેને સંતાનમાં એક પુત્ર છે, કમલ રાણીંગા કેટલાક સમયથી માનસિક બીમારીમાં સપડાયો હતો. અને તેની દવા પણ ચાલુ હતી. જોકે કમલ છેલ્લા લાંબા સમયથી દવા પણ લેતો નહોતો, સોમવારે બપોરે રસોઈના મુદ્દે સામાન્ય બોલાચાલી થતાં જ તેણે ઘરમાં રહેલી તલવાર ઉઠાવી પત્નીને માથામાં ઝનૂનથી ઘા ઝીંકી દીધો હતો. હાલ પોલીસે કમલ રાણીંગા સામે ખૂનની કોશિશનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે. જ્યારે પતિના હુમલાનો ભોગ બનનાર ક્રિષ્નાબેનની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.