આજીડેમ વિસ્તારમાં રહેતા પીજીવીસેલના નિવૃત કર્મચારી બાવકુભાઈ જાડેજા નામના વૃદ્ધે આજે પોલીસ કમિશ્નર કચેરીમાં ન્યાયની માંગણી સાથે કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો
પોલીસે સમય સુચકતા વાપરી વૃદ્ધને આમ કરતા અટકાવી લીધા હતા. અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી
બાવકુભાઈનાં જણાવ્યા મુજબ આજીડેમમાં રહેતા રવિભાઈ જાડેજા અને તેના સાળા તેમજ સસરા ત્રણ મહિનાથી શારિરીક માનસિક ત્રાસ આપી મારકુટ કરી જઈ ખોટી ફરિયાદો કરે છે
WatchGujarat. શહેરની પોલીસ કમિશ્નર કચેરી ખાતે બાવકુ ભાઈ જાડેજા નામના વૃદ્ધનો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રવી જાડેજા સહિતના માથાભારે શો હેરાન કરતા હોય અને આજીડેમ પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાના આક્ષેપ સાથે વૃધે કેરોસીન છાટયું હતું. જેને પગલે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ આ વૃદ્ધને આપઘાતનો પ્રયાસ કરતા અટકાવી તેમની અટકાયત કરી હતી. અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ આજીડેમ વિસ્તારમાં રહેતા પીજીવીસેલના નિવૃત કર્મચારી બાવકુભાઈ જાડેજા નામના વૃદ્ધે આજે પોલીસ કમિશ્નર કચેરીમાં ન્યાયની માંગણી સાથે કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે સમય સુચકતા વાપરી વૃદ્ધને આમ કરતા અટકાવી લીધા હતા. અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં વૃદ્ધે પોતે શા માટે આ પગલું ભરવા મજબૂર થયા તેની વિગતો જણાવી હતી. આ રજુઆત સમયે વૃદ્ધ ગળગળા થઈ ગયા હતા.
બાવકુભાઈનાં જણાવ્યા મુજબ આજીડેમમાં રહેતા રવિભાઈ જાડેજા અને તેના સાળા તેમજ સસરા ત્રણ મહિનાથી શારિરીક માનસિક ત્રાસ આપી મારકુટ કરી જઈ ખોટી ફરિયાદો કરે છે. અને બનાવ સંદર્ભે વૃદ્ધની આજીડેમ પોલીસ પણ ફરિયાદ નહીં નોંધતી હોવાના આક્ષેપો કર્યા હતા. જોકે પોલીસ કર્મચારીઓ દ્વારા આ વૃદ્ધને સાંત્વના પાઠવી ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા સાથે મુલાકાત કરાવી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
આજીડેમ વિસ્તારમાં રહેતા પીજીવીસેલના નિવૃત કર્મચારી બાવકુભાઈ જાડેજા નામના વૃદ્ધે આજે પોલીસ કમિશ્નર કચેરીમાં ન્યાયની માંગણી સાથે કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો
પોલીસે સમય સુચકતા વાપરી વૃદ્ધને આમ કરતા અટકાવી લીધા હતા. અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી
બાવકુભાઈનાં જણાવ્યા મુજબ આજીડેમમાં રહેતા રવિભાઈ જાડેજા અને તેના સાળા તેમજ સસરા ત્રણ મહિનાથી શારિરીક માનસિક ત્રાસ આપી મારકુટ કરી જઈ ખોટી ફરિયાદો કરે છે
WatchGujarat. શહેરની પોલીસ કમિશ્નર કચેરી ખાતે બાવકુ ભાઈ જાડેજા નામના વૃદ્ધનો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રવી જાડેજા સહિતના માથાભારે શો હેરાન કરતા હોય અને આજીડેમ પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાના આક્ષેપ સાથે વૃધે કેરોસીન છાટયું હતું. જેને પગલે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ આ વૃદ્ધને આપઘાતનો પ્રયાસ કરતા અટકાવી તેમની અટકાયત કરી હતી. અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ આજીડેમ વિસ્તારમાં રહેતા પીજીવીસેલના નિવૃત કર્મચારી બાવકુભાઈ જાડેજા નામના વૃદ્ધે આજે પોલીસ કમિશ્નર કચેરીમાં ન્યાયની માંગણી સાથે કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે સમય સુચકતા વાપરી વૃદ્ધને આમ કરતા અટકાવી લીધા હતા. અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં વૃદ્ધે પોતે શા માટે આ પગલું ભરવા મજબૂર થયા તેની વિગતો જણાવી હતી. આ રજુઆત સમયે વૃદ્ધ ગળગળા થઈ ગયા હતા.
બાવકુભાઈનાં જણાવ્યા મુજબ આજીડેમમાં રહેતા રવિભાઈ જાડેજા અને તેના સાળા તેમજ સસરા ત્રણ મહિનાથી શારિરીક માનસિક ત્રાસ આપી મારકુટ કરી જઈ ખોટી ફરિયાદો કરે છે. અને બનાવ સંદર્ભે વૃદ્ધની આજીડેમ પોલીસ પણ ફરિયાદ નહીં નોંધતી હોવાના આક્ષેપો કર્યા હતા. જોકે પોલીસ કર્મચારીઓ દ્વારા આ વૃદ્ધને સાંત્વના પાઠવી ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા સાથે મુલાકાત કરાવી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.