રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન અપાયું
સરકીટ હાઉસ ખાતે DCP અને ACP સહિતનાં અધિકારીઓની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું
ચાર્જ સંભાળતાની સાથે રાજુ ભાર્ગવે પ્રજાજનોને પોલીસને સાથ-સહકાર આપવા અપીલ કરી
WatchGujarat. રાજકોટ શહેરમાં ત્રણ વર્ષથી વધારે સમય પોલીસ કમિશ્નર રહેલા મનોજ અગ્રવાલની ઉપર તોડકાંડનાં આક્ષેપો બાદ તેમની તાત્કાલિક અસરથી જૂનાગઢ પીટીસીમાં બદલી કરવામાં આવી હતી. ત્યારબાદથી ખુરશીદ અહેમદ ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર તરીકેની ફરજ બજાવી રહ્યા હતા. પરંતુ હવે રાજ્ય સરકારે પોલીસ કમિશ્નર તરીકે રાજુ ભાર્ગવની નિમણુંક કરતા આજે તેઓ ચાર્જ સંભાળવા આવી પહોંચ્યા હતા. આ તકે સરકીટ હાઉસ ખાતે DCP અને ACP સહિતનાં અધિકારીઓની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ચાર્જ સંભાળતાની સાથે રાજુ ભાર્ગવે પ્રજાજનોને પોલીસને સાથ-સહકાર આપવા અપીલ કરી હતી.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે કહ્યું હતું કે, જે આશા સાથે મને અહીં મુકવામાં આવ્યો છે તે મુજબ પારદર્શક પોલીસનો અભિગમ સાર્થક કરીશું. જનતા સાથે મળીને પડકારોનો ઉકેલ લાવવામાં આવશે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવાની પ્રાથમિકતા રહેશે. સાથે જ રાજકોટની ટ્રાફિકની સમસ્યા વિષે કહ્યું હતું કે, રાજકોટની ટ્રાફિકની સમસ્યાથી હું વાકેફ છું, જેને મહદઅંશે દૂર કરવાનાં પ્રયત્નો કરીશું. રાજકોટ પોલીસની ખરડાયેલી છબીને સુધારવા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવશે અને પોલીસને બને તેટલો વધુ સહકાર આપવા રાજકોટના શહેરીજનોને અપીલ પણ તેમણે કરી હતી.
આજે રાજકોટમાં લાંબા સમય બાદ પોલીસ કમિશ્નરની ખાલી પડેલી જગ્યા ભરાઈ છે. અને નવા પોલીસ કમિશ્નર તરીકે રાજુ ભાર્ગવએ ચાર્જ સંભાળ્યો છે. રાજુ ભાર્ગવ છત્તીસગઢમાં crpfમાં કોબ્રા કમાંડોના વડા તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. નકસલીઓને ધૂળ ચટાવનાર અધિકારી હવે રાજકોટમાં આવી જતા આવનારા સમયમાં રાજકોટ પોલીસની ખરડાયેલી છબી સુધરે તેવું હાલ લાગી રહ્યું છે. જો કે રાજકોટ પોલીસની છબી સુધારવમાં રાજુ ભાર્ગવ કેટલા સફળ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.
નોંધનીય છે કે, પૂર્વ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ પોતાના કાર્યકાળ દરમિયાન કથિત કમિશન કાંડ કે અન્ય આવા આર્થિક ઉપાર્જનો, હથિયાર લાયસન્સ સહિતના કામો અંગે ચર્ચામાં રહ્યા હતા. ખુદ રૂલિંગ પાર્ટી ભાજપના જ ધારાસભ્ય દ્રારા કરાયેલા આર્થિક વ્યવહારોના આક્ષેપો, તપાસ બાદ સી.પી. અગ્રવાલની સિંગલ ઓર્ડરથી સરકાર દ્રારા જૂનાગઢ બદલી કરી નખાઈ હતી. સાથોસાથ તેમની જ ડાયરેકટ અન્ડરમાં રહેલી અને છૂપા કામો કરવામાં પંકાયેલી ક્રાઈમ બ્રાન્ચમાં તમામ અધિકારીઓની પણ રાજય સરકાર દ્રારા જિલ્લા બહાર બદલી કરાઈ હતી. સાથે-સાથે પીઆઈ ગઢવી, પીએસઆઈ સાખરાને સસ્પેન્ડ કરાયા હતા.
રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન અપાયું
સરકીટ હાઉસ ખાતે DCP અને ACP સહિતનાં અધિકારીઓની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું
ચાર્જ સંભાળતાની સાથે રાજુ ભાર્ગવે પ્રજાજનોને પોલીસને સાથ-સહકાર આપવા અપીલ કરી
WatchGujarat. રાજકોટ શહેરમાં ત્રણ વર્ષથી વધારે સમય પોલીસ કમિશ્નર રહેલા મનોજ અગ્રવાલની ઉપર તોડકાંડનાં આક્ષેપો બાદ તેમની તાત્કાલિક અસરથી જૂનાગઢ પીટીસીમાં બદલી કરવામાં આવી હતી. ત્યારબાદથી ખુરશીદ અહેમદ ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર તરીકેની ફરજ બજાવી રહ્યા હતા. પરંતુ હવે રાજ્ય સરકારે પોલીસ કમિશ્નર તરીકે રાજુ ભાર્ગવની નિમણુંક કરતા આજે તેઓ ચાર્જ સંભાળવા આવી પહોંચ્યા હતા. આ તકે સરકીટ હાઉસ ખાતે DCP અને ACP સહિતનાં અધિકારીઓની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ચાર્જ સંભાળતાની સાથે રાજુ ભાર્ગવે પ્રજાજનોને પોલીસને સાથ-સહકાર આપવા અપીલ કરી હતી.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે કહ્યું હતું કે, જે આશા સાથે મને અહીં મુકવામાં આવ્યો છે તે મુજબ પારદર્શક પોલીસનો અભિગમ સાર્થક કરીશું. જનતા સાથે મળીને પડકારોનો ઉકેલ લાવવામાં આવશે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવાની પ્રાથમિકતા રહેશે. સાથે જ રાજકોટની ટ્રાફિકની સમસ્યા વિષે કહ્યું હતું કે, રાજકોટની ટ્રાફિકની સમસ્યાથી હું વાકેફ છું, જેને મહદઅંશે દૂર કરવાનાં પ્રયત્નો કરીશું. રાજકોટ પોલીસની ખરડાયેલી છબીને સુધારવા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવશે અને પોલીસને બને તેટલો વધુ સહકાર આપવા રાજકોટના શહેરીજનોને અપીલ પણ તેમણે કરી હતી.
આજે રાજકોટમાં લાંબા સમય બાદ પોલીસ કમિશ્નરની ખાલી પડેલી જગ્યા ભરાઈ છે. અને નવા પોલીસ કમિશ્નર તરીકે રાજુ ભાર્ગવએ ચાર્જ સંભાળ્યો છે. રાજુ ભાર્ગવ છત્તીસગઢમાં crpfમાં કોબ્રા કમાંડોના વડા તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. નકસલીઓને ધૂળ ચટાવનાર અધિકારી હવે રાજકોટમાં આવી જતા આવનારા સમયમાં રાજકોટ પોલીસની ખરડાયેલી છબી સુધરે તેવું હાલ લાગી રહ્યું છે. જો કે રાજકોટ પોલીસની છબી સુધારવમાં રાજુ ભાર્ગવ કેટલા સફળ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.
નોંધનીય છે કે, પૂર્વ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ પોતાના કાર્યકાળ દરમિયાન કથિત કમિશન કાંડ કે અન્ય આવા આર્થિક ઉપાર્જનો, હથિયાર લાયસન્સ સહિતના કામો અંગે ચર્ચામાં રહ્યા હતા. ખુદ રૂલિંગ પાર્ટી ભાજપના જ ધારાસભ્ય દ્રારા કરાયેલા આર્થિક વ્યવહારોના આક્ષેપો, તપાસ બાદ સી.પી. અગ્રવાલની સિંગલ ઓર્ડરથી સરકાર દ્રારા જૂનાગઢ બદલી કરી નખાઈ હતી. સાથોસાથ તેમની જ ડાયરેકટ અન્ડરમાં રહેલી અને છૂપા કામો કરવામાં પંકાયેલી ક્રાઈમ બ્રાન્ચમાં તમામ અધિકારીઓની પણ રાજય સરકાર દ્રારા જિલ્લા બહાર બદલી કરાઈ હતી. સાથે-સાથે પીઆઈ ગઢવી, પીએસઆઈ સાખરાને સસ્પેન્ડ કરાયા હતા.