ઓમિક્રોનને લઇ સર્કિટ હાઉસ ખાતે જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, કલેક્ટર અરૂણ મહેશ બાબુ, તબીબો અને મનપા કમિશ્નર અમિત અરોરા વચ્ચે બેઠક યોજાઇ
બેઠકમાં નિર્ણય કરવાનો છે કે હવે પછી વિદેશથી આવનાર કોઇ વ્યક્તિના ચેકિંગમાં કોઇ કચાશ રહેશે નહીં. આ સાથે જ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની અછત ન રહે તેની તૈયારી માટેની ચર્ચા કરવામાં આવી છે - સાંસદ રામ મોકરિયા
ઓમિક્રોન સામે રાજકોટનું તંત્ર સજ્જ છે. તમામ તૈયારીઓ રાખવામાં આવી છે - કલેક્ટર અરૂણ મહેશ બાબુ
WatchGujarat. ઓમિક્રોનને લઇને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે એરપોર્ટ પર જ મુસાફરોનું ચેકિંગ બરાબર થતું નહીં હોવાનો આરોપ ભાજપનાં સાંસદ રામ મોકરિયાએ લગાવ્યો હતો. મીડિયા સમક્ષ નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે, કેનેડાનો એક મુસાફર મારી સાથે કાલે દિલ્હીથી રાજકોટ આવ્યો હતો. પણ એરપોર્ટ પર કોઈએ ખાસ ચેક કર્યો નહીં. જો કે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ એરપોર્ટ પર મુસાફરોનું ચેકીંગ થતું હોવાનું જણાવી તંત્ર સંપૂર્ણ સતર્ક હોવાનો દાવો કર્યો હતો.
ઓમિક્રોનને લઇ સર્કિટ હાઉસ ખાતે જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, કલેક્ટર અરૂણ મહેશ બાબુ, તબીબો અને મનપા કમિશ્નર અમિત અરોરા વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠક પહેલા રામ મોકરિયાએ મીડિયાને નિવેદન આપતા કહ્યું હતું કે, ઓમિક્રોનને લઇને અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છીએ. તેમજ સિવિલ હોસ્પિટલમાં પણ મુલાકાત લઈ તબીબો સાથે ચર્ચા કરવામાં આવી છે. બીજી લહેરની માફક મુશ્કેલી ઊભી ન થાય તે માટે તબીબો સાથે આ સમીક્ષા બેઠક કરવામાં આવી હતી.
વધુમાં તેણે જણાવ્યું હતું કે, જામનગરમાં ઓમિક્રોનનો કેસ આવતા સમગ્ર સૌરાષ્ટ્રનો આ પ્રથમ કેસ છે. જેને લઇને અમે બેઠક કરી છે. બેઠકમાં નિર્ણય કરવાનો છે કે હવે પછી વિદેશથી આવનાર કોઇ વ્યક્તિના ચેકિંગમાં કોઇ કચાશ રહેશે નહીં. આ સાથે જ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની અછત ન રહે તેની તૈયારી માટેની ચર્ચા કરવામાં આવી છે. ડોક્ટર કે નર્સને જે વસ્તુની જરૂર હોય તે માટે હું કેન્દ્ર સરકાર સાથે સતત કોર્ડિનેશનમાં રહીશ. લોકોની સુરક્ષા - સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે.
વિદેશથી આવતા લોકો પર તકેદારી રાખવી 100 ટકા જરૂરી હોવાનું કહી મોકરિયાએ જણાવ્યું હતું કે, હું કાલે દિલ્હીથી મારૂ સત્ર પુરૂ કરી રાજકોટ આવતો હતો ત્યારે સાથે કેનેડાનો મુસાફર હતો. પણ એરપોર્ટ પર તેને કોઇએ ખાસ ચેક કર્યો નહોતો. આથી મને ધ્યાનમાં આવ્યું કે, ક્યાંક કંઇક કચાશ રહી જતી લાગે છે. જેને લઈને આજે વહીવટી અધિકારીઓ સાથે બેસીને જે એરપોર્ટ પર લોકો આવે છે એનું બરાબર ચેકિંગ, તેની તકેદારી અને જે પણ તૈયારી કરવી પડે તે કરવા માટેની ચર્ચા કરવામાં આવી છે.
બીજીતરફ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, કેનેડાથી દિલ્હી થઈ રાજકોટ આવેલા મુસાફરનું દિલ્હી એરપોર્ટ પર ચેકિંગ કરાયું હતું. આજની બેઠકમાં વેક્સિનેશન અને કોવિડ ગાઇડલાઇનના પાલન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઓમિક્રોન સામે રાજકોટનું તંત્ર સજ્જ છે. તમામ તૈયારીઓ રાખવામાં આવી છે. વિદેશથી આવતા મુસાફરોને ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે. આ માટે પોલીસ સાથે સંકલન પણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટથી 3 દર્દીના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
ઓમિક્રોનને લઇ સર્કિટ હાઉસ ખાતે જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, કલેક્ટર અરૂણ મહેશ બાબુ, તબીબો અને મનપા કમિશ્નર અમિત અરોરા વચ્ચે બેઠક યોજાઇ
બેઠકમાં નિર્ણય કરવાનો છે કે હવે પછી વિદેશથી આવનાર કોઇ વ્યક્તિના ચેકિંગમાં કોઇ કચાશ રહેશે નહીં. આ સાથે જ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની અછત ન રહે તેની તૈયારી માટેની ચર્ચા કરવામાં આવી છે - સાંસદ રામ મોકરિયા
ઓમિક્રોન સામે રાજકોટનું તંત્ર સજ્જ છે. તમામ તૈયારીઓ રાખવામાં આવી છે - કલેક્ટર અરૂણ મહેશ બાબુ
WatchGujarat. ઓમિક્રોનને લઇને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે એરપોર્ટ પર જ મુસાફરોનું ચેકિંગ બરાબર થતું નહીં હોવાનો આરોપ ભાજપનાં સાંસદ રામ મોકરિયાએ લગાવ્યો હતો. મીડિયા સમક્ષ નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે, કેનેડાનો એક મુસાફર મારી સાથે કાલે દિલ્હીથી રાજકોટ આવ્યો હતો. પણ એરપોર્ટ પર કોઈએ ખાસ ચેક કર્યો નહીં. જો કે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ એરપોર્ટ પર મુસાફરોનું ચેકીંગ થતું હોવાનું જણાવી તંત્ર સંપૂર્ણ સતર્ક હોવાનો દાવો કર્યો હતો.
ઓમિક્રોનને લઇ સર્કિટ હાઉસ ખાતે જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, કલેક્ટર અરૂણ મહેશ બાબુ, તબીબો અને મનપા કમિશ્નર અમિત અરોરા વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠક પહેલા રામ મોકરિયાએ મીડિયાને નિવેદન આપતા કહ્યું હતું કે, ઓમિક્રોનને લઇને અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છીએ. તેમજ સિવિલ હોસ્પિટલમાં પણ મુલાકાત લઈ તબીબો સાથે ચર્ચા કરવામાં આવી છે. બીજી લહેરની માફક મુશ્કેલી ઊભી ન થાય તે માટે તબીબો સાથે આ સમીક્ષા બેઠક કરવામાં આવી હતી.
વધુમાં તેણે જણાવ્યું હતું કે, જામનગરમાં ઓમિક્રોનનો કેસ આવતા સમગ્ર સૌરાષ્ટ્રનો આ પ્રથમ કેસ છે. જેને લઇને અમે બેઠક કરી છે. બેઠકમાં નિર્ણય કરવાનો છે કે હવે પછી વિદેશથી આવનાર કોઇ વ્યક્તિના ચેકિંગમાં કોઇ કચાશ રહેશે નહીં. આ સાથે જ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની અછત ન રહે તેની તૈયારી માટેની ચર્ચા કરવામાં આવી છે. ડોક્ટર કે નર્સને જે વસ્તુની જરૂર હોય તે માટે હું કેન્દ્ર સરકાર સાથે સતત કોર્ડિનેશનમાં રહીશ. લોકોની સુરક્ષા - સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે.
વિદેશથી આવતા લોકો પર તકેદારી રાખવી 100 ટકા જરૂરી હોવાનું કહી મોકરિયાએ જણાવ્યું હતું કે, હું કાલે દિલ્હીથી મારૂ સત્ર પુરૂ કરી રાજકોટ આવતો હતો ત્યારે સાથે કેનેડાનો મુસાફર હતો. પણ એરપોર્ટ પર તેને કોઇએ ખાસ ચેક કર્યો નહોતો. આથી મને ધ્યાનમાં આવ્યું કે, ક્યાંક કંઇક કચાશ રહી જતી લાગે છે. જેને લઈને આજે વહીવટી અધિકારીઓ સાથે બેસીને જે એરપોર્ટ પર લોકો આવે છે એનું બરાબર ચેકિંગ, તેની તકેદારી અને જે પણ તૈયારી કરવી પડે તે કરવા માટેની ચર્ચા કરવામાં આવી છે.
બીજીતરફ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, કેનેડાથી દિલ્હી થઈ રાજકોટ આવેલા મુસાફરનું દિલ્હી એરપોર્ટ પર ચેકિંગ કરાયું હતું. આજની બેઠકમાં વેક્સિનેશન અને કોવિડ ગાઇડલાઇનના પાલન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઓમિક્રોન સામે રાજકોટનું તંત્ર સજ્જ છે. તમામ તૈયારીઓ રાખવામાં આવી છે. વિદેશથી આવતા મુસાફરોને ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે. આ માટે પોલીસ સાથે સંકલન પણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટથી 3 દર્દીના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.