રાજકોટ NEET PG 2021 કાઉન્સેલિંગને સતત મુલતવી રાખવાને કારણે, ભારતભરની તમામ મેડિકલ કોલેજોમાં મુખ્ય કાર્યબળ એટલે કે નિવાસી ડોકટરોની તીવ્ર અછત
2020થી ખૂબ જ લાંબી કોવિડ 19 ફરજને કારણે તેઓ પહેલેથી જ શિક્ષણવિદો સાથે માનસિક - ભાવનાત્મક ભંગાણથી પીડાઈ રહ્યા છે
આગામી સોમવારે પણ JDA રાજકોટનાં તમામ રેસિડેન્ટ તબીબો સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી OPD/વોર્ડ અને નિયમિત પ્રક્રિયાઓથી અળગા રહેનાર હોવાનું પણ જણાવાયું
WatchGujarat. તાજેતરમાં પરીક્ષામાં પાસ થયેલી બેચનાં તબીબોને ફરજ સોંપવા માટેની માંગ સાથે સિવિલ હોસ્પિટલ ખાતે રેસીડેન્ટ ડોક્ટરો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. જેમાં હોસ્પિટલ ખાતે 200થી વધુ રેસિડેન્ટ ડોકટરો કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવી રહ્યા છે. સાથે સાથે જ સરકાર દ્વારા પોતાની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સોમવારે ઓપીડી સેવાથી અળગા રહેવાની જાહેરાત તબીબોએ કરી છે.
રાજકોટ NEET PG 2021 કાઉન્સેલિંગને સતત મુલતવી રાખવાને કારણે, ભારતભરની તમામ મેડિકલ કોલેજોમાં મુખ્ય કાર્યબળ એટલે કે નિવાસી ડોકટરોની તીવ્ર અછત છે. મોટા ભાગના સ્થળોએ માત્ર 2 બેચના રેસિડેન્ટ્સ હોસ્પિટલ ચલાવી રહ્યા છે. 2020થી ખૂબ જ લાંબી કોવિડ 19 ફરજને કારણે તેઓ પહેલેથી જ શિક્ષણવિદો સાથે માનસિક - ભાવનાત્મક ભંગાણથી પીડાઈ રહ્યા છે. એટલું જ નહીં માનનીય સર્વોચ્ચ અદાલતે ફરીથી ચુકાદો 6 જાન્યુ. 2022 સુધી મુલતવી રાખ્યો છે. જે અસ્વીકાર્ય તેમજ ધીરજની મર્યાદાની બહાર હોવાનું જણાવી JDA, RAJKOTએ FAIMA, FORDA અને અન્ય રેસિડેન્ટ ડૉક્ટર સંસ્થાઓ સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
તબીબો દ્વારા લેવાયેલા આ નિર્ણય અંતર્ગત આજે સિવિલ હોસ્પિટલ ખાતે 200 કરતા વધુ રેસિડેન્ટ ડોક્ટરોએ કાળી પેટ્ટી ધારણ કરી ફરજ બજાવવાની સાથે અનોખો વિરોધ કર્યો હતો. આગામી સોમવારે પણ JDA રાજકોટનાં તમામ રેસિડેન્ટ તબીબો સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી OPD/વોર્ડ અને નિયમિત પ્રક્રિયાઓથી અળગા રહેનાર હોવાનું પણ જણાવાયું છે. જો કે આ આંદોલન દરમિયાન પણ ઇમરજન્સી સેવાઓ હંમેશની જેમ ચાલુ રાખવામાં આવનાર છે. પરંતુ સરકાર દ્વારા મંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.
રાજકોટ NEET PG 2021 કાઉન્સેલિંગને સતત મુલતવી રાખવાને કારણે, ભારતભરની તમામ મેડિકલ કોલેજોમાં મુખ્ય કાર્યબળ એટલે કે નિવાસી ડોકટરોની તીવ્ર અછત
2020થી ખૂબ જ લાંબી કોવિડ 19 ફરજને કારણે તેઓ પહેલેથી જ શિક્ષણવિદો સાથે માનસિક - ભાવનાત્મક ભંગાણથી પીડાઈ રહ્યા છે
આગામી સોમવારે પણ JDA રાજકોટનાં તમામ રેસિડેન્ટ તબીબો સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી OPD/વોર્ડ અને નિયમિત પ્રક્રિયાઓથી અળગા રહેનાર હોવાનું પણ જણાવાયું
WatchGujarat. તાજેતરમાં પરીક્ષામાં પાસ થયેલી બેચનાં તબીબોને ફરજ સોંપવા માટેની માંગ સાથે સિવિલ હોસ્પિટલ ખાતે રેસીડેન્ટ ડોક્ટરો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. જેમાં હોસ્પિટલ ખાતે 200થી વધુ રેસિડેન્ટ ડોકટરો કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવી રહ્યા છે. સાથે સાથે જ સરકાર દ્વારા પોતાની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સોમવારે ઓપીડી સેવાથી અળગા રહેવાની જાહેરાત તબીબોએ કરી છે.
રાજકોટ NEET PG 2021 કાઉન્સેલિંગને સતત મુલતવી રાખવાને કારણે, ભારતભરની તમામ મેડિકલ કોલેજોમાં મુખ્ય કાર્યબળ એટલે કે નિવાસી ડોકટરોની તીવ્ર અછત છે. મોટા ભાગના સ્થળોએ માત્ર 2 બેચના રેસિડેન્ટ્સ હોસ્પિટલ ચલાવી રહ્યા છે. 2020થી ખૂબ જ લાંબી કોવિડ 19 ફરજને કારણે તેઓ પહેલેથી જ શિક્ષણવિદો સાથે માનસિક - ભાવનાત્મક ભંગાણથી પીડાઈ રહ્યા છે. એટલું જ નહીં માનનીય સર્વોચ્ચ અદાલતે ફરીથી ચુકાદો 6 જાન્યુ. 2022 સુધી મુલતવી રાખ્યો છે. જે અસ્વીકાર્ય તેમજ ધીરજની મર્યાદાની બહાર હોવાનું જણાવી JDA, RAJKOTએ FAIMA, FORDA અને અન્ય રેસિડેન્ટ ડૉક્ટર સંસ્થાઓ સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
તબીબો દ્વારા લેવાયેલા આ નિર્ણય અંતર્ગત આજે સિવિલ હોસ્પિટલ ખાતે 200 કરતા વધુ રેસિડેન્ટ ડોક્ટરોએ કાળી પેટ્ટી ધારણ કરી ફરજ બજાવવાની સાથે અનોખો વિરોધ કર્યો હતો. આગામી સોમવારે પણ JDA રાજકોટનાં તમામ રેસિડેન્ટ તબીબો સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી OPD/વોર્ડ અને નિયમિત પ્રક્રિયાઓથી અળગા રહેનાર હોવાનું પણ જણાવાયું છે. જો કે આ આંદોલન દરમિયાન પણ ઇમરજન્સી સેવાઓ હંમેશની જેમ ચાલુ રાખવામાં આવનાર છે. પરંતુ સરકાર દ્વારા મંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.