કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં મંદિર પરિસરમાં એકસાથે 200 ભાવિકો સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકશે
સાર્વજનીક ગણેશ મહોત્સવમાં મહતમ 4 ફુટની જ્યારે ઘરમાં મહતમ 2 ફુટની ગણેશ મૂર્તિનું સ્થાપન થઈ શકશે
પોલીસ કમિશ્નરે સ્થાનિક સતા મંડળ દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ વિસર્જન કુંડમાં મુર્તિઓનું વિસર્જન કરવા અને આ સમયે ભીડ એકઠી ન કરવા જણાવાયું
[caption id="attachment_1388008" align="aligncenter" width="640"] Rajkot - police commissioner[/caption]
WatchGujarat. રાજ્યમાં આગામી જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવના તહેવારોને લઈ માર્ગદર્શિકા બહાર પાડી છૂટછાટ સાથે તહેવારો ઉજવવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. જેમાં ગણેશ મહોત્સવમાં 4 ફુટથી ઊંચી સ્થાપન સામે મનાઈ ફરમાવવામાં આવી છે. જ્યારે વિસર્જનમાં પણ ફક્ત 15 ભક્તોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. તો જન્માષ્ટમીમાં મટકીફોડ પર પ્રતિબંધ લગાવાયો છે. સાથે-સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું પાલન કરવા જણાવાયું છે.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં જાહેરનામાં મુજબ તા. 30નાં પરંપરાગત રીતે યોજાતા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં મંદિર પરિસરમાં એકસાથે 200 ભાવિકો સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકશે તથા મંદિર પરિસરમાં ફરજીયાત માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. તેમજ જન્માષ્ટમી તહેવારમાં પારંપારિક રીતે નીકળતી શોભાયાત્રાનું 200 વ્યક્તિઓ સાથે મર્યાદિત રૂટ પર મર્યાદિત વાહનો સાથે આયોજન કરી શકાશે. ઉપરાંત જન્માષ્ટમીના તહેવારમાં કૃષ્ણ જન્મોત્સવ સમયે યોજાતા મટકીફોડના કાર્યક્રમનું આયોજન કરી શકાશે નહીં.
આગામી મહિને આવનારા ગણેશ મહોત્સવને લઈ સાર્વજનીક ગણેશ મહોત્સવમાં મહતમ 4 ફુટની જ્યારે ઘરમાં મહતમ 2 ફુટની ગણેશ મૂર્તિનું સ્થાપન થઈ શકશે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ શક્ય હોય તેટલો નાનો રાખવો અને આયોજકોએ પંડાલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી યોગ્ય અંતરે ગોળ કુંડાળા કરી દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે. માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે અન્ય કોઈ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં તથા ગણેશ વિસર્જનમાં મહતમ 15 વ્યક્તિની મર્યાદામાં એક જ વાહન મારફત વિસર્જન કરી શકાશે. અને ઘરમાં સ્થાપન કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન ઘરે જ કરવાની અપીલ કરવામાં આવી છે. ગણેશ મહોત્સવ દરમિયાન તા. 9-9 થી તા. 19-9 સુધી રાત્રિ કરફ્યુ રાતના 12 વાગ્યાથી લાગુ થશે તથા ગણેશ પંડાલમાં રાત્રિના 12 વાગ્યા સુધી દર્શન ચાલુ રાખી શકાશે તેમ જણાવ્યું છે.
તંત્ર દ્વારા બનાવાયેલા કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે
ગણેશ મહોત્સવમાં વિસર્જન સમયે કોઈ જાનહાની થતી અટકાવી શકાય અને પાણીમાં દરેક સ્થળે પ્રદુષણ થતુ અટકે તેને ધ્યાને લઈ તંત્ર દ્વારા કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવે છે. ત્યારે પોલીસ કમિશ્નરે સ્થાનિક સતા મંડળ દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ વિસર્જન કુંડમાં મુર્તિઓનું વિસર્જન કરવા અને આ સમયે ભીડ એકઠી ન કરવા જણાવાયું છે.
જન્માષ્ટમીમાં મટકી ફોડના આયોજન પર પાબંધી
જન્માષ્ટમીના તહેવારમાં કૃષ્ણ જન્મોત્સવની રાત્રે ભાવિકો દ્વારા મટકીફોડના આયોજનો યોજી ખૂબ જ ધામધુમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ કોરોના મહામારીને ધ્યાને લઈ આ વર્ષે સરકાર દ્વારા ધાર્મિક ઉત્સવોની નિયમો સાથે ઉજવણીની છૂટ આપવામાં આવી છે. જેમાં જન્માષ્ટમીના તહેવાર ઉપર મટકી ફોડના આયોજનો ઉપર પાબંધી લગાવવામાં આવી છે. મટકીફોડના કાર્યક્રમોમાં મોટાપાયે લોકોની ભીડ એકઠા થવાની ભીતિ સેવાઈ રહી હોવાથી કોરોના સંક્રમણ ફેલાઈ નહીં તેથી આવા મટકીફોડના કાર્યક્રમો ન કરવા જણાવાયું છે.
કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં મંદિર પરિસરમાં એકસાથે 200 ભાવિકો સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકશે
સાર્વજનીક ગણેશ મહોત્સવમાં મહતમ 4 ફુટની જ્યારે ઘરમાં મહતમ 2 ફુટની ગણેશ મૂર્તિનું સ્થાપન થઈ શકશે
પોલીસ કમિશ્નરે સ્થાનિક સતા મંડળ દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ વિસર્જન કુંડમાં મુર્તિઓનું વિસર્જન કરવા અને આ સમયે ભીડ એકઠી ન કરવા જણાવાયું
WatchGujarat. રાજ્યમાં આગામી જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવના તહેવારોને લઈ માર્ગદર્શિકા બહાર પાડી છૂટછાટ સાથે તહેવારો ઉજવવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. જેમાં ગણેશ મહોત્સવમાં 4 ફુટથી ઊંચી સ્થાપન સામે મનાઈ ફરમાવવામાં આવી છે. જ્યારે વિસર્જનમાં પણ ફક્ત 15 ભક્તોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. તો જન્માષ્ટમીમાં મટકીફોડ પર પ્રતિબંધ લગાવાયો છે. સાથે-સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું પાલન કરવા જણાવાયું છે.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં જાહેરનામાં મુજબ તા. 30નાં પરંપરાગત રીતે યોજાતા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં મંદિર પરિસરમાં એકસાથે 200 ભાવિકો સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકશે તથા મંદિર પરિસરમાં ફરજીયાત માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. તેમજ જન્માષ્ટમી તહેવારમાં પારંપારિક રીતે નીકળતી શોભાયાત્રાનું 200 વ્યક્તિઓ સાથે મર્યાદિત રૂટ પર મર્યાદિત વાહનો સાથે આયોજન કરી શકાશે. ઉપરાંત જન્માષ્ટમીના તહેવારમાં કૃષ્ણ જન્મોત્સવ સમયે યોજાતા મટકીફોડના કાર્યક્રમનું આયોજન કરી શકાશે નહીં.
આગામી મહિને આવનારા ગણેશ મહોત્સવને લઈ સાર્વજનીક ગણેશ મહોત્સવમાં મહતમ 4 ફુટની જ્યારે ઘરમાં મહતમ 2 ફુટની ગણેશ મૂર્તિનું સ્થાપન થઈ શકશે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ શક્ય હોય તેટલો નાનો રાખવો અને આયોજકોએ પંડાલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી યોગ્ય અંતરે ગોળ કુંડાળા કરી દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે. માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે અન્ય કોઈ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં તથા ગણેશ વિસર્જનમાં મહતમ 15 વ્યક્તિની મર્યાદામાં એક જ વાહન મારફત વિસર્જન કરી શકાશે. અને ઘરમાં સ્થાપન કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન ઘરે જ કરવાની અપીલ કરવામાં આવી છે. ગણેશ મહોત્સવ દરમિયાન તા. 9-9 થી તા. 19-9 સુધી રાત્રિ કરફ્યુ રાતના 12 વાગ્યાથી લાગુ થશે તથા ગણેશ પંડાલમાં રાત્રિના 12 વાગ્યા સુધી દર્શન ચાલુ રાખી શકાશે તેમ જણાવ્યું છે.
તંત્ર દ્વારા બનાવાયેલા કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે
ગણેશ મહોત્સવમાં વિસર્જન સમયે કોઈ જાનહાની થતી અટકાવી શકાય અને પાણીમાં દરેક સ્થળે પ્રદુષણ થતુ અટકે તેને ધ્યાને લઈ તંત્ર દ્વારા કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવે છે. ત્યારે પોલીસ કમિશ્નરે સ્થાનિક સતા મંડળ દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ વિસર્જન કુંડમાં મુર્તિઓનું વિસર્જન કરવા અને આ સમયે ભીડ એકઠી ન કરવા જણાવાયું છે.
જન્માષ્ટમીમાં મટકી ફોડના આયોજન પર પાબંધી
જન્માષ્ટમીના તહેવારમાં કૃષ્ણ જન્મોત્સવની રાત્રે ભાવિકો દ્વારા મટકીફોડના આયોજનો યોજી ખૂબ જ ધામધુમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ કોરોના મહામારીને ધ્યાને લઈ આ વર્ષે સરકાર દ્વારા ધાર્મિક ઉત્સવોની નિયમો સાથે ઉજવણીની છૂટ આપવામાં આવી છે. જેમાં જન્માષ્ટમીના તહેવાર ઉપર મટકી ફોડના આયોજનો ઉપર પાબંધી લગાવવામાં આવી છે. મટકીફોડના કાર્યક્રમોમાં મોટાપાયે લોકોની ભીડ એકઠા થવાની ભીતિ સેવાઈ રહી હોવાથી કોરોના સંક્રમણ ફેલાઈ નહીં તેથી આવા મટકીફોડના કાર્યક્રમો ન કરવા જણાવાયું છે.