ધીરેધીરે જાગૃતિ આવતા હવે રસીકરણનો આંકડો 65 ટકા સુધી પહોંચી ગયો છે - દેવ ચૌધરી
તબક્કાવાર લોકોને સમજાવવામાં આવી રહ્યા છે
જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા પરપ્રાંતિય મજુરોને પણ રસી આપવામાં આવી
Watchgujarat. શહેરની સાથે જ જિલ્લામાં પણ રકસીકરણ જોરશોરથી ચાલી રહ્યું છે. અને અત્યાર સુધીમાં પ્રથમ ડોઝનું 78 ટકા રસીકરણ થઇ ગયું છે. જેમાં પણ સૌથી વધારે 95 ટકા રસીકરણ લોધિકા તાલુકામાં થયું છે. તો સૌથી ઓછું 65 ટકા રસીકરણ વિંછીયા તાલુકામાં છે. ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાંથી વહેમ-અંધશ્રદ્ધા દૂર થઈ રહ્યા હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે. જો કે હજુપણ આવી ગેરમાન્યતાઓને કારણે અમુક લોકો રસી નહીં લેતા હોવાનું પણ તેમણે સ્વીકાર્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીનાં કહેવા મુજબ, આજે પણ લોકોમાં અંધશ્રદ્ધા વહેમ અને ગેરમાન્યતા જોવા મળી રહી છે. વિછીંયા તાલુકામાં રસીકરણની ઓછી ટકાવારી અંગે તેમણે જણાવ્યું હતુ કે વિછીંયા તાલુકો શૈક્ષણિક પછાત છે. અને આજે પણ અહીં અજ્ઞાનતાને લઈ લોકોમાં કેટલીક ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધા - વહેમ જોવા મળી રહ્યા છે. આ કારણે જ ઘણા લોકો રસી લેતા નથી. જોકે શરૂઆતમાં તો અહીં માત્ર 20 ટકા જ રસીકરણ હતું. પરંતુ લોકોમાં ધીરેધીરે જાગૃતિ આવતા હવે આ આંકડો 65 ટકા સુધી પહોંચી ગયો છે. તબક્કાવાર લોકોને સમજાવવામાં આવી રહ્યા છે અને વિંછીયા તાલુકામાં પણ 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ કરવાની ખાતરી તેમણે આપી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, એકતરફ વિંછીયા તાલુકામાં સૌથી ઓછું રસીકરણ થયું છે. જ્યારે જિલ્લામાં સૌથી વધારે રસીકરણ લોધિકા તાલુકામાં થયું છે. લોધિકામાં સરેરાશ 95 ટકા રસીકરણ થયું છે. સાથે સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા પરપ્રાંતિય મજુરોને પણ રસી આપવામાં આવી છે. લોધિકા તાલુકો શહેરથી નજીક આવેલો હોવાથી લોકોમાં રસીકરણને લઇને જાગ્રુતતા હોવાથી અહીં લોકો સ્વેચ્છાએ રસી લેવા આગળ આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
- ધીરેધીરે જાગૃતિ આવતા હવે રસીકરણનો આંકડો 65 ટકા સુધી પહોંચી ગયો છે - દેવ ચૌધરી
- તબક્કાવાર લોકોને સમજાવવામાં આવી રહ્યા છે
- જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા પરપ્રાંતિય મજુરોને પણ રસી આપવામાં આવી
Watchgujarat. શહેરની સાથે જ જિલ્લામાં પણ રકસીકરણ જોરશોરથી ચાલી રહ્યું છે. અને અત્યાર સુધીમાં પ્રથમ ડોઝનું 78 ટકા રસીકરણ થઇ ગયું છે. જેમાં પણ સૌથી વધારે 95 ટકા રસીકરણ લોધિકા તાલુકામાં થયું છે. તો સૌથી ઓછું 65 ટકા રસીકરણ વિંછીયા તાલુકામાં છે. ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાંથી વહેમ-અંધશ્રદ્ધા દૂર થઈ રહ્યા હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે. જો કે હજુપણ આવી ગેરમાન્યતાઓને કારણે અમુક લોકો રસી નહીં લેતા હોવાનું પણ તેમણે સ્વીકાર્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીનાં કહેવા મુજબ, આજે પણ લોકોમાં અંધશ્રદ્ધા વહેમ અને ગેરમાન્યતા જોવા મળી રહી છે. વિછીંયા તાલુકામાં રસીકરણની ઓછી ટકાવારી અંગે તેમણે જણાવ્યું હતુ કે વિછીંયા તાલુકો શૈક્ષણિક પછાત છે. અને આજે પણ અહીં અજ્ઞાનતાને લઈ લોકોમાં કેટલીક ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધા - વહેમ જોવા મળી રહ્યા છે. આ કારણે જ ઘણા લોકો રસી લેતા નથી. જોકે શરૂઆતમાં તો અહીં માત્ર 20 ટકા જ રસીકરણ હતું. પરંતુ લોકોમાં ધીરેધીરે જાગૃતિ આવતા હવે આ આંકડો 65 ટકા સુધી પહોંચી ગયો છે. તબક્કાવાર લોકોને સમજાવવામાં આવી રહ્યા છે અને વિંછીયા તાલુકામાં પણ 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ કરવાની ખાતરી તેમણે આપી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, એકતરફ વિંછીયા તાલુકામાં સૌથી ઓછું રસીકરણ થયું છે. જ્યારે જિલ્લામાં સૌથી વધારે રસીકરણ લોધિકા તાલુકામાં થયું છે. લોધિકામાં સરેરાશ 95 ટકા રસીકરણ થયું છે. સાથે સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા પરપ્રાંતિય મજુરોને પણ રસી આપવામાં આવી છે. લોધિકા તાલુકો શહેરથી નજીક આવેલો હોવાથી લોકોમાં રસીકરણને લઇને જાગ્રુતતા હોવાથી અહીં લોકો સ્વેચ્છાએ રસી લેવા આગળ આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.