રાજકોટથી દિલ્હીની સ્પાઇસ જેટની ફ્લાઇટ કલાકો સુધી 2 રન વે ઉપર જ અટવાઈ ગઈ હતી
100થી વધુ મુસાફરોએ રાજકોટ એરપોર્ટના રન વે ઉપર બેસવાનો વારો આવ્યો હતો
રાત્રે 8 વાગ્યાની રાજકોટ દિલ્હી ફ્લાઈટએ 12 વાગ્યા સુધી ટેક ઑફ નહીં કરતા લોકો રનવે પર પલાઠી વાળી બેસી ગયા
WatchGujarat. એરપોર્ટ પર અવારનવાર મુસાફરો અટવતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી એક વાર મુસાફરોને હેરાન-પરેશાન થવાનો વારો આવ્યો છે. જેમાં રાજકોટ એરપોર્ટ પર મુસાફરો રઝળી પડ્યા હતા જેમાં સ્પાઇસ જેટની ફ્લાઇટ અટવાતા દેકારો બોલી ગયો હતો. અને કલાકો સુધી મુસાફરોને રન-વે ઉપર બેસી જવું પડ્યું હતું. જ્યાં પાણી-ભોજનની વ્યવસ્થા પણ નહીં હોવાનો આરોપ મુસાફરોએ લગાવ્યો હતો.
જાણવા મળતી વિગત અનુસાર રાજકોટથી દિલ્હીની સ્પાઇસ જેટની ફ્લાઇટ કલાકો સુધી 2 રન વે ઉપર જ અટવાઈ ગઈ હતી. જેને લઈને 100થી વધુ મુસાફરોએ રાજકોટ એરપોર્ટના રન વે ઉપર બેસવાનો વારો આવ્યો હતો. એટલું જ નહીં કલાકો સુધી એરપોર્ટ ઓથોરિટી કે સ્પાઇસજેટ દ્વારા કોઈ જવાબ અપાયો નહીં હોવાનું તેમજ પેસેન્જરોને તેમની સ્થિતિ પર છોડી મુકાયાનું સામે આવ્યું હતું.
રાત્રે 8 વાગ્યાની રાજકોટ દિલ્હી ફ્લાઈટએ 12 વાગ્યા સુધી ટેક ઑફ નહીં કરતા લોકો રનવે પર પલાઠી વાળી બેસી ગયા હતા. એટલું જ નહીં એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું હતું. A/C મિકેનિકલ ફોલ્ટ હોવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયાનું સામે આવ્યું હતું. આ કારણે ગોવા અમદાવાદ ફ્લાઈટ પણ અંદાજે 2 કલાક મોડી થઈ હતી. અને તેમાં મુસાફરી કરતા લોકો પણ પરેશાન થયા હતા. જેને લઈને મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. જો કે બાદમાં અધિકારીઓ દ્વારા સમજાવટથી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
રાજકોટથી દિલ્હીની સ્પાઇસ જેટની ફ્લાઇટ કલાકો સુધી 2 રન વે ઉપર જ અટવાઈ ગઈ હતી
100થી વધુ મુસાફરોએ રાજકોટ એરપોર્ટના રન વે ઉપર બેસવાનો વારો આવ્યો હતો
રાત્રે 8 વાગ્યાની રાજકોટ દિલ્હી ફ્લાઈટએ 12 વાગ્યા સુધી ટેક ઑફ નહીં કરતા લોકો રનવે પર પલાઠી વાળી બેસી ગયા
WatchGujarat. એરપોર્ટ પર અવારનવાર મુસાફરો અટવતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી એક વાર મુસાફરોને હેરાન-પરેશાન થવાનો વારો આવ્યો છે. જેમાં રાજકોટ એરપોર્ટ પર મુસાફરો રઝળી પડ્યા હતા જેમાં સ્પાઇસ જેટની ફ્લાઇટ અટવાતા દેકારો બોલી ગયો હતો. અને કલાકો સુધી મુસાફરોને રન-વે ઉપર બેસી જવું પડ્યું હતું. જ્યાં પાણી-ભોજનની વ્યવસ્થા પણ નહીં હોવાનો આરોપ મુસાફરોએ લગાવ્યો હતો.
જાણવા મળતી વિગત અનુસાર રાજકોટથી દિલ્હીની સ્પાઇસ જેટની ફ્લાઇટ કલાકો સુધી 2 રન વે ઉપર જ અટવાઈ ગઈ હતી. જેને લઈને 100થી વધુ મુસાફરોએ રાજકોટ એરપોર્ટના રન વે ઉપર બેસવાનો વારો આવ્યો હતો. એટલું જ નહીં કલાકો સુધી એરપોર્ટ ઓથોરિટી કે સ્પાઇસજેટ દ્વારા કોઈ જવાબ અપાયો નહીં હોવાનું તેમજ પેસેન્જરોને તેમની સ્થિતિ પર છોડી મુકાયાનું સામે આવ્યું હતું.
રાત્રે 8 વાગ્યાની રાજકોટ દિલ્હી ફ્લાઈટએ 12 વાગ્યા સુધી ટેક ઑફ નહીં કરતા લોકો રનવે પર પલાઠી વાળી બેસી ગયા હતા. એટલું જ નહીં એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું હતું. A/C મિકેનિકલ ફોલ્ટ હોવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયાનું સામે આવ્યું હતું. આ કારણે ગોવા અમદાવાદ ફ્લાઈટ પણ અંદાજે 2 કલાક મોડી થઈ હતી. અને તેમાં મુસાફરી કરતા લોકો પણ પરેશાન થયા હતા. જેને લઈને મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. જો કે બાદમાં અધિકારીઓ દ્વારા સમજાવટથી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.