આવતીકાલે સોમવારે આઠમની રાત્રે 12 વાગ્યે મુરલી મનોહર ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં થનાર છે
શહેરમાં વિવિધ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણનાં બાળ અવતારની લીલાઓ તાદ્રશ્ય કરતા ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા
મહિલા કોલેજ અંડરબ્રિજ ખાતે 20 ફૂટ ઊંચાઈ પર ઝૂલા પર બેસી ઝૂલતો કાનુડો આકર્ષણનું કેન્દ્ર બન્યો
[caption id="attachment_1388717" align="aligncenter" width="640"] Janmashtami 2021[/caption]
WatchGujarat. કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન કોવિડ ગાઇડલાઇન સાથે આવતીકાલે શહેરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં કરવામાં આવનાર છે. એ પૂર્વે સમગ્ર રાજકોટ શહેર જાણે ગોકુળિયું ગામ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં ઠેર-ઠેર ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ સ્વરૂપ સાથેનાં ફ્લોટ તૈયાર કરાયા છે. શહેરમાં 'કૃષ્ણ કનૈયા લાલ કી જય' અને 'હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી' અને 'નંદ ઘેર આનંદ ભયો' સહિતનાં નાદ ગુંજી ઉઠયા છે. આ મહામારીના સમયમાં આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી અને પૂરા ઉત્સાહ અને જોશથી ઉજવવા માટે લોકો આતુર બન્યા છે.
https://youtu.be/-sVVJCzejf0
આવતીકાલે સોમવારે આઠમની રાત્રે 12 વાગ્યે મુરલી મનોહર ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં થનાર છે. જેને લઈને કૃષ્ણ જન્મ પહેલા રાજકોટની ગલીઓ ગોકુળ અને મહોલ્લા મથુરા બની વ્હાલાના વધામણાં આગમન માટે થનગની રહ્યા છે. શહેરમાં વિવિધ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણનાં બાળ અવતારની લીલાઓ તાદ્રશ્ય કરતા ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. જંકશન સહિતના અનેક વિસ્તારો રોશનીથી ઝળહળી ઉઠયા છે. જેમાં મહિલા કોલેજ અંડરબ્રિજ ખાતે 20 ફૂટ ઊંચાઈ પર ઝૂલા પર બેસી ઝૂલતો કાનુડો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી સંભવિત લહેર આવવાની શક્યતા સેવામાં આવી રહી છે. ત્યારે અલગ અલગ જગ્યા પર તૈયાર કરવામાં આવેલા આ ફ્લોટમાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી રહયા છે. તેમજ કોરોના નામના રાક્ષસનો વધ કરી માનવજાતની રક્ષા કરવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. સાથે સાથે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત જોવા મળ્યો છે. લોકોને ઉજવણી દરમિયાન નિયમોનું પાલન કરવાની અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આવતીકાલે સોમવારે આઠમની રાત્રે 12 વાગ્યે મુરલી મનોહર ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં થનાર છે
શહેરમાં વિવિધ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણનાં બાળ અવતારની લીલાઓ તાદ્રશ્ય કરતા ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા
મહિલા કોલેજ અંડરબ્રિજ ખાતે 20 ફૂટ ઊંચાઈ પર ઝૂલા પર બેસી ઝૂલતો કાનુડો આકર્ષણનું કેન્દ્ર બન્યો
WatchGujarat. કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન કોવિડ ગાઇડલાઇન સાથે આવતીકાલે શહેરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં કરવામાં આવનાર છે. એ પૂર્વે સમગ્ર રાજકોટ શહેર જાણે ગોકુળિયું ગામ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં ઠેર-ઠેર ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ સ્વરૂપ સાથેનાં ફ્લોટ તૈયાર કરાયા છે. શહેરમાં 'કૃષ્ણ કનૈયા લાલ કી જય' અને 'હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી' અને 'નંદ ઘેર આનંદ ભયો' સહિતનાં નાદ ગુંજી ઉઠયા છે. આ મહામારીના સમયમાં આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી અને પૂરા ઉત્સાહ અને જોશથી ઉજવવા માટે લોકો આતુર બન્યા છે.
આવતીકાલે સોમવારે આઠમની રાત્રે 12 વાગ્યે મુરલી મનોહર ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં થનાર છે. જેને લઈને કૃષ્ણ જન્મ પહેલા રાજકોટની ગલીઓ ગોકુળ અને મહોલ્લા મથુરા બની વ્હાલાના વધામણાં આગમન માટે થનગની રહ્યા છે. શહેરમાં વિવિધ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણનાં બાળ અવતારની લીલાઓ તાદ્રશ્ય કરતા ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. જંકશન સહિતના અનેક વિસ્તારો રોશનીથી ઝળહળી ઉઠયા છે. જેમાં મહિલા કોલેજ અંડરબ્રિજ ખાતે 20 ફૂટ ઊંચાઈ પર ઝૂલા પર બેસી ઝૂલતો કાનુડો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી સંભવિત લહેર આવવાની શક્યતા સેવામાં આવી રહી છે. ત્યારે અલગ અલગ જગ્યા પર તૈયાર કરવામાં આવેલા આ ફ્લોટમાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી રહયા છે. તેમજ કોરોના નામના રાક્ષસનો વધ કરી માનવજાતની રક્ષા કરવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. સાથે સાથે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત જોવા મળ્યો છે. લોકોને ઉજવણી દરમિયાન નિયમોનું પાલન કરવાની અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.