ખીરસરા ગામ પાસે છાપરા ગામ નજીક આઈ ટ્વેન્ટી કાર પાણીમાં તણાઇ હતી
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે, ખુદ કિશન શાહે ડ્રાઇવિંગ કરવાનું નક્કી કર્યું હતું - મિલન કોઠારી
WatchGujarat. ગઈકાલે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અને શહેરમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જેમાં સૌથી વધુ 21 ઇંચ વરસાદ લોધિકા તાલુકામાં ખાબક્યો હતો. દરમિયાન ધોધમાર વરસાદ અને તેના કારણે આવેલા પૂરમાં અનેક જગ્યાએ પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હોવાના બનાવો પણ સામે આવ્યા હતા. જેમાં છાપરા નજીક એક કાર પણ તણાઈ હતી. જેમાં રાજકોટના જાણીતા ઉદ્યોપતિ તણાયા હોય NDRFની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પેલીકન કંપનીનાં મલિકનો મૃતદેહ મળતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
જાણવા મળતી વિગત અનુસાર, ખીરસરા ગામ પાસે છાપરા ગામ નજીક આઈ ટ્વેન્ટી કાર પાણીમાં તણાઇ હતી. અને તેમાં 3 લોકો સવાર હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વરસતા વરસાદની વચ્ચે i20 કાર તેમજ તેમાં સવાર લોકોની શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન કારમાં સવાર સંજય બોરીચા નામનો એક યુવાન મળી આવ્યો હતો. અને તેણે કાર કઈ રીતે તણાઈ હતી, તેની સંપૂર્ણ વિગતો ફાયર વિભાગને આપી હતી. જેના આધારે જ NDRFની ટીમની મદદથી કારની શોધખોળ કરવામાં આવી હતી. જેમાં ઉદ્યોગપતિ કિશન શાહનો મૃતદેહ મળી આવ્યો છે.
આ અંગે મીડીયા સાથેની વાતચીતમાં મૃતકનાં મિત્ર મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, દરરોજની માફક કિશન શાહ પોતાના બંગલેથી ફેક્ટરીએ જવા નીકળ્યા હતા. આ સમયે તેમની કારમાં વરસાદ હોવાના કારણે ફેક્ટરીમાં કામ કરતા એક કર્મચારી, તેમના સગા સાળા, કારનો ડ્રાઇવર શ્યામ સાધુ, એક માજી અને કિશન શાહ પણ સવાર હતા. જે જગ્યા કાર તણાઈ હતી ત્યાં વધુ પાણી હોવાના કારણે કિશન શાહનો સાળો તેમજ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારી ગાડીમાંથી નીચે ઉતરી ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે, ખુદ કિશન શાહે ડ્રાઇવિંગ કરવાનું નક્કી કર્યું હતું.
જેને લઈને ડ્રાઇવિંગ સીટ ઉપર કિશન શાહ બેઠા હતા. તેમજ બાજુમાં તેમનો ડ્રાઈવર અને પાછળનાં ભાગમાં સંજય બોરીચા બેઠો હતો. જોકે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ ત્યારે સંજય બોરીચાનો બચાવ થયો હતો. તેના કહેવા મુજબ, જ્યારે પોતે કારમાંથી બહાર નીકળ્યો ત્યારે કિશનભાઇ અને તેનાં ડ્રાઇવરના હાથ ઊંચા થયેલા જોયા હતા. કિશન શાહને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. રવિવારના રોજ કિશન શાહે મિત્રો સાથે વિઘ્નહર્તાની આરતી ઉતારી હતી. જો કે સોમવારે જ કાર સહિત તણાઈ જતા તેમનું મોત નિપજ્યું છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અને કારમાં સવાર ત્રીજા વ્યક્તિની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
ખીરસરા ગામ પાસે છાપરા ગામ નજીક આઈ ટ્વેન્ટી કાર પાણીમાં તણાઇ હતી
પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે, ખુદ કિશન શાહે ડ્રાઇવિંગ કરવાનું નક્કી કર્યું હતું - મિલન કોઠારી
WatchGujarat. ગઈકાલે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અને શહેરમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જેમાં સૌથી વધુ 21 ઇંચ વરસાદ લોધિકા તાલુકામાં ખાબક્યો હતો. દરમિયાન ધોધમાર વરસાદ અને તેના કારણે આવેલા પૂરમાં અનેક જગ્યાએ પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હોવાના બનાવો પણ સામે આવ્યા હતા. જેમાં છાપરા નજીક એક કાર પણ તણાઈ હતી. જેમાં રાજકોટના જાણીતા ઉદ્યોપતિ તણાયા હોય NDRFની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પેલીકન કંપનીનાં મલિકનો મૃતદેહ મળતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
જાણવા મળતી વિગત અનુસાર, ખીરસરા ગામ પાસે છાપરા ગામ નજીક આઈ ટ્વેન્ટી કાર પાણીમાં તણાઇ હતી. અને તેમાં 3 લોકો સવાર હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વરસતા વરસાદની વચ્ચે i20 કાર તેમજ તેમાં સવાર લોકોની શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન કારમાં સવાર સંજય બોરીચા નામનો એક યુવાન મળી આવ્યો હતો. અને તેણે કાર કઈ રીતે તણાઈ હતી, તેની સંપૂર્ણ વિગતો ફાયર વિભાગને આપી હતી. જેના આધારે જ NDRFની ટીમની મદદથી કારની શોધખોળ કરવામાં આવી હતી. જેમાં ઉદ્યોગપતિ કિશન શાહનો મૃતદેહ મળી આવ્યો છે.
આ અંગે મીડીયા સાથેની વાતચીતમાં મૃતકનાં મિત્ર મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, દરરોજની માફક કિશન શાહ પોતાના બંગલેથી ફેક્ટરીએ જવા નીકળ્યા હતા. આ સમયે તેમની કારમાં વરસાદ હોવાના કારણે ફેક્ટરીમાં કામ કરતા એક કર્મચારી, તેમના સગા સાળા, કારનો ડ્રાઇવર શ્યામ સાધુ, એક માજી અને કિશન શાહ પણ સવાર હતા. જે જગ્યા કાર તણાઈ હતી ત્યાં વધુ પાણી હોવાના કારણે કિશન શાહનો સાળો તેમજ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારી ગાડીમાંથી નીચે ઉતરી ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે, ખુદ કિશન શાહે ડ્રાઇવિંગ કરવાનું નક્કી કર્યું હતું.
જેને લઈને ડ્રાઇવિંગ સીટ ઉપર કિશન શાહ બેઠા હતા. તેમજ બાજુમાં તેમનો ડ્રાઈવર અને પાછળનાં ભાગમાં સંજય બોરીચા બેઠો હતો. જોકે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ ત્યારે સંજય બોરીચાનો બચાવ થયો હતો. તેના કહેવા મુજબ, જ્યારે પોતે કારમાંથી બહાર નીકળ્યો ત્યારે કિશનભાઇ અને તેનાં ડ્રાઇવરના હાથ ઊંચા થયેલા જોયા હતા. કિશન શાહને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. રવિવારના રોજ કિશન શાહે મિત્રો સાથે વિઘ્નહર્તાની આરતી ઉતારી હતી. જો કે સોમવારે જ કાર સહિત તણાઈ જતા તેમનું મોત નિપજ્યું છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અને કારમાં સવાર ત્રીજા વ્યક્તિની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.