જસદણ ખાતે કુંવરજી બાવળિયાના ભત્રીજા અજય બાવળિયાએ કોળી સમાજની બોર્ડિંગ ખાતે મીંટિંગ બોલાવી
જો કોળી સમાજનું કેબિનેટ મંત્રી પદ કપાશે તો ભાજપ પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી
બીજીતરફ કોળી સમાજ બાદ આહીર સમાજ મેદાને આવ્યો
WatchGujarat. નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં મંત્રી મંડળમાં નો રિપીટ થિયરી અપનાવાય તેવી અટકળો ચાલી છે. જેને લઈ આજે થનારી શપથવિધિ અચાનક રદ્દ કરવામાં આવી હતી. તેમજ સંભવત: આવતીકાલે આ શપથવિધિ યોજાનાર છે. પરંતુ તે પહેલાં જ જુદા- સમાજો મેદાને આવ્યા છે. જેમાં જસદણ ખાતે કોળી સમાજની એક બેઠક મળ્યા બાદ PM મોદીને પત્ર પણ લખાયો છે. આ પત્રમાં કુંવરજી બાવાળીયાને મંત્રીપદ નહીં મળે તો આગામી ચૂંટણીમાં ભાજપે તેનું પરિણામ ભોગવવું પડશે તેવી ચીમકી આપવામાં આવી છે. તો આહીર સમાજ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા જવાહર ચાવડા અને વાસણ આહીરનું મંત્રીપદ છીનવાશે તો ભાજપ પર ગંભીર અસરો પડવાની ચીમકી અપાઈ છે. જેને લઈને મંત્રી મંડળની શપથવિધિ પહેલા રાજકારણ ગરમાયુ છે. અને ભાજપમાં આંતરિક ભડકો થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
જાણવા મળતી વિગત મુજબ આજે જસદણ ખાતે કુંવરજી બાવળિયાના ભત્રીજા અજય બાવળિયાએ કોળી સમાજની બોર્ડિંગ ખાતે મીંટિંગ બોલાવી હતી. જેમાં જસદણ વીંછીયાનાં કુંવરજી બાવળિયાના ખાસ અંગત લોકો દ્વારા વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. અને જસદણ વીંછીયા ભાજપનાં સોશિયલ મીડિયા ગ્રૂપમાં પણ ભાજપ ખુલ્લી ધમકી આપવામાં આવી છે. અને જો કોળી સમાજનું કેબિનેટ મંત્રી પદ કપાશે તો ભાજપ પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોકે કુંવરજી બાવળિયાને કેબિનેટ મંત્રી પદની ખુરશી જોખમમાં મુકાતા સમાજ યાદ આવ્યો તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. સાથે રાજકોટનાં લીમડા ચોક ખાતે પણ કોળી સમાજની એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં પણ કોળી સમાજને મંત્રીપદ આપવાની માંગ કરવામાં આવી છે. એટલું જ નહીં આ મુદ્દે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા PM મોદીને પત્ર પણ લખવામાં આવ્યો છે.
બીજીતરફ કોળી સમાજ બાદ આહીર સમાજ મેદાને આવ્યો છે. સોશિયલ મીડિયામાં જ જવાહર ચાવડાને મંત્રી પદેથી હટાવવામાં આવશે તો વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જવાહર ચાવડા માટે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા છે. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે જો જવાહર ચાવડાને મંત્રી મંડળમાં સ્થાન નહીં મળે તો ઓલ ગુજરાત આહીર સમાજ વિરોધ પ્રદર્શન કરશે. આ સમગ્ર મુદ્દે આવતીકાલે આહીર સમાજના આગેવાનો દ્વારા એક મિટિંગનું આયોજન કરાયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે ભુપેન્દ્ર પટેલનું મંત્રી મંડળ આવતીકાલે શપથ લઈ શકશે કે કેમ ? તે જોવું રહ્યું.
જસદણ ખાતે કુંવરજી બાવળિયાના ભત્રીજા અજય બાવળિયાએ કોળી સમાજની બોર્ડિંગ ખાતે મીંટિંગ બોલાવી
જો કોળી સમાજનું કેબિનેટ મંત્રી પદ કપાશે તો ભાજપ પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી
બીજીતરફ કોળી સમાજ બાદ આહીર સમાજ મેદાને આવ્યો
WatchGujarat. નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં મંત્રી મંડળમાં નો રિપીટ થિયરી અપનાવાય તેવી અટકળો ચાલી છે. જેને લઈ આજે થનારી શપથવિધિ અચાનક રદ્દ કરવામાં આવી હતી. તેમજ સંભવત: આવતીકાલે આ શપથવિધિ યોજાનાર છે. પરંતુ તે પહેલાં જ જુદા- સમાજો મેદાને આવ્યા છે. જેમાં જસદણ ખાતે કોળી સમાજની એક બેઠક મળ્યા બાદ PM મોદીને પત્ર પણ લખાયો છે. આ પત્રમાં કુંવરજી બાવાળીયાને મંત્રીપદ નહીં મળે તો આગામી ચૂંટણીમાં ભાજપે તેનું પરિણામ ભોગવવું પડશે તેવી ચીમકી આપવામાં આવી છે. તો આહીર સમાજ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા જવાહર ચાવડા અને વાસણ આહીરનું મંત્રીપદ છીનવાશે તો ભાજપ પર ગંભીર અસરો પડવાની ચીમકી અપાઈ છે. જેને લઈને મંત્રી મંડળની શપથવિધિ પહેલા રાજકારણ ગરમાયુ છે. અને ભાજપમાં આંતરિક ભડકો થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
જાણવા મળતી વિગત મુજબ આજે જસદણ ખાતે કુંવરજી બાવળિયાના ભત્રીજા અજય બાવળિયાએ કોળી સમાજની બોર્ડિંગ ખાતે મીંટિંગ બોલાવી હતી. જેમાં જસદણ વીંછીયાનાં કુંવરજી બાવળિયાના ખાસ અંગત લોકો દ્વારા વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. અને જસદણ વીંછીયા ભાજપનાં સોશિયલ મીડિયા ગ્રૂપમાં પણ ભાજપ ખુલ્લી ધમકી આપવામાં આવી છે. અને જો કોળી સમાજનું કેબિનેટ મંત્રી પદ કપાશે તો ભાજપ પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોકે કુંવરજી બાવળિયાને કેબિનેટ મંત્રી પદની ખુરશી જોખમમાં મુકાતા સમાજ યાદ આવ્યો તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. સાથે રાજકોટનાં લીમડા ચોક ખાતે પણ કોળી સમાજની એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં પણ કોળી સમાજને મંત્રીપદ આપવાની માંગ કરવામાં આવી છે. એટલું જ નહીં આ મુદ્દે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા PM મોદીને પત્ર પણ લખવામાં આવ્યો છે.
બીજીતરફ કોળી સમાજ બાદ આહીર સમાજ મેદાને આવ્યો છે. સોશિયલ મીડિયામાં જ જવાહર ચાવડાને મંત્રી પદેથી હટાવવામાં આવશે તો વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જવાહર ચાવડા માટે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા છે. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે જો જવાહર ચાવડાને મંત્રી મંડળમાં સ્થાન નહીં મળે તો ઓલ ગુજરાત આહીર સમાજ વિરોધ પ્રદર્શન કરશે. આ સમગ્ર મુદ્દે આવતીકાલે આહીર સમાજના આગેવાનો દ્વારા એક મિટિંગનું આયોજન કરાયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે ભુપેન્દ્ર પટેલનું મંત્રી મંડળ આવતીકાલે શપથ લઈ શકશે કે કેમ ? તે જોવું રહ્યું.