આજી નદીમાં ચારથી પાંચ જગ્યાએ એવો વિસ્તાર છે જ્યાં ગાંડીવેલનો ફેલાવો થાય છે
બેડી ચોકડી પાસે પાણી પણ દેખાય નહીં એ રીતે ગાંડીવેલ ચાદરની જેમ પથરાઇ ગઇ
નિંભર તંત્રએ આંખ ઉઘાડવી જરૂરી છે, જો આમ નહીં થાય તો કોરોનાની સાથે-સાથે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકશે તે નિશ્ચિત છે.
WatchGujarat. શહેરની ભાગોળે આજી નદીથી મચ્છરોના ઝુંડના ઝુડનું આક્રમણ થવા લાગ્યું છે. કોર્પોરેશન દ્રારા થતો કરોડોનો ખર્ચ અને અનેક પ્રયાસો પાણીમાં ગયા હોય તેમ આજી નદીમાં ગાંડીવેલ ચાદરની જેમ પથરાઈ ગઈ છે. જેને કારણે તેની અંદર જ જીવલેણ મચ્છરોએ પોતાનું ઘર બનાવી લીધું છે. અને ઝૂંડ સ્વરૂપે હવામાંથી આ મચ્છરો શહેરની અંદર આક્રમણ કરી રહ્યા છે. તેનો એક વિડિયો પણ વાયરલમાં થવા છતાં તંત્રની આંખ ખુલી નથી. મનપાની સાથે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા પણ મુકપ્રેક્ષક બની હોય શહેર પર મચ્છરજન્ય જીવલેણ રોગચાળાનો ખતરો તોળાઈ રહ્યો છે.
https://youtu.be/DxndqmzUq7A
આજી નદીમાં ચારથી પાંચ જગ્યાએ એવો વિસ્તાર છે જ્યાં ગાંડીવેલનો ફેલાવો થાય છે. હાલ બેડી ચોકડી પાસે પાણી પણ દેખાય નહીં એ રીતે ગાંડીવેલ ચાદરની જેમ પથરાઇ ગઇ છે. અને તેમાથી જ મચ્છરોના ઝુંડ રાજકોટમાં ઘૂસી રહ્યા છે. ત્યારે મોટા ટબ્બા જેવડા આ મચ્છરો શહેરમાં જીવલેણ રોગચાળો ફેલાવે એ પહેલા નિંભર તંત્રએ આંખ ઉઘાડવી જરૂરી છે. જો આમ નહીં થાય તો કોરોનાની સાથે-સાથે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકશે તે નિશ્ચિત છે.
કેરોસીન-કેમિકલ છંટકાવથી ગાંડી વેલ નહીં ઉગે તેવો દાવો ખોટો સાબિત થયો
ગત વર્ષે જ્યારે બેડી, નદીમાંથી ગાંડી વેલ દૂર કરવા માટે લાખો રૂપિયાની મશીનરી સાવવામાં આવી હતી. ત્યારે મનપા, કલેક્ટર તંત્રએ એવો દાવો કર્યો હતો કે, ગાંડીવેલ ઉખેડવાની સાથે નદીમાં કેરોસીન-કેમિકલનો છંટકાવ પણ કરવામાં આવશે, જેથી ગાંડીવેલ મૂળથી દૂર થઈ જશે. જો કે આ દાવો ખોટો સાબિત થયો છે, અને ગતવર્ષ કેમિકલનો છંટકાવ કર્યા છતાં ગાંડીવેલ બેકાબૂ બની હોય તેમાંથી જીવલેણ મચ્છરો ઉત્પન્ન થવા લાગ્યા છે. આ મચ્છરોનાં ત્રાસથી આસપાસની સોસાયટીમાં લોકોને દિવસે પણ બારી-બારણા બંધ રાખવા પડે છે.
16 લાખની વસતી, 4.50 લાખ મિલકત વચ્ચે 60 ફોગિંગ મશિન
રાજકોટમાં ટેક્સ બ્રાન્ચના જ સતાવાર આંકડા મુજબ શહેરમાં 4.50 લાખથી વધુ મિલકતો છે. અને શહેરની કુલ વસ્તી 16 લાખથી વધુ છે. આટલા મોટા શહેરમાં મચ્છરોનાં ઉપદ્રવ સામે પગલાં લેવા તંત્ર પાસે માત્ર 60 ફોગીંગ મશીન છે. જેનો પણ પૂરતો ઉપયોગ થતો નથી. આ સાથે ગાંડીવેલ કાઢવા માટે મનપાએ ખાસ મશીન વસાવ્યું છે પરંતુ તેનાથી પણ સમસ્યાનો અંત આવ્યો નથી. ગત વર્ષે યાર્ડના સેંકડો વેપારીઓ તેમજ ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો, જેમાં લાઠીચાર્જ પણ થયો હતો. બાદમાં મનપા દ્વારા ગાંડીવેલ કાઢવાનું મશીન વસાવાયું હતું. અને તેના દ્વારા યુદ્ધના ધોરણે કામ પણ કરવામાં આવ્યું હતું.
આજી નદીમાં ચારથી પાંચ જગ્યાએ એવો વિસ્તાર છે જ્યાં ગાંડીવેલનો ફેલાવો થાય છે
બેડી ચોકડી પાસે પાણી પણ દેખાય નહીં એ રીતે ગાંડીવેલ ચાદરની જેમ પથરાઇ ગઇ
નિંભર તંત્રએ આંખ ઉઘાડવી જરૂરી છે, જો આમ નહીં થાય તો કોરોનાની સાથે-સાથે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકશે તે નિશ્ચિત છે.
WatchGujarat. શહેરની ભાગોળે આજી નદીથી મચ્છરોના ઝુંડના ઝુડનું આક્રમણ થવા લાગ્યું છે. કોર્પોરેશન દ્રારા થતો કરોડોનો ખર્ચ અને અનેક પ્રયાસો પાણીમાં ગયા હોય તેમ આજી નદીમાં ગાંડીવેલ ચાદરની જેમ પથરાઈ ગઈ છે. જેને કારણે તેની અંદર જ જીવલેણ મચ્છરોએ પોતાનું ઘર બનાવી લીધું છે. અને ઝૂંડ સ્વરૂપે હવામાંથી આ મચ્છરો શહેરની અંદર આક્રમણ કરી રહ્યા છે. તેનો એક વિડિયો પણ વાયરલમાં થવા છતાં તંત્રની આંખ ખુલી નથી. મનપાની સાથે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા પણ મુકપ્રેક્ષક બની હોય શહેર પર મચ્છરજન્ય જીવલેણ રોગચાળાનો ખતરો તોળાઈ રહ્યો છે.
આજી નદીમાં ચારથી પાંચ જગ્યાએ એવો વિસ્તાર છે જ્યાં ગાંડીવેલનો ફેલાવો થાય છે. હાલ બેડી ચોકડી પાસે પાણી પણ દેખાય નહીં એ રીતે ગાંડીવેલ ચાદરની જેમ પથરાઇ ગઇ છે. અને તેમાથી જ મચ્છરોના ઝુંડ રાજકોટમાં ઘૂસી રહ્યા છે. ત્યારે મોટા ટબ્બા જેવડા આ મચ્છરો શહેરમાં જીવલેણ રોગચાળો ફેલાવે એ પહેલા નિંભર તંત્રએ આંખ ઉઘાડવી જરૂરી છે. જો આમ નહીં થાય તો કોરોનાની સાથે-સાથે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકશે તે નિશ્ચિત છે.
કેરોસીન-કેમિકલ છંટકાવથી ગાંડી વેલ નહીં ઉગે તેવો દાવો ખોટો સાબિત થયો
ગત વર્ષે જ્યારે બેડી, નદીમાંથી ગાંડી વેલ દૂર કરવા માટે લાખો રૂપિયાની મશીનરી સાવવામાં આવી હતી. ત્યારે મનપા, કલેક્ટર તંત્રએ એવો દાવો કર્યો હતો કે, ગાંડીવેલ ઉખેડવાની સાથે નદીમાં કેરોસીન-કેમિકલનો છંટકાવ પણ કરવામાં આવશે, જેથી ગાંડીવેલ મૂળથી દૂર થઈ જશે. જો કે આ દાવો ખોટો સાબિત થયો છે, અને ગતવર્ષ કેમિકલનો છંટકાવ કર્યા છતાં ગાંડીવેલ બેકાબૂ બની હોય તેમાંથી જીવલેણ મચ્છરો ઉત્પન્ન થવા લાગ્યા છે. આ મચ્છરોનાં ત્રાસથી આસપાસની સોસાયટીમાં લોકોને દિવસે પણ બારી-બારણા બંધ રાખવા પડે છે.
16 લાખની વસતી, 4.50 લાખ મિલકત વચ્ચે 60 ફોગિંગ મશિન
રાજકોટમાં ટેક્સ બ્રાન્ચના જ સતાવાર આંકડા મુજબ શહેરમાં 4.50 લાખથી વધુ મિલકતો છે. અને શહેરની કુલ વસ્તી 16 લાખથી વધુ છે. આટલા મોટા શહેરમાં મચ્છરોનાં ઉપદ્રવ સામે પગલાં લેવા તંત્ર પાસે માત્ર 60 ફોગીંગ મશીન છે. જેનો પણ પૂરતો ઉપયોગ થતો નથી. આ સાથે ગાંડીવેલ કાઢવા માટે મનપાએ ખાસ મશીન વસાવ્યું છે પરંતુ તેનાથી પણ સમસ્યાનો અંત આવ્યો નથી. ગત વર્ષે યાર્ડના સેંકડો વેપારીઓ તેમજ ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો, જેમાં લાઠીચાર્જ પણ થયો હતો. બાદમાં મનપા દ્વારા ગાંડીવેલ કાઢવાનું મશીન વસાવાયું હતું. અને તેના દ્વારા યુદ્ધના ધોરણે કામ પણ કરવામાં આવ્યું હતું.