પહેલા ગઈકાલથી જ કલેક્ટર દ્વારા એરપોર્ટ પર બહારથી આવતા મુસાફરો માટેનાં સ્ક્રીનીંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવી
6 ડિસેમ્બરના રોજ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રાજ્ય સરકારની સૂચના મુજબ ઓમીક્રોન સંક્રમિત દર્દીઓ માટે જરૂરી તમામ સુવિધા સિવિલ ખાતે ઉપલબ્ધ કરવા માર્ગદર્શક મિટિંગ યોજાઈ
જીનોમ સિક્વન્સિંગના રિપોર્ટ આવ્યા બાદ શહેરમાં ઓમીક્રોનની એન્ટ્રી થઈ છે કે કેમ તે જાણી શકાશે
WatchGujarat. કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોન સામે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. અને આ વેરીએન્ટથી સંક્રમિત દર્દીઓ માટે વહીવટી તંત્ર અને રાજકોટ સિવિલ દ્વારા હાલ 2 ICU વોર્ડમાં 42 બેડની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વેન્ટીલેટર સહીત તમામ સુવિધાઓ સાથેના બન્ને વોર્ડને સૅનેટાઇઝ કરી ખાસ આઇસોલેટડ રાખવામાં આવ્યા છે. તેમજ બંને વોર્ડમાં તમામ જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ કરવી દેવામાં આવી છે.
સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદીનાં જણાવ્યા અનુસાર, ગત તા. 6 ડિસેમ્બરના રોજ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રાજ્ય સરકારની સૂચના મુજબ ઓમીક્રોન સંક્રમિત દર્દીઓ માટે જરૂરી તમામ સુવિધા સિવિલ ખાતે ઉપલબ્ધ કરવા માર્ગદર્શક મિટિંગ યોજાઈ હતી. જે અંતર્ગત પીએમએસએસવાય બિલ્ડીંગ ખાતે ઓમીક્રોન સંક્રમિત દર્દીઓને આ વોર્ડમાં અલાયદા રાખવા માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આગામી સમયમાં જરૂર પડ્યે બેડની સંખ્યા વધારવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગઈકાલથી જ કલેક્ટર દ્વારા એરપોર્ટ પર બહારથી આવતા મુસાફરો માટેનાં સ્ક્રીનીંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટમાં જે લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી તેમાં ક્યો વેરિયન્ટ છે તે જાણવા નવા નિયમ મુજબ સેમ્પલ મોકલાયા છે. અત્યાર સુધીમાં 10 સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. જ્યાં બાયોટેક્નોલોજી લેબમાં જીનોમ સિક્વન્સિંગ બાદ વધુ પૃથક્કરણ અર્થે સેમ્પલને પૂના મોકલાય છે. આ સેમ્પલના રિપોર્ટ ઓનલાઈન મુકાય છે. પણ હજુસુધી કોઈ સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ આવ્યા નથી. આ રિપોર્ટ આવ્યા બાદ શહેરમાં ઓમીક્રોનની એન્ટ્રી થઈ છે કે કેમ તે જાણી શકાશે.
- પહેલા ગઈકાલથી જ કલેક્ટર દ્વારા એરપોર્ટ પર બહારથી આવતા મુસાફરો માટેનાં સ્ક્રીનીંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવી
- 6 ડિસેમ્બરના રોજ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રાજ્ય સરકારની સૂચના મુજબ ઓમીક્રોન સંક્રમિત દર્દીઓ માટે જરૂરી તમામ સુવિધા સિવિલ ખાતે ઉપલબ્ધ કરવા માર્ગદર્શક મિટિંગ યોજાઈ
- જીનોમ સિક્વન્સિંગના રિપોર્ટ આવ્યા બાદ શહેરમાં ઓમીક્રોનની એન્ટ્રી થઈ છે કે કેમ તે જાણી શકાશે
WatchGujarat. કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોન સામે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. અને આ વેરીએન્ટથી સંક્રમિત દર્દીઓ માટે વહીવટી તંત્ર અને રાજકોટ સિવિલ દ્વારા હાલ 2 ICU વોર્ડમાં 42 બેડની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વેન્ટીલેટર સહીત તમામ સુવિધાઓ સાથેના બન્ને વોર્ડને સૅનેટાઇઝ કરી ખાસ આઇસોલેટડ રાખવામાં આવ્યા છે. તેમજ બંને વોર્ડમાં તમામ જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ કરવી દેવામાં આવી છે.
સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદીનાં જણાવ્યા અનુસાર, ગત તા. 6 ડિસેમ્બરના રોજ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રાજ્ય સરકારની સૂચના મુજબ ઓમીક્રોન સંક્રમિત દર્દીઓ માટે જરૂરી તમામ સુવિધા સિવિલ ખાતે ઉપલબ્ધ કરવા માર્ગદર્શક મિટિંગ યોજાઈ હતી. જે અંતર્ગત પીએમએસએસવાય બિલ્ડીંગ ખાતે ઓમીક્રોન સંક્રમિત દર્દીઓને આ વોર્ડમાં અલાયદા રાખવા માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આગામી સમયમાં જરૂર પડ્યે બેડની સંખ્યા વધારવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગઈકાલથી જ કલેક્ટર દ્વારા એરપોર્ટ પર બહારથી આવતા મુસાફરો માટેનાં સ્ક્રીનીંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટમાં જે લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી તેમાં ક્યો વેરિયન્ટ છે તે જાણવા નવા નિયમ મુજબ સેમ્પલ મોકલાયા છે. અત્યાર સુધીમાં 10 સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. જ્યાં બાયોટેક્નોલોજી લેબમાં જીનોમ સિક્વન્સિંગ બાદ વધુ પૃથક્કરણ અર્થે સેમ્પલને પૂના મોકલાય છે. આ સેમ્પલના રિપોર્ટ ઓનલાઈન મુકાય છે. પણ હજુસુધી કોઈ સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ આવ્યા નથી. આ રિપોર્ટ આવ્યા બાદ શહેરમાં ઓમીક્રોનની એન્ટ્રી થઈ છે કે કેમ તે જાણી શકાશે.