ગતરોજ મોડી રાત્રે ત્રણ જેટલા શખ્સો ગાય પર ધારદાર હથિયારો સાથે તૂટી પડ્યા
સવારે લોકોની નજર આ ગાયો પર પડતા તેમણે પશુ ડોક્ટરને બોલાવ્યા
પોલીસ ગાયના હુમલાખોરોને શોધવા તત્પર બની
WatchGujarat. ભગવતીપરાના પૂલ નીચે રાત્રે અથવા વહેલી સવારે ત્રણ જેટલી ગાયો સાથે કોઈ અજાણ્યા નિર્દયી શખ્સોએ ક્રૂરતા આચરી ધારદાર હથિયારના ઘા ઝીંકી લોહીલુહાણ કરી હતી. આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓ અને વિસ્તારના લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અંગે જાણ થતાં બી-ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આ અધમ કૃત્યને અંજામ આપનારાઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી હતી. તેમજ એનિમલ હેલ્પલાઇનની ટીમને બોલાવી ગાયોની સારવાર શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, એક તરફ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ દેશને ખુણે ખુણેથી ઉઠી રહી છે. તો બીજી તરફ રાજકોટમાં ગાય સાથે ક્રુરતાનો કિસ્સો સામે આવતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
https://youtu.be/_9Lx_ZlrFOs
ઘટનાને જોનારા લોકોએ કહ્યું કે, મોડી રાત્રે ત્રણ જેટલા શખ્સો ગાય પર ધારદાર હથિયારો સાથે તૂટી પડ્યા હતા. આ ઘટના બાદ ગાય દર્દથી કણસતી રહી હતી. સવારે લોકોની નજર આ ગાયો પર પડતા તેમણે પશુ ડોક્ટરને બોલાવ્યા હતા, અને ગાયની સારવાર કરવામાં આવી હતી. જીવદયા પ્રેમીઓએ આ ઘટના પર રોષ વ્યક્ત કર્યો છે. તેમણે બી ડિવિઝન પોલીસને આ વિશે જાણ કરી હતી. જેથી પોલીસ પણ હવે ગાયના આ હુમલાખોરોને શોધવા તત્પર બની છે.
ઉલ્લેખનીય છે કે, પશુઓ પર અમાનવીય કૃત્યોની ઘટનાઓ સતત વધી રહી છે. લોકો હવે પ્રાણીઓ સાથે નિર્દયતા આચરતા અટકતા નથી. ત્યારે રાજકોટમાં અજાણ્યા શખ્સોએ ગાય પર ધારદાર હથિયારોના ઘા ઝીંકીને તેને લોહીલુહાણ કરી દેતા આરોપીઓ ઉપર ફિટકાર વરસી રહ્યો છે. ગાયો પર કોણે અને શા માટે હુમલો કર્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
ગતરોજ મોડી રાત્રે ત્રણ જેટલા શખ્સો ગાય પર ધારદાર હથિયારો સાથે તૂટી પડ્યા
સવારે લોકોની નજર આ ગાયો પર પડતા તેમણે પશુ ડોક્ટરને બોલાવ્યા
પોલીસ ગાયના હુમલાખોરોને શોધવા તત્પર બની
WatchGujarat. ભગવતીપરાના પૂલ નીચે રાત્રે અથવા વહેલી સવારે ત્રણ જેટલી ગાયો સાથે કોઈ અજાણ્યા નિર્દયી શખ્સોએ ક્રૂરતા આચરી ધારદાર હથિયારના ઘા ઝીંકી લોહીલુહાણ કરી હતી. આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓ અને વિસ્તારના લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અંગે જાણ થતાં બી-ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આ અધમ કૃત્યને અંજામ આપનારાઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી હતી. તેમજ એનિમલ હેલ્પલાઇનની ટીમને બોલાવી ગાયોની સારવાર શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, એક તરફ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ દેશને ખુણે ખુણેથી ઉઠી રહી છે. તો બીજી તરફ રાજકોટમાં ગાય સાથે ક્રુરતાનો કિસ્સો સામે આવતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
ઘટનાને જોનારા લોકોએ કહ્યું કે, મોડી રાત્રે ત્રણ જેટલા શખ્સો ગાય પર ધારદાર હથિયારો સાથે તૂટી પડ્યા હતા. આ ઘટના બાદ ગાય દર્દથી કણસતી રહી હતી. સવારે લોકોની નજર આ ગાયો પર પડતા તેમણે પશુ ડોક્ટરને બોલાવ્યા હતા, અને ગાયની સારવાર કરવામાં આવી હતી. જીવદયા પ્રેમીઓએ આ ઘટના પર રોષ વ્યક્ત કર્યો છે. તેમણે બી ડિવિઝન પોલીસને આ વિશે જાણ કરી હતી. જેથી પોલીસ પણ હવે ગાયના આ હુમલાખોરોને શોધવા તત્પર બની છે.
ઉલ્લેખનીય છે કે, પશુઓ પર અમાનવીય કૃત્યોની ઘટનાઓ સતત વધી રહી છે. લોકો હવે પ્રાણીઓ સાથે નિર્દયતા આચરતા અટકતા નથી. ત્યારે રાજકોટમાં અજાણ્યા શખ્સોએ ગાય પર ધારદાર હથિયારોના ઘા ઝીંકીને તેને લોહીલુહાણ કરી દેતા આરોપીઓ ઉપર ફિટકાર વરસી રહ્યો છે. ગાયો પર કોણે અને શા માટે હુમલો કર્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.