રાજકોટ શહેર-જિલ્લાની જે 34 દુકાનોમાં તપાસ પૂરી થઇ ત્યાં કોમ્પ્યુટર નિષ્ણાંતોએ બધું ચકાસી જોયું છતાં કશું વાંધાજનક મળ્યું નથી
પ્રાથમિક તપાસમાં કશું નથી મળ્યું પણ 100 ટકા રાશનકાર્ડ ક્રોસ વેરિફિકેશન સહિતની ડીટેઇલ તપાસ હજુ હવે થશે - પ્રશાંત માંગુડા
પ્રહલાદ મોદીની આ રજુઆત સમયે સસ્તા અનાજનાં તમામ દુકાનદારો હાજર રહેશે
WatchGujarat. 'ઢીંગલી' નામથી ઓળખાતા સોફ્ટવેર દ્વારા રાજ્યવ્યાપી અનાજ કૌભાંડ થયું હોવાની આશંકાએ હાલ વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે બરાબર આ જ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ભાઈ પ્રહલાદ મોદી આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે. રાશન વિક્રેતાઓએ તેમને પડતી મુશ્કેલીઓ બાબતે કલેક્ટરને રજૂઆત કરવા માટે પોતાના લીડર પ્રહલાદ મોદીને બોલાવ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મુલાકાતમાં અનાજ કૌભાંડની તપાસ રોકવા કોઇ માંગ કરવામાં આવશે નહીં. પરંતુ તપાસ જોરશોરથી ચાલી રહી છે અને ત્યારે જ પ્રહલાદ મોદી રાજકોટમાં આવી રહ્યા હોવાથી આ મુલાકાત તપાસ રોકવા માટે હોવાની ચર્ચા લોકોમાં ઉઠી રહી છે.
રાજકોટ શહેર-જિલ્લાની જે 34 દુકાનોમાં તપાસ પૂરી થઇ ત્યાં કોમ્પ્યુટર નિષ્ણાંતોએ બધું ચકાસી જોયું છતાં કશું વાંધાજનક મળ્યું નથી. જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત માંગુડાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં કશું નથી મળ્યું પણ 100 ટકા રાશનકાર્ડ ક્રોસ વેરિફિકેશન સહિતની ડીટેઇલ તપાસ હજુ હવે થશે. આ દરમિયાન સસ્તા અનાજના દુકાનદારોના સંગઠને ગુજરાત ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એેસોસીએસનના પ્રમુખ પ્રહલાદ મોદીને આવતીકલે રાજકોટ બોલાવ્યા છે. અહીં તેઓ જિલ્લા કલેક્ટરને મળીને રજૂઆત કરશે.
પ્રહલાદ મોદીની આ રજુઆત સમયે સસ્તા અનાજનાં તમામ દુકાનદારો હાજર રહેશે. અને આવેદન આપ્યા બાદ બપોરે 1 વાગ્યે વ્યાજબી ભાવના દુકાનદારોના એ લીડર સાથે સમૂહભોજન અને વેપારીઓની બેઠક પણ રાખવામાં આવી છે.ગુરૂવારના મહા સંમેલનનો તખ્તો ગોઠવવા માટે મળેલી બેઠકમાં એવો સૂર નીકળ્યો છે કે અનાજ તા. 28 આસપાસ આવે અને સર્વર બંધ હોય તો એમ જ માલ આપવો પડયો હોય, ચાર પાંચ બિલ આવા હોય તો એવી દુકાનોમાં તપાસની કડકાઇ ન થવી જોઇએ. જો કે કૌભાંડની તીવ્રતા જ્યાં વધુ છે એવા બનાસકાંઠા - સાબરકાંઠામાં આવી રજૂઆતને બદલે પ્રથમ રાજકોટ જિલ્લામાં આ રજુઆત શા માટે તે પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડવાનાં બાકી આરોપીઓમાં રાજકોટ, ઉપલેટા, જસદણના 4 શખ્સના નામ દર્શાવેલા હતા. તથા જપ્ત મોબાઇલ કે લેપટોપમાંથી યુઝર આઇડી તથા દુકાનના કોડ મળી આવ્યા એવા વેપારીઓમાં, ગેમ સ્કેન એપ ડેટામાંથી મળેલા નામોમાં તથા પુછતાછમાં બહાર આવેલા નામોમાં પણ રાજકોટ જિલ્લાના કેટલાંકની સંડોવણી ગણી છે. આ તબક્કે લીડરની મધ્યસ્થી દ્વારા રજૂઆત તે તપાસ રોકાવાનો પ્રયાસ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જો કે આ વેપારીઓને કદાચ ખ્યાલ નથી. કે ખુદ કલેક્ટર પણ આ તપાસ રોકાવી શકે એમ નથી. કારણ કે, આ માટેનાં આદેશ ગાંધીનગરથી થયા છે.
- રાજકોટ શહેર-જિલ્લાની જે 34 દુકાનોમાં તપાસ પૂરી થઇ ત્યાં કોમ્પ્યુટર નિષ્ણાંતોએ બધું ચકાસી જોયું છતાં કશું વાંધાજનક મળ્યું નથી
- પ્રાથમિક તપાસમાં કશું નથી મળ્યું પણ 100 ટકા રાશનકાર્ડ ક્રોસ વેરિફિકેશન સહિતની ડીટેઇલ તપાસ હજુ હવે થશે - પ્રશાંત માંગુડા
- પ્રહલાદ મોદીની આ રજુઆત સમયે સસ્તા અનાજનાં તમામ દુકાનદારો હાજર રહેશે
WatchGujarat. 'ઢીંગલી' નામથી ઓળખાતા સોફ્ટવેર દ્વારા રાજ્યવ્યાપી અનાજ કૌભાંડ થયું હોવાની આશંકાએ હાલ વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે બરાબર આ જ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ભાઈ પ્રહલાદ મોદી આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે. રાશન વિક્રેતાઓએ તેમને પડતી મુશ્કેલીઓ બાબતે કલેક્ટરને રજૂઆત કરવા માટે પોતાના લીડર પ્રહલાદ મોદીને બોલાવ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મુલાકાતમાં અનાજ કૌભાંડની તપાસ રોકવા કોઇ માંગ કરવામાં આવશે નહીં. પરંતુ તપાસ જોરશોરથી ચાલી રહી છે અને ત્યારે જ પ્રહલાદ મોદી રાજકોટમાં આવી રહ્યા હોવાથી આ મુલાકાત તપાસ રોકવા માટે હોવાની ચર્ચા લોકોમાં ઉઠી રહી છે.
રાજકોટ શહેર-જિલ્લાની જે 34 દુકાનોમાં તપાસ પૂરી થઇ ત્યાં કોમ્પ્યુટર નિષ્ણાંતોએ બધું ચકાસી જોયું છતાં કશું વાંધાજનક મળ્યું નથી. જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત માંગુડાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં કશું નથી મળ્યું પણ 100 ટકા રાશનકાર્ડ ક્રોસ વેરિફિકેશન સહિતની ડીટેઇલ તપાસ હજુ હવે થશે. આ દરમિયાન સસ્તા અનાજના દુકાનદારોના સંગઠને ગુજરાત ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એેસોસીએસનના પ્રમુખ પ્રહલાદ મોદીને આવતીકલે રાજકોટ બોલાવ્યા છે. અહીં તેઓ જિલ્લા કલેક્ટરને મળીને રજૂઆત કરશે.
પ્રહલાદ મોદીની આ રજુઆત સમયે સસ્તા અનાજનાં તમામ દુકાનદારો હાજર રહેશે. અને આવેદન આપ્યા બાદ બપોરે 1 વાગ્યે વ્યાજબી ભાવના દુકાનદારોના એ લીડર સાથે સમૂહભોજન અને વેપારીઓની બેઠક પણ રાખવામાં આવી છે.ગુરૂવારના મહા સંમેલનનો તખ્તો ગોઠવવા માટે મળેલી બેઠકમાં એવો સૂર નીકળ્યો છે કે અનાજ તા. 28 આસપાસ આવે અને સર્વર બંધ હોય તો એમ જ માલ આપવો પડયો હોય, ચાર પાંચ બિલ આવા હોય તો એવી દુકાનોમાં તપાસની કડકાઇ ન થવી જોઇએ. જો કે કૌભાંડની તીવ્રતા જ્યાં વધુ છે એવા બનાસકાંઠા - સાબરકાંઠામાં આવી રજૂઆતને બદલે પ્રથમ રાજકોટ જિલ્લામાં આ રજુઆત શા માટે તે પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડવાનાં બાકી આરોપીઓમાં રાજકોટ, ઉપલેટા, જસદણના 4 શખ્સના નામ દર્શાવેલા હતા. તથા જપ્ત મોબાઇલ કે લેપટોપમાંથી યુઝર આઇડી તથા દુકાનના કોડ મળી આવ્યા એવા વેપારીઓમાં, ગેમ સ્કેન એપ ડેટામાંથી મળેલા નામોમાં તથા પુછતાછમાં બહાર આવેલા નામોમાં પણ રાજકોટ જિલ્લાના કેટલાંકની સંડોવણી ગણી છે. આ તબક્કે લીડરની મધ્યસ્થી દ્વારા રજૂઆત તે તપાસ રોકાવાનો પ્રયાસ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જો કે આ વેપારીઓને કદાચ ખ્યાલ નથી. કે ખુદ કલેક્ટર પણ આ તપાસ રોકાવી શકે એમ નથી. કારણ કે, આ માટેનાં આદેશ ગાંધીનગરથી થયા છે.