સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56માં સ્થાપના દિન નિમિતે યોજાયેલા ચાલુ કાર્યક્રમમાં ઇન્ચાર્જ VC ડો.ગીરીશ ભીમાણીના નામનો હલ્લાબોલ કરી સખત વિરોધ કરવામાં આવ્યો
NSUIનું આ પગલું અપરિપક્વતા દેખાડે છે. NSUI & યુથ કોંગ્રેસનું છબી ખરડાવાનું જે કૃત્ય થયું છે. - પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી પ્રદીપસિંહ ડોડીયા
એમ.ઓ.યુ. કરવાના ખાસ કાર્યક્રમમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી વર્ચ્યુઅલી જોડાયા હતા
WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચાલુ વર્ષે સેનેટની ચૂંટણી નહીં યોજાતા ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આજે યુનિવર્સિટીનાં સ્થાપના દિવસનાં કાર્યક્રમમાં આ મુદ્દે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં એક વિરોધકર્તા કોંગી આગેવાન સ્ટેજ પર ચડી ગયા હતા. જ્યારે અન્ય કેટલાક વિવિધ બેનરો સાથે સ્ટેજની આગળ જ ઉભા રહી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જો કે ત્યાં હાજર પોલીસ દ્વારા દેખાવો કરી રહેલા તમામની અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ થતા તેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે.
https://youtu.be/bWsEdG8VbKA
જાણવા મળતી વિગતો અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56માં સ્થાપના દિન નિમિતે યોજાયેલા ચાલુ કાર્યક્રમમાં ડો રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં યુથ કોંગ્રેસ અને NSUI દ્વરા સેનેટની ચૂંટણીના કરતા હોવા અને યુનિવર્સિટી એકટનો અમલના થતો હોઈ તેના વિરોધમાં ઇન્ચાર્જ VC ડો.ગીરીશ ભીમાણીના નામનો હલ્લાબોલ કરી સખત વિરોધ કરવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસે NSUIના આ પગલાંને વખોડ્યું હતું. અને પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી પ્રદીપસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, NSUIનું આ પગલું અપરિપક્વતા દેખાડે છે. NSUI & યુથ કોંગ્રેસનું છબી ખરડાવાનું જે કૃત્ય થયું છે. તેને વખોડવાની સાથે તેમણે વિદ્યાર્થીઓની- યુનિવર્સિટીની માફી માંગી દિલગીરી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં રાજકોટમાં ઇન્ચાર્જ VC ડો.ગિરીશ ભીમાણીએ બે મહત્વની જાહેરાત કરી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, 'પરીક્ષામાં થતી ગેરરીતિ ડામવા હવેથી તમામ પરીક્ષાઓના CCTV જાહેર જનતા જોઈ શકશે. આ ઉપરાંત ગૌ સંવર્ધન અને પ્રાકૃતિક ખેતી પર રિસર્ચ કરવા કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત પણ તેમના દ્વારા કરવામાં હતી. આ સાથે જ ગુજરાત રાજય યોગ બોર્ડ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન 234 કોલેજોના એક સાથે યોગ અંગેના એમ.ઓ.યુ. કરવાનો ખાસ કાર્યક્રમ કેમ્પસ પ્લાઝામાં યોજાયો હતો. જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી વર્ચ્યુઅલી જોડાયા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56માં સ્થાપના દિન નિમિતે યોજાયેલા ચાલુ કાર્યક્રમમાં ઇન્ચાર્જ VC ડો.ગીરીશ ભીમાણીના નામનો હલ્લાબોલ કરી સખત વિરોધ કરવામાં આવ્યો
NSUIનું આ પગલું અપરિપક્વતા દેખાડે છે. NSUI & યુથ કોંગ્રેસનું છબી ખરડાવાનું જે કૃત્ય થયું છે. - પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી પ્રદીપસિંહ ડોડીયા
એમ.ઓ.યુ. કરવાના ખાસ કાર્યક્રમમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી વર્ચ્યુઅલી જોડાયા હતા
WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચાલુ વર્ષે સેનેટની ચૂંટણી નહીં યોજાતા ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આજે યુનિવર્સિટીનાં સ્થાપના દિવસનાં કાર્યક્રમમાં આ મુદ્દે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં એક વિરોધકર્તા કોંગી આગેવાન સ્ટેજ પર ચડી ગયા હતા. જ્યારે અન્ય કેટલાક વિવિધ બેનરો સાથે સ્ટેજની આગળ જ ઉભા રહી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જો કે ત્યાં હાજર પોલીસ દ્વારા દેખાવો કરી રહેલા તમામની અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ થતા તેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે.
જાણવા મળતી વિગતો અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56માં સ્થાપના દિન નિમિતે યોજાયેલા ચાલુ કાર્યક્રમમાં ડો રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં યુથ કોંગ્રેસ અને NSUI દ્વરા સેનેટની ચૂંટણીના કરતા હોવા અને યુનિવર્સિટી એકટનો અમલના થતો હોઈ તેના વિરોધમાં ઇન્ચાર્જ VC ડો.ગીરીશ ભીમાણીના નામનો હલ્લાબોલ કરી સખત વિરોધ કરવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસે NSUIના આ પગલાંને વખોડ્યું હતું. અને પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી પ્રદીપસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, NSUIનું આ પગલું અપરિપક્વતા દેખાડે છે. NSUI & યુથ કોંગ્રેસનું છબી ખરડાવાનું જે કૃત્ય થયું છે. તેને વખોડવાની સાથે તેમણે વિદ્યાર્થીઓની- યુનિવર્સિટીની માફી માંગી દિલગીરી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં રાજકોટમાં ઇન્ચાર્જ VC ડો.ગિરીશ ભીમાણીએ બે મહત્વની જાહેરાત કરી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, 'પરીક્ષામાં થતી ગેરરીતિ ડામવા હવેથી તમામ પરીક્ષાઓના CCTV જાહેર જનતા જોઈ શકશે. આ ઉપરાંત ગૌ સંવર્ધન અને પ્રાકૃતિક ખેતી પર રિસર્ચ કરવા કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત પણ તેમના દ્વારા કરવામાં હતી. આ સાથે જ ગુજરાત રાજય યોગ બોર્ડ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન 234 કોલેજોના એક સાથે યોગ અંગેના એમ.ઓ.યુ. કરવાનો ખાસ કાર્યક્રમ કેમ્પસ પ્લાઝામાં યોજાયો હતો. જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી વર્ચ્યુઅલી જોડાયા હતા.