રાજકોટ જિલ્લામાં રવિ પાકનું વાવેતર કરાઈ રહ્યું છે, તેમજ મોટા ભાગના ખેતરોમાંથી ખરીફ પાક તૈયાર થઇ ખેડૂતોનાં ઘર સુધી પહોંચી ગયો છે
જિલ્લાના 595 ગામમાં વસતા ખેડૂતોને મેસેજ મોકલી સાવચેત રહેવા જણાવાયું
માવઠાની આગાહીને લઈ આવતીકાલે બેડી યાર્ડમાં મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો
WatchGujarat. હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવાઇ રહ્યો છે. ત્યારે જિલ્લા પંચાયત હસ્તક આવતું જિલ્લા ખેતીવાડી વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લાના 595 ગામમાં વસતા ખેડૂતોને મેસેજ મોકલીને મહત્વની અપીલ કરવામાં આવ્યું છે. સાથે જ સાવચેત રહેવા જણાવાયું છે. બીજીતરફ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી રાખવાની અપૂરતી જગ્યાને કારણે નવી આવકો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી ટીલવાનાં કહેવા મુજબ, હાલમાં રાજકોટ જિલ્લામાં રવિ પાકનું વાવેતર કરાઈ રહ્યું છે. તેમજ મોટા ભાગના ખેતરોમાંથી ખરીફ પાક તૈયાર થઇ ખેડૂતોનાં ઘર સુધી પહોંચી ગયો છે. તેમજ કેટલીક જગ્યાએ હજુ પણ પાક ખેતરમાં ઉભો છે. ત્યારે આગામી બે દિવસમાં જે કમોસમી વરસાદની આગાહી છે. તેમાં ભારે વરસાદ પડે તો જીરું તેમજ ધાણાનાં પાકને નુકસાન પહોંચી શકે તેમ છે. ત્યારે આ અંગે જિલ્લાના 595 ગામમાં વસતા ખેડૂતોને મેસેજ મોકલી સાવચેત રહેવા જણાવાયું છે. તેમજ ખેતરમાં તૈયાર થયેલા ખરીફ પાકની લણણી કરવી તેમજ ઘાસચારા અને ભૂસા સહિતની વસ્તુઓ પર તાડપત્રી ઢાંકી દેવા સહિતની મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે.
બીજીતરફ માવઠાની આગાહીને લઈ આવતીકાલે બેડી યાર્ડમાં મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આજે શહેર અને જિલ્લામાં દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાતાવરણ પલ્ટાની આ સ્થિતિ વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક માર્કેટ યાર્ડોમાં હરરાજી બંધ રાખવામાં આવી હતી. જો કે રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીઓ ચાલુ રાખવામાં આવી હતી. આવતીકાલે વરસાદની આગાહીના પગલે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખવામાં આવનાર હોવાનું રાજકોટ પુરવઠા નિગમના સુત્રોએ જણાવ્યું હતું. અને ખેડૂતોને જણસો લઇને ન આવવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં રવિ પાકનું વાવેતર કરાઈ રહ્યું છે, તેમજ મોટા ભાગના ખેતરોમાંથી ખરીફ પાક તૈયાર થઇ ખેડૂતોનાં ઘર સુધી પહોંચી ગયો છે
જિલ્લાના 595 ગામમાં વસતા ખેડૂતોને મેસેજ મોકલી સાવચેત રહેવા જણાવાયું
WatchGujarat. હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવાઇ રહ્યો છે. ત્યારે જિલ્લા પંચાયત હસ્તક આવતું જિલ્લા ખેતીવાડી વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લાના 595 ગામમાં વસતા ખેડૂતોને મેસેજ મોકલીને મહત્વની અપીલ કરવામાં આવ્યું છે. સાથે જ સાવચેત રહેવા જણાવાયું છે. બીજીતરફ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી રાખવાની અપૂરતી જગ્યાને કારણે નવી આવકો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી ટીલવાનાં કહેવા મુજબ, હાલમાં રાજકોટ જિલ્લામાં રવિ પાકનું વાવેતર કરાઈ રહ્યું છે. તેમજ મોટા ભાગના ખેતરોમાંથી ખરીફ પાક તૈયાર થઇ ખેડૂતોનાં ઘર સુધી પહોંચી ગયો છે. તેમજ કેટલીક જગ્યાએ હજુ પણ પાક ખેતરમાં ઉભો છે. ત્યારે આગામી બે દિવસમાં જે કમોસમી વરસાદની આગાહી છે. તેમાં ભારે વરસાદ પડે તો જીરું તેમજ ધાણાનાં પાકને નુકસાન પહોંચી શકે તેમ છે. ત્યારે આ અંગે જિલ્લાના 595 ગામમાં વસતા ખેડૂતોને મેસેજ મોકલી સાવચેત રહેવા જણાવાયું છે. તેમજ ખેતરમાં તૈયાર થયેલા ખરીફ પાકની લણણી કરવી તેમજ ઘાસચારા અને ભૂસા સહિતની વસ્તુઓ પર તાડપત્રી ઢાંકી દેવા સહિતની મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે.
બીજીતરફ માવઠાની આગાહીને લઈ આવતીકાલે બેડી યાર્ડમાં મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આજે શહેર અને જિલ્લામાં દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાતાવરણ પલ્ટાની આ સ્થિતિ વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક માર્કેટ યાર્ડોમાં હરરાજી બંધ રાખવામાં આવી હતી. જો કે રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીઓ ચાલુ રાખવામાં આવી હતી. આવતીકાલે વરસાદની આગાહીના પગલે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખવામાં આવનાર હોવાનું રાજકોટ પુરવઠા નિગમના સુત્રોએ જણાવ્યું હતું. અને ખેડૂતોને જણસો લઇને ન આવવા અપીલ કરવામાં આવી છે.