કોઠારીયા સોલવન્ટના નારાયણનગરમાં રહેતા ભુપત ધુમાભાઈ જોગરાણા નામના 16 વર્ષનો ભરવાડ તરુણ પોતાના ઘર નજીક પતંગ લૂંટતો હતો
રેલવે સ્ટેશન ફાટક પાસે પસાર થઈ રહેલી ટ્રેનને હડફેટે આવી ચડતા તેનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું
ભૂપતના પિતા ડ્રાઇવિંગ કામ કરે છે. ભુપત પરિવારનો એકનો એક પુત્ર અને ધો.8માં ભણતો હતો
WatchGujarat. શહેરનાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં પતંગ લૂંટતા ટ્રેનની હડફેટે આવી ગયેલા તરુણનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ અંગેની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અને બનાવ અંગે જાણ કરવામાં આવતા પોલીસ તેમજ RPFનો કાફલો દોડી ગયો હતો. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
જાણવા મળતી વિગત અનુસાર, કોઠારીયા સોલવન્ટના નારાયણનગરમાં રહેતા ભુપત ધુમાભાઈ જોગરાણા નામના 16 વર્ષનો ભરવાડ તરુણ પોતાના ઘર નજીક પતંગ લૂંટતો હતો. ત્યારે કોઠારીયા રેલવે સ્ટેશન ફાટક પાસે પસાર થઈ રહેલી ટ્રેનને હડફેટે આવી ચડતા તેનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ બાદ સ્થાનિકો એકઠા થઇ જતા મૃતકને ઓળખી તેના પરિવારને જાણ કરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યા અનુસાર, મૃતક ભૂપતના પિતા ડ્રાઇવિંગ કામ કરે છે. ભુપત પરિવારનો એકનો એક પુત્ર અને ધો.8માં ભણતો હતો. પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી મચીછે. નોંધનીય છે કે, મકર સંક્રાતિના તહેવારમાં મારામારી, અકસ્માત અને વાહનમાં જતા લોકોના દોરા વડે કાન, નાક અને ગળા પર ઇજાના અનેક બનાવ સામે આવ્યા હતા. જો કે અન્ય કોઈ બનાવમાં સદનસીબે જાનહાની થઈ નથી.
કોઠારીયા સોલવન્ટના નારાયણનગરમાં રહેતા ભુપત ધુમાભાઈ જોગરાણા નામના 16 વર્ષનો ભરવાડ તરુણ પોતાના ઘર નજીક પતંગ લૂંટતો હતો
રેલવે સ્ટેશન ફાટક પાસે પસાર થઈ રહેલી ટ્રેનને હડફેટે આવી ચડતા તેનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું
ભૂપતના પિતા ડ્રાઇવિંગ કામ કરે છે. ભુપત પરિવારનો એકનો એક પુત્ર અને ધો.8માં ભણતો હતો
WatchGujarat. શહેરનાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં પતંગ લૂંટતા ટ્રેનની હડફેટે આવી ગયેલા તરુણનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ અંગેની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અને બનાવ અંગે જાણ કરવામાં આવતા પોલીસ તેમજ RPFનો કાફલો દોડી ગયો હતો. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
જાણવા મળતી વિગત અનુસાર, કોઠારીયા સોલવન્ટના નારાયણનગરમાં રહેતા ભુપત ધુમાભાઈ જોગરાણા નામના 16 વર્ષનો ભરવાડ તરુણ પોતાના ઘર નજીક પતંગ લૂંટતો હતો. ત્યારે કોઠારીયા રેલવે સ્ટેશન ફાટક પાસે પસાર થઈ રહેલી ટ્રેનને હડફેટે આવી ચડતા તેનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ બાદ સ્થાનિકો એકઠા થઇ જતા મૃતકને ઓળખી તેના પરિવારને જાણ કરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યા અનુસાર, મૃતક ભૂપતના પિતા ડ્રાઇવિંગ કામ કરે છે. ભુપત પરિવારનો એકનો એક પુત્ર અને ધો.8માં ભણતો હતો. પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી મચીછે. નોંધનીય છે કે, મકર સંક્રાતિના તહેવારમાં મારામારી, અકસ્માત અને વાહનમાં જતા લોકોના દોરા વડે કાન, નાક અને ગળા પર ઇજાના અનેક બનાવ સામે આવ્યા હતા. જો કે અન્ય કોઈ બનાવમાં સદનસીબે જાનહાની થઈ નથી.