પોરબંદરના 39 વર્ષીય નિશાંતને ગત તા.7 મેના રોજ અત્યંત ગંભીર સ્થિતિમાં ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
એક સમયે દર્દીનું એસપીઓ-2 મતલબ કે ઑક્સિજનનું સ્તર 60% અને સીટી સ્કેનનો સ્કોર 25/25 આવ્યો હતો એટલે કે તેને ત્યારે જ ફેફસામાં 100% ઈન્ફેક્શન હતું
કોરોનાનાં હુમલાએ 40 દિવસમાં તેના ફેફસાને ખૂબ જ નુકસાન પહોંચાડી દીધું
દર્દીને 144 દિવસની સારવાર આપવામાં આવી હતી. જેમાંથી ત્રણ મહિના તે વેન્ટીલેટર ઉપર અને બાકીના દિવસો તેણે આઈસીયુમાં જ પસાર કર્યા - ડોકટર
WatchGujarat. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે કેટલાકે કોરોનાને મહાત પણ આપી હતી. પરંતુ શહેરની ગોકુલ હોસ્પિટલમાં સાવ અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફેંફસામાં 100 ટકા ઇન્ફેક્શન હોવા છતાં 60% ઓક્સિજનની સાથે 3 મહિના વેન્ટીલેટર પર રહી એક યુવકે કોરોનાને હરાવ્યો છે. જીવન-મરણ વચ્ચેનો ખેલ ખેલી સફળ થનાર આ યુવક ઘરે પરત ફરતા પરિવાર-હોસ્પિટલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સંભવત: કિસ્સો રાજ્યમાં પ્રથમ હોવાની ચર્ચા પણ ડોક્ટરોમાં ચાલી રહી છે.
https://youtu.be/Hua0tGpur7g
જાણવા મળતી વિગત મુજબ, પોરબંદરના 39 વર્ષીય નિશાંતને ગત તા.7 મેના રોજ અત્યંત ગંભીર સ્થિતિમાં ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમયે તેનું એસપીઓ-2 મતલબ કે ઑક્સિજનનું સ્તર 60% અને સીટી સ્કેનનો સ્કોર 25/25 આવ્યો હતો એટલે કે તેને ત્યારે જ ફેફસામાં 100% ઈન્ફેક્શન હતું. 16 જૂન એટલે કે, 40 દિવસ બાદ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ ફેફસાની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી.
કોરોનાનાં આ હુમલાએ 40 દિવસમાં તેના ફેફસાને ખૂબ જ નુકસાન પહોંચાડી દીધું હતું. દરમિયાન 30મી મે અને 24મી જૂનના રોજ તેના ફેફસાનું સીટી સ્કેન કરાવતાં 25માંથી 25 સ્કોર આવ્યો હતો. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છતાં યુવકની હાલત અત્યંત ગંભીર બની રહી હતી. અને તેના ‘લંગ ફેલ્યોર’ને કારણે ફેફસા બદલવા જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હતું.
સમગ્ર મામલે ગોકુલ હોસ્પિટલના ડોકટરે જણાવ્યું કે, આ દર્દીને 144 દિવસની સારવાર આપવામાં આવી હતી. જેમાંથી ત્રણ મહિના તે વેન્ટીલેટર ઉપર અને બાકીના દિવસો તેણે આઈસીયુમાં જ પસાર કર્યા છે. આટલા લાંબા દિવસ સુધી કોઈ દર્દીને સારવાર આપ્યા બાદ વિજય મેળવ્યો હોય તેવો રાજકોટનો તેમજ સમગ્ર ગુજરાતનો સંભવત: આ પ્રથમ કેસ છે. આજે 27 સપ્ટેમ્બરે 144 દિવસ બાદ દર્દીને રજા આપવામાં આવી છે. અને તેને રજા મળતી જોઈ તબીબોને તેની મહેનત રંગ લાવી તેનો જ્યારે પરિવારને તેના હેમખેમ પરત ફરવાનો જે આનંદ છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.
પોરબંદરના 39 વર્ષીય નિશાંતને ગત તા.7 મેના રોજ અત્યંત ગંભીર સ્થિતિમાં ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
એક સમયે દર્દીનું એસપીઓ-2 મતલબ કે ઑક્સિજનનું સ્તર 60% અને સીટી સ્કેનનો સ્કોર 25/25 આવ્યો હતો એટલે કે તેને ત્યારે જ ફેફસામાં 100% ઈન્ફેક્શન હતું
કોરોનાનાં હુમલાએ 40 દિવસમાં તેના ફેફસાને ખૂબ જ નુકસાન પહોંચાડી દીધું
દર્દીને 144 દિવસની સારવાર આપવામાં આવી હતી. જેમાંથી ત્રણ મહિના તે વેન્ટીલેટર ઉપર અને બાકીના દિવસો તેણે આઈસીયુમાં જ પસાર કર્યા - ડોકટર
WatchGujarat. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે કેટલાકે કોરોનાને મહાત પણ આપી હતી. પરંતુ શહેરની ગોકુલ હોસ્પિટલમાં સાવ અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફેંફસામાં 100 ટકા ઇન્ફેક્શન હોવા છતાં 60% ઓક્સિજનની સાથે 3 મહિના વેન્ટીલેટર પર રહી એક યુવકે કોરોનાને હરાવ્યો છે. જીવન-મરણ વચ્ચેનો ખેલ ખેલી સફળ થનાર આ યુવક ઘરે પરત ફરતા પરિવાર-હોસ્પિટલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સંભવત: કિસ્સો રાજ્યમાં પ્રથમ હોવાની ચર્ચા પણ ડોક્ટરોમાં ચાલી રહી છે.
જાણવા મળતી વિગત મુજબ, પોરબંદરના 39 વર્ષીય નિશાંતને ગત તા.7 મેના રોજ અત્યંત ગંભીર સ્થિતિમાં ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમયે તેનું એસપીઓ-2 મતલબ કે ઑક્સિજનનું સ્તર 60% અને સીટી સ્કેનનો સ્કોર 25/25 આવ્યો હતો એટલે કે તેને ત્યારે જ ફેફસામાં 100% ઈન્ફેક્શન હતું. 16 જૂન એટલે કે, 40 દિવસ બાદ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ ફેફસાની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી.
કોરોનાનાં આ હુમલાએ 40 દિવસમાં તેના ફેફસાને ખૂબ જ નુકસાન પહોંચાડી દીધું હતું. દરમિયાન 30મી મે અને 24મી જૂનના રોજ તેના ફેફસાનું સીટી સ્કેન કરાવતાં 25માંથી 25 સ્કોર આવ્યો હતો. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છતાં યુવકની હાલત અત્યંત ગંભીર બની રહી હતી. અને તેના ‘લંગ ફેલ્યોર’ને કારણે ફેફસા બદલવા જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હતું.
સમગ્ર મામલે ગોકુલ હોસ્પિટલના ડોકટરે જણાવ્યું કે, આ દર્દીને 144 દિવસની સારવાર આપવામાં આવી હતી. જેમાંથી ત્રણ મહિના તે વેન્ટીલેટર ઉપર અને બાકીના દિવસો તેણે આઈસીયુમાં જ પસાર કર્યા છે. આટલા લાંબા દિવસ સુધી કોઈ દર્દીને સારવાર આપ્યા બાદ વિજય મેળવ્યો હોય તેવો રાજકોટનો તેમજ સમગ્ર ગુજરાતનો સંભવત: આ પ્રથમ કેસ છે. આજે 27 સપ્ટેમ્બરે 144 દિવસ બાદ દર્દીને રજા આપવામાં આવી છે. અને તેને રજા મળતી જોઈ તબીબોને તેની મહેનત રંગ લાવી તેનો જ્યારે પરિવારને તેના હેમખેમ પરત ફરવાનો જે આનંદ છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.