જસદણના આટકોટમાં કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યલિટી હોસ્પિટલનું તા. 28 મેનાં રોજ પ્રધાનમંત્રી લોકાર્પણ કરવાના છે
કાર્યક્રમમાં સૌરાષ્ટ્રનાં 11 જિલ્લામાંથી ત્રણ લાખથી પણ વધુ લોકો ઉમટી પડશે
વડાપ્રધાન સહિતનાં દિગ્ગજો માટે 4 હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા
1500 જેટલા સ્વયંસેવકો પાર્કિંગમાં અને ટ્રાફિક મેનેજમેન્ટમાં સેવા આપશે
WatchGujarat. આગામી તા. 28નાં રોજ કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું પીએમ નરેન્દ્ર મોદીનાં હસ્તે લોકાર્પણ થનાર છે. હાલ આ કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અંદાજે 3 લાખથી વધારે લોકો આ તકે આવનાર હોવાથી કોઈ અવ્યવસ્થા ન થાય તે માટે કાળજી રખાઈ છે. સાથે જ તમામ લોકોને પાર્કિંગ તેમજ જમવા સહિતની સંપૂર્ણ વ્યવસ્થા સુંદર રીતે કરવામાં આવી છે. જેમાં ગરમીનો સમય હોવાથી લોકોને ઠંડક મળે તેમજ ચાલવાનું ઓછું રહે જેવી નાની બાબતોનું પણ માઈક્રોપ્લાનિંગ કરવામાં આવ્યું છે.
આ અંગે વ્યવસ્થા સંભાળનાર બિલ્ડર એસો. પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું હતું કે, જસદણના આટકોટમાં કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યલિટી હોસ્પિટલનું તા. 28 મેનાં રોજ પ્રધાનમંત્રી લોકાર્પણ કરવાના છે. ત્યારે આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રનાં 11 જિલ્લામાંથી ત્રણ લાખથી પણ વધુ લોકો ઉમટી પડવાના છે. આ માટે 500 વિધા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં સભાસ્થળ સુધી પહોંચવા વધુ ચાલવું પડે નહીં તે માટે સભાસ્થળની આસપાસ અને નજીક પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે. વડાપ્રધાન સહિતનાં દિગ્ગજો માટે 4 હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 600×1200 ફૂટનો વિશાળ મુખ્ય ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં પણ જાહેર જનતાને બેસવા માટે અલગ અલગ 4 ડોમ ઉભા કરાયા છે. આ તકે 1500 જેટલા સ્વયંસેવકો પાર્કિંગમાં અને ટ્રાફિક મેનેજમેન્ટમાં સેવા આપશે. તો સાથે જ 2000 સ્વયંસેવકો બેઠક વ્યવસ્થામાં ખડેપગે રહેશે. ઉનાળાને કારણે લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે 2 લાખ લીટર પીવાનું પાણી ડોમમાં રાખવામાં આવશે.
આ ઉપરાંત જે લોકો જાહેર સભામાં આવે તે તમામ માટે ભોજનની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં વિશાળ જગ્યામાં 200થી વધુ કાઉન્ટર ગોઠવી દેવામાં આવ્યા છે. અને લોકો જમવાનું લેવાની સાથે આગળ ચાલતા રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 2 કલાકમાં 3 લાખ લોકો ભોજન લઈ શકે તેના માટેની તમામ સગવડ ઉભી કરાઈ છે. તેમજ જો ધારણા કરતા વધુ લોકો આવે તો તેના માટે પણ ખાસ એલઇડી સ્ક્રીન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
જસદણના આટકોટમાં કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યલિટી હોસ્પિટલનું તા. 28 મેનાં રોજ પ્રધાનમંત્રી લોકાર્પણ કરવાના છે
કાર્યક્રમમાં સૌરાષ્ટ્રનાં 11 જિલ્લામાંથી ત્રણ લાખથી પણ વધુ લોકો ઉમટી પડશે
વડાપ્રધાન સહિતનાં દિગ્ગજો માટે 4 હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા
1500 જેટલા સ્વયંસેવકો પાર્કિંગમાં અને ટ્રાફિક મેનેજમેન્ટમાં સેવા આપશે
WatchGujarat. આગામી તા. 28નાં રોજ કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું પીએમ નરેન્દ્ર મોદીનાં હસ્તે લોકાર્પણ થનાર છે. હાલ આ કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અંદાજે 3 લાખથી વધારે લોકો આ તકે આવનાર હોવાથી કોઈ અવ્યવસ્થા ન થાય તે માટે કાળજી રખાઈ છે. સાથે જ તમામ લોકોને પાર્કિંગ તેમજ જમવા સહિતની સંપૂર્ણ વ્યવસ્થા સુંદર રીતે કરવામાં આવી છે. જેમાં ગરમીનો સમય હોવાથી લોકોને ઠંડક મળે તેમજ ચાલવાનું ઓછું રહે જેવી નાની બાબતોનું પણ માઈક્રોપ્લાનિંગ કરવામાં આવ્યું છે.
આ અંગે વ્યવસ્થા સંભાળનાર બિલ્ડર એસો. પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું હતું કે, જસદણના આટકોટમાં કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યલિટી હોસ્પિટલનું તા. 28 મેનાં રોજ પ્રધાનમંત્રી લોકાર્પણ કરવાના છે. ત્યારે આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રનાં 11 જિલ્લામાંથી ત્રણ લાખથી પણ વધુ લોકો ઉમટી પડવાના છે. આ માટે 500 વિધા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં સભાસ્થળ સુધી પહોંચવા વધુ ચાલવું પડે નહીં તે માટે સભાસ્થળની આસપાસ અને નજીક પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે. વડાપ્રધાન સહિતનાં દિગ્ગજો માટે 4 હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 600×1200 ફૂટનો વિશાળ મુખ્ય ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં પણ જાહેર જનતાને બેસવા માટે અલગ અલગ 4 ડોમ ઉભા કરાયા છે. આ તકે 1500 જેટલા સ્વયંસેવકો પાર્કિંગમાં અને ટ્રાફિક મેનેજમેન્ટમાં સેવા આપશે. તો સાથે જ 2000 સ્વયંસેવકો બેઠક વ્યવસ્થામાં ખડેપગે રહેશે. ઉનાળાને કારણે લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે 2 લાખ લીટર પીવાનું પાણી ડોમમાં રાખવામાં આવશે.
આ ઉપરાંત જે લોકો જાહેર સભામાં આવે તે તમામ માટે ભોજનની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં વિશાળ જગ્યામાં 200થી વધુ કાઉન્ટર ગોઠવી દેવામાં આવ્યા છે. અને લોકો જમવાનું લેવાની સાથે આગળ ચાલતા રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 2 કલાકમાં 3 લાખ લોકો ભોજન લઈ શકે તેના માટેની તમામ સગવડ ઉભી કરાઈ છે. તેમજ જો ધારણા કરતા વધુ લોકો આવે તો તેના માટે પણ ખાસ એલઇડી સ્ક્રીન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.