રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં જી. ડી. અજમેરા એજન્સી દ્વારા ચાલતા આ ભ્રષ્ટાચારનાં તાર અનેક મોટાં માથાઓ સુધી પણ જોડાયેલા છે
મનપા કમિશ્નરને લખાયેલા પત્ર મુજબ એજન્સી આ બધી રકમ સરકાર પાસેથી ચોક્કસ મેળવી લે છે. પરંતુ કર્મચારીઓને તેનો લાભ આપતી નથી
તગડી રકમ ગજવે કરીને એજન્સી દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ
WatchGujarat. મહાનગરપાલિકામાં મેન પાવર સપ્લાયરનો કોન્ટ્રાક્ટ ધરાવતી ‘જી. ડી. અજમેરા મેન પાવર સપ્લાય’ એજન્સી દ્વારા અનેક પ્રકારનાં ગોટાળા અને ગરબડો થતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. એક જાગૃત નાગરિકે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્ર મુજબ અજમેરા એજન્સીએ જી.એસ.ટી. તેમજ સી.જી.એસ.ટી. અને પ્રોવિડન્ટ ફંડ અને ESICની સરકાર તરફથી મળતી રકમમાં મોટું ભોપાળું કર્યું છે.
મનપા કમિશ્નરને લખાયેલા પત્ર મુજબ એજન્સી આ બધી રકમ સરકાર પાસેથી ચોક્કસ મેળવી લે છે. પરંતુ કર્મચારીઓને તેનો લાભ આપતી નથી. આમ, આવી તગડી રકમ ગજવે કરીને એજન્સી દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. અરજીમાં અનેક સ્ફોટક વિગતો આપવામાં આવી છે. જેમાં કુલ 400 કરાર આધારિત કર્મચારીઓ સાથે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે.
આ સમગ્ર મામલે જી.ડી. અજમેરા એજન્સીનાં ગૌરવ અજમેરા અને મહેકમ શાખાનાં આસિસ્ટન્ટ મેનેજર વિપુલ ઘોણીયાની મીલીભગત હોવાનો આક્ષેપ પણ પાત્રમાં કરાયો છે. અને આ કારણે 400 જેટલાં કરાર આધારિત કર્મચારીઓને અન્યાય થયો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. શોપ એન્ડ એસ્ટા. શાખા સહિતનાં વિભાગોમાં કરાર આધારિત કર્મચારીઓનાં પ્રોવિડન્ટ ફંડ તથા ESICની રકમ જમા થતી નથી. આ વિષયે તેમણે મહેકમ વિભાગમાં અનેક વખત જાણ કરી હોવા છતાં આ વિભાગનાં કર્મચારીઓ અજમેરા એજન્સીને છાવરી રહ્યાં હોવાનું જણાવાયું છે.
અજમેરા એજન્સીનાં ભ્રષ્ટાચારમાં મહેકમ વિભાગની સીધી જ જવાબદારી છે. ટેન્ડરની શરત મુજબ, આ બાબતે કશો પણ ભ્રષ્ટાચાર થાય તો તેની સીધી જ જવાબદારી બ્રાન્ચ હેડની હોય છે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં જી. ડી. અજમેરા એજન્સી દ્વારા ચાલતા આ ભ્રષ્ટાચારનાં તાર અનેક મોટાં માથાઓ સુધી પણ જોડાયેલા છે. એજન્સી વિરૂદ્ધ અનેક ફરિયાદો હોવા છતાં અધિકારીઓથી લઈને પદાધિકારીઓ સુધીનાં સંબંધિત મહાનુભાવો આ મામલે શા માટે મૌન છે ? તેવો સવાલ પણ ઉઠવાયો છે.
પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ આ જાગૃત નાગરિકનું અભિવાદન કરતા જણાવ્યું હતું કે જી.ડી અજમેરા એજેન્સી ઉપર તપાસ થવી જોઈએ કારણ કે, પત્ર મુજબ 400 કરાર આધારિત કર્મચારીઓ સાથે કૌભાંડ થયું છે જે એક મોટી ઘટના છે. મનપા પ્રાથમિક રીતે આની વિજીલેન્સ તપાસ કરે અને રાજ્ય સરકાર આની નોંધ લઇ તપાસ કરાવે કારણ કે આમાં હજુ પણ અનેક મોટા માથાનાં નામો બહાર આવે તેવી શકયતા છે. ત્યારે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ પણ તેમણે કરી છે.
- રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં જી. ડી. અજમેરા એજન્સી દ્વારા ચાલતા આ ભ્રષ્ટાચારનાં તાર અનેક મોટાં માથાઓ સુધી પણ જોડાયેલા છે
- મનપા કમિશ્નરને લખાયેલા પત્ર મુજબ એજન્સી આ બધી રકમ સરકાર પાસેથી ચોક્કસ મેળવી લે છે. પરંતુ કર્મચારીઓને તેનો લાભ આપતી નથી
- તગડી રકમ ગજવે કરીને એજન્સી દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ
WatchGujarat. મહાનગરપાલિકામાં મેન પાવર સપ્લાયરનો કોન્ટ્રાક્ટ ધરાવતી ‘જી. ડી. અજમેરા મેન પાવર સપ્લાય’ એજન્સી દ્વારા અનેક પ્રકારનાં ગોટાળા અને ગરબડો થતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. એક જાગૃત નાગરિકે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્ર મુજબ અજમેરા એજન્સીએ જી.એસ.ટી. તેમજ સી.જી.એસ.ટી. અને પ્રોવિડન્ટ ફંડ અને ESICની સરકાર તરફથી મળતી રકમમાં મોટું ભોપાળું કર્યું છે.
મનપા કમિશ્નરને લખાયેલા પત્ર મુજબ એજન્સી આ બધી રકમ સરકાર પાસેથી ચોક્કસ મેળવી લે છે. પરંતુ કર્મચારીઓને તેનો લાભ આપતી નથી. આમ, આવી તગડી રકમ ગજવે કરીને એજન્સી દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. અરજીમાં અનેક સ્ફોટક વિગતો આપવામાં આવી છે. જેમાં કુલ 400 કરાર આધારિત કર્મચારીઓ સાથે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે.
આ સમગ્ર મામલે જી.ડી. અજમેરા એજન્સીનાં ગૌરવ અજમેરા અને મહેકમ શાખાનાં આસિસ્ટન્ટ મેનેજર વિપુલ ઘોણીયાની મીલીભગત હોવાનો આક્ષેપ પણ પાત્રમાં કરાયો છે. અને આ કારણે 400 જેટલાં કરાર આધારિત કર્મચારીઓને અન્યાય થયો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. શોપ એન્ડ એસ્ટા. શાખા સહિતનાં વિભાગોમાં કરાર આધારિત કર્મચારીઓનાં પ્રોવિડન્ટ ફંડ તથા ESICની રકમ જમા થતી નથી. આ વિષયે તેમણે મહેકમ વિભાગમાં અનેક વખત જાણ કરી હોવા છતાં આ વિભાગનાં કર્મચારીઓ અજમેરા એજન્સીને છાવરી રહ્યાં હોવાનું જણાવાયું છે.
અજમેરા એજન્સીનાં ભ્રષ્ટાચારમાં મહેકમ વિભાગની સીધી જ જવાબદારી છે. ટેન્ડરની શરત મુજબ, આ બાબતે કશો પણ ભ્રષ્ટાચાર થાય તો તેની સીધી જ જવાબદારી બ્રાન્ચ હેડની હોય છે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં જી. ડી. અજમેરા એજન્સી દ્વારા ચાલતા આ ભ્રષ્ટાચારનાં તાર અનેક મોટાં માથાઓ સુધી પણ જોડાયેલા છે. એજન્સી વિરૂદ્ધ અનેક ફરિયાદો હોવા છતાં અધિકારીઓથી લઈને પદાધિકારીઓ સુધીનાં સંબંધિત મહાનુભાવો આ મામલે શા માટે મૌન છે ? તેવો સવાલ પણ ઉઠવાયો છે.
પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ આ જાગૃત નાગરિકનું અભિવાદન કરતા જણાવ્યું હતું કે જી.ડી અજમેરા એજેન્સી ઉપર તપાસ થવી જોઈએ કારણ કે, પત્ર મુજબ 400 કરાર આધારિત કર્મચારીઓ સાથે કૌભાંડ થયું છે જે એક મોટી ઘટના છે. મનપા પ્રાથમિક રીતે આની વિજીલેન્સ તપાસ કરે અને રાજ્ય સરકાર આની નોંધ લઇ તપાસ કરાવે કારણ કે આમાં હજુ પણ અનેક મોટા માથાનાં નામો બહાર આવે તેવી શકયતા છે. ત્યારે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ પણ તેમણે કરી છે.