સરકારી અને ખાનગી શાળાઓને તળ વ્યવસાય વેરાની નોટિસો આપવાનું શરૂ કરવામાં આવ્યું
ચાલુ મે મહિનામાં જ 1041 જેટલી શાળાઓ અને કોલેજોને પ્રોફેશનલ ટેક્ષ ભરવા નોટિસ ફટકારાઈ
જે શાળા–કોલેજો વ્યવસાય વેરો ભરતી હોય તેને તેમના કેવાયસી અપડેટ કરાવવા માટે નોટિસ અપાઇ
WatchGujarat.તાજેતરમાં યોજાયેલા જનરલ બોર્ડમાં જ વિપક્ષ દ્વારા શાળા-કોલેજોનાં વ્યવસાય વેરાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જેને પગલે મનપાનું તંત્ર સફાળું જાગ્યું છે. અને 907 સેલ્ફ ફાઇનાન્સ અને 134 ગ્રાન્ટેડ શાળા–કોલેજો સહિત કુલ 1,041 શાળા કોલેજ ઉપરાંત શોપિંગ મોલ, સિનેમા હોલ, ઓટો શો રૂમ, સર્વિસ સ્ટેશન, ગેરેજ, એનજીઓ, હોસ્પિટલો અને ટ્રસ્ટ સહિત કુલ 4,110ને આ માટે ખાસ નોટિસ ફટકારવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, મહાનગરપાલિકાની ગત જનરલ બોર્ડ મિટિંગમાં ભાજપના કોર્પેારેટરએ ખાનગી તેમજ સરકારી શાળા અને કોલેજો પાસેથી વ્યવસાય વેરાની વસૂલાત કરવામાં આવે છે કે કેમ ?અને જો કરવામાં આવતી હોય તો સંસ્થાકીય અને વ્યકિતગત ધોરણે હાલ સુધીમાં કેટલો વેરો વસુલવામાં આવ્યો છે તેની વિગતો માગવામાં આવી હતી. પરંતુ તત્કાલીન સમયે આ પેટા પ્રશ્નોની વિગતો ઉપલબ્ધ ન હોય લેખિત જવાબ અપાશે તેમ જણાવાયું હતું.
ત્યારબાદ હવે સરકારી અને ખાનગી શાળાઓને તળ વ્યવસાય વેરાની નોટિસો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ચાલુ મે મહિનામાં જ 1041 જેટલી શાળાઓ અને કોલેજોને પ્રોફેશનલ ટેક્ષ ભરવા નોટિસ ફટકારાઈ છે. મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે 1041 શાળા–કોલેજો ઉપરાંત શોપિંગ મોલ, સિનેમા હોલ, ઓટો શોમ, સર્વિસ સ્ટેશન, ગેરેજ, એનજીઓ, ટ્રસ્ટ, હોસ્પિટલો સહિત કુલ 4110ને ચાલુ મહિનામાં નોટિસ ફટકારાઇ છે. આગામી દિવસોમાં 31,800 કારખાના અને 1,02,000 કોમર્શિયલ એકમોને નોટિસ ફટકારાશે. 907 જેટલી સેલ્ફ ફાઈનાન્સ અને 134 જેટલી ગ્રાન્ટેડ શાળા કોલેજો પાસેથી વ્યવસાય વેરો વસૂલવા તત્રં આક્રમક બન્યું છે.
આ ઉપરાંત જે શાળા–કોલેજો વ્યવસાય વેરો ભરતી હોય તેને તેમના કેવાયસી અપડેટ કરાવવા માટે નોટિસ અપાઇ છે. અને જે શાળા–કોલેજો વ્યવસાય વેરો ન પડતી હોય તેમને રજીસ્ટ્રેશન કરાવી લેવા તેમજ વેરો ભરવાનું શરૂ કરવાની તાકીદ કરવામાં આવી છે. અમુક શાળા–કોલેજો એવી છે કે જે સંસ્થાકીય વ્યવસાય વેરો ભરે છે. પરંતુ તેના કર્મચારીઓનો વ્યવસાય વેરો ભરતી નથી. તેમને પણ હવે કર્મચારીઓનો વ્યવસાય વેરો ભરવા સૂચના આપવામાં આવી છે.
- સરકારી અને ખાનગી શાળાઓને તળ વ્યવસાય વેરાની નોટિસો આપવાનું શરૂ કરવામાં આવ્યું
- ચાલુ મે મહિનામાં જ 1041 જેટલી શાળાઓ અને કોલેજોને પ્રોફેશનલ ટેક્ષ ભરવા નોટિસ ફટકારાઈ
- જે શાળા–કોલેજો વ્યવસાય વેરો ભરતી હોય તેને તેમના કેવાયસી અપડેટ કરાવવા માટે નોટિસ અપાઇ
WatchGujarat.તાજેતરમાં યોજાયેલા જનરલ બોર્ડમાં જ વિપક્ષ દ્વારા શાળા-કોલેજોનાં વ્યવસાય વેરાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જેને પગલે મનપાનું તંત્ર સફાળું જાગ્યું છે. અને 907 સેલ્ફ ફાઇનાન્સ અને 134 ગ્રાન્ટેડ શાળા–કોલેજો સહિત કુલ 1,041 શાળા કોલેજ ઉપરાંત શોપિંગ મોલ, સિનેમા હોલ, ઓટો શો રૂમ, સર્વિસ સ્ટેશન, ગેરેજ, એનજીઓ, હોસ્પિટલો અને ટ્રસ્ટ સહિત કુલ 4,110ને આ માટે ખાસ નોટિસ ફટકારવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, મહાનગરપાલિકાની ગત જનરલ બોર્ડ મિટિંગમાં ભાજપના કોર્પેારેટરએ ખાનગી તેમજ સરકારી શાળા અને કોલેજો પાસેથી વ્યવસાય વેરાની વસૂલાત કરવામાં આવે છે કે કેમ ?અને જો કરવામાં આવતી હોય તો સંસ્થાકીય અને વ્યકિતગત ધોરણે હાલ સુધીમાં કેટલો વેરો વસુલવામાં આવ્યો છે તેની વિગતો માગવામાં આવી હતી. પરંતુ તત્કાલીન સમયે આ પેટા પ્રશ્નોની વિગતો ઉપલબ્ધ ન હોય લેખિત જવાબ અપાશે તેમ જણાવાયું હતું.
ત્યારબાદ હવે સરકારી અને ખાનગી શાળાઓને તળ વ્યવસાય વેરાની નોટિસો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ચાલુ મે મહિનામાં જ 1041 જેટલી શાળાઓ અને કોલેજોને પ્રોફેશનલ ટેક્ષ ભરવા નોટિસ ફટકારાઈ છે. મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે 1041 શાળા–કોલેજો ઉપરાંત શોપિંગ મોલ, સિનેમા હોલ, ઓટો શોમ, સર્વિસ સ્ટેશન, ગેરેજ, એનજીઓ, ટ્રસ્ટ, હોસ્પિટલો સહિત કુલ 4110ને ચાલુ મહિનામાં નોટિસ ફટકારાઇ છે. આગામી દિવસોમાં 31,800 કારખાના અને 1,02,000 કોમર્શિયલ એકમોને નોટિસ ફટકારાશે. 907 જેટલી સેલ્ફ ફાઈનાન્સ અને 134 જેટલી ગ્રાન્ટેડ શાળા કોલેજો પાસેથી વ્યવસાય વેરો વસૂલવા તત્રં આક્રમક બન્યું છે.
આ ઉપરાંત જે શાળા–કોલેજો વ્યવસાય વેરો ભરતી હોય તેને તેમના કેવાયસી અપડેટ કરાવવા માટે નોટિસ અપાઇ છે. અને જે શાળા–કોલેજો વ્યવસાય વેરો ન પડતી હોય તેમને રજીસ્ટ્રેશન કરાવી લેવા તેમજ વેરો ભરવાનું શરૂ કરવાની તાકીદ કરવામાં આવી છે. અમુક શાળા–કોલેજો એવી છે કે જે સંસ્થાકીય વ્યવસાય વેરો ભરે છે. પરંતુ તેના કર્મચારીઓનો વ્યવસાય વેરો ભરતી નથી. તેમને પણ હવે કર્મચારીઓનો વ્યવસાય વેરો ભરવા સૂચના આપવામાં આવી છે.