ભાજપ દ્વારા અપનાવાયેલી નો રિપીટ થિયરીને લઈને અનેક દિગ્ગજોએ તેનું મંત્રીપદ ગુમાવવું પડ્યું
માનીતા નેતાને શિરે મંત્રીપદનો તાજ આવતા સમર્થકો નાચી ઉઠયા
કોંગ્રેસ છોડી મંત્રીપદ માટે ભાજપ સાથે જોડાયેલા કુંવરજી બાવળીયાનો તાજ છીનવાઈ જતા તેમના પરિવાર અને સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી
WatchGujarat. આજરોજ નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નવા મંત્રીમંડળ માટેની શપથવિધિ યોજાઈ છે. દરમિયાન શહેર-જિલ્લામાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવાયો હતો. જેમાં રાજકોટ 68નાં MLA અરવિંદ રૈયાણીની પણ પસંદગી થતા તેના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી ઉજવણી કરાઈ હતી. તો બીજીતરફ બાવળીયાનું પતુ કપાતા તેમના સમર્થકો દ્વારા વીંછીયા સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર આ પ્રકારનો માહોલ જ જોવા મળ્યો હતો. જેમાં એકતરફ ઉજવણીનાં દ્રશ્યો તો બીજીતરફ સોપો પડી ગયેલો જોવા મળ્યો હતો.
https://youtu.be/SJHnQamGF_w
જાણવા મળતી વિગત મુજબ આજે સવારે MLA અરવિંદ રૈયાણીનો મંત્રીમંડળમાં સમાવેશ થયો હોવાની વાતો વહેતી થઈ હતી. અને બાદમાં આ ચર્ચાને સમર્થન પણ મળતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો હતો. અને રૈયાણીનાં ઘર તેમજ કાર્યાલય પાસે સમર્થકોના ટોળા ઉમટી પડ્યા હતા. એટલું જ નહીં આ ખુશી વ્યક્ત કરવા આતશબાજી કરવાની સાથે-સાથે મીઠાઈઓ વહેંચી એકબીજાનાં મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. પોતાના માનીતા નેતાને શિરે મંત્રીપદનો તાજ આવતા સમર્થકો નાચી ઉઠયા હતા.
બીજીતરફ કોંગ્રેસ છોડી મંત્રીપદ માટે ભાજપ સાથે જોડાયેલા કુંવરજી બાવળીયાનો તાજ છીનવાઈ જતા તેમના પરિવાર અને સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. એટલું જ નહીં બાવળીયાનો ગઢ ગણાતા વીંછીયામાં લોકોએ તો સજ્જડ બંધ પાળીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. સાથે જ ભાજપને તેના આ નિર્ણયની કિંમત 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચૂકવવી પડશે તેવું પણ બાવળીયાનાં સમર્થકોએ કહ્યું હતું. આમ બાવળીયાનાં ગઢમાં ઘેરા શોકનો માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા અપનાવાયેલી નો રિપીટ થિયરીને લઈને અનેક દિગ્ગજોએ તેનું મંત્રીપદ ગુમાવવું પડ્યું છે. બીજીતરફ અનેક નવોદિતોને બગાસું ખાતા પતાસું મળી ગયું છે. જો કે હાઇ કમાન્ડનું માનવું છે કે ચૂંટણી પૂર્વે આ ફેરફાર કરવો જરૂરી હતો. કોરોના દરમિયાન લોકોમાં સરકાર પ્રત્યે રોષની લાગણી ફેલાઇ હતી. જેની અસર ચૂંટણીમાં ન પડે તે માટે આ પગલું લેવાયું હોવાનું ભાજપનાં ટોચનાં સૂત્રો જણાવી રહ્યા છે. પરંતુ હાઈ કમાન્ડનાં આ નિર્ણયથી પ્રજાનો સરકાર પ્રત્યેનો રોષ કેટલો દૂર થયો તે તો આગામી ચૂંટણી બાદ જ જાણી શકાશે. સાથે જે દિગ્ગજોને ભાજપે પડતા મુક્યા છે તેઓ કોંગ્રેસનો હાથ કે આપનું ઝાડુ પકડશે તો ભાજપને ભારે પડે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
ભાજપ દ્વારા અપનાવાયેલી નો રિપીટ થિયરીને લઈને અનેક દિગ્ગજોએ તેનું મંત્રીપદ ગુમાવવું પડ્યું
માનીતા નેતાને શિરે મંત્રીપદનો તાજ આવતા સમર્થકો નાચી ઉઠયા
કોંગ્રેસ છોડી મંત્રીપદ માટે ભાજપ સાથે જોડાયેલા કુંવરજી બાવળીયાનો તાજ છીનવાઈ જતા તેમના પરિવાર અને સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી
WatchGujarat. આજરોજ નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નવા મંત્રીમંડળ માટેની શપથવિધિ યોજાઈ છે. દરમિયાન શહેર-જિલ્લામાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવાયો હતો. જેમાં રાજકોટ 68નાં MLA અરવિંદ રૈયાણીની પણ પસંદગી થતા તેના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી ઉજવણી કરાઈ હતી. તો બીજીતરફ બાવળીયાનું પતુ કપાતા તેમના સમર્થકો દ્વારા વીંછીયા સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર આ પ્રકારનો માહોલ જ જોવા મળ્યો હતો. જેમાં એકતરફ ઉજવણીનાં દ્રશ્યો તો બીજીતરફ સોપો પડી ગયેલો જોવા મળ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ આજે સવારે MLA અરવિંદ રૈયાણીનો મંત્રીમંડળમાં સમાવેશ થયો હોવાની વાતો વહેતી થઈ હતી. અને બાદમાં આ ચર્ચાને સમર્થન પણ મળતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો હતો. અને રૈયાણીનાં ઘર તેમજ કાર્યાલય પાસે સમર્થકોના ટોળા ઉમટી પડ્યા હતા. એટલું જ નહીં આ ખુશી વ્યક્ત કરવા આતશબાજી કરવાની સાથે-સાથે મીઠાઈઓ વહેંચી એકબીજાનાં મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. પોતાના માનીતા નેતાને શિરે મંત્રીપદનો તાજ આવતા સમર્થકો નાચી ઉઠયા હતા.
બીજીતરફ કોંગ્રેસ છોડી મંત્રીપદ માટે ભાજપ સાથે જોડાયેલા કુંવરજી બાવળીયાનો તાજ છીનવાઈ જતા તેમના પરિવાર અને સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. એટલું જ નહીં બાવળીયાનો ગઢ ગણાતા વીંછીયામાં લોકોએ તો સજ્જડ બંધ પાળીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. સાથે જ ભાજપને તેના આ નિર્ણયની કિંમત 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચૂકવવી પડશે તેવું પણ બાવળીયાનાં સમર્થકોએ કહ્યું હતું. આમ બાવળીયાનાં ગઢમાં ઘેરા શોકનો માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા અપનાવાયેલી નો રિપીટ થિયરીને લઈને અનેક દિગ્ગજોએ તેનું મંત્રીપદ ગુમાવવું પડ્યું છે. બીજીતરફ અનેક નવોદિતોને બગાસું ખાતા પતાસું મળી ગયું છે. જો કે હાઇ કમાન્ડનું માનવું છે કે ચૂંટણી પૂર્વે આ ફેરફાર કરવો જરૂરી હતો. કોરોના દરમિયાન લોકોમાં સરકાર પ્રત્યે રોષની લાગણી ફેલાઇ હતી. જેની અસર ચૂંટણીમાં ન પડે તે માટે આ પગલું લેવાયું હોવાનું ભાજપનાં ટોચનાં સૂત્રો જણાવી રહ્યા છે. પરંતુ હાઈ કમાન્ડનાં આ નિર્ણયથી પ્રજાનો સરકાર પ્રત્યેનો રોષ કેટલો દૂર થયો તે તો આગામી ચૂંટણી બાદ જ જાણી શકાશે. સાથે જે દિગ્ગજોને ભાજપે પડતા મુક્યા છે તેઓ કોંગ્રેસનો હાથ કે આપનું ઝાડુ પકડશે તો ભાજપને ભારે પડે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.