રાજકોટ વેસ્ટર્ન રેલવેના DSC પવનકુમાર શ્રીવાસ્તવ અને વેસ્ટર્ન રેલવે RPFના આઈજી પ્રવીણચંદ્ર સિન્હાના માનસિક ત્રાસને કારણે તેમના પતિ ઘર છોડીને 6 જાન્યુઆરીના જતા રહ્યા
લાપતા PSIની પત્નીના આરોપોને લઈ રેલવે વિભાગ દ્વારા પણ જવાબદાર અધિકારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે
RPFમાં પણ જાણ કરી છતાં અધિકારીઓ દ્વારા કોઈ જ તપાસ કરવામાં આવી ન હોવાનો પત્નીએ ગંભીર આરોપ લગાવ્યો
WatchGujarat. એક ક્રાઈમ કોન્ફરન્સમાં જવાનું કહી ઘરેથી 6 જાન્યુઆરીનાં રોજ નિકળેલો RPFનાં PSI લાપતા હોવાનું સામે આવ્યું છે. બલરામ ફૌજદાર નામના આ PSIની પત્ની ડો. અમૃતાબેન ચૌધરી દ્વારા આ મામલે ઉપરી અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો સણસણતો આરોપ લગાવ્યો છે. જેને લઈને હાલ ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. બીજીતરફ લાપતા PSIની પત્નીના આરોપોને લઈ રેલવે વિભાગ દ્વારા પણ જવાબદાર અધિકારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
RPF PSI બલરામ ફૌજદારનાં આ પત્ની ડો. અમૃતા ચૌધરીનાં જણાવ્યા મુજબ રાજકોટ વેસ્ટર્ન રેલવેના DSC પવનકુમાર શ્રીવાસ્તવ અને વેસ્ટર્ન રેલવે RPFના આઈજી પ્રવીણચંદ્ર સિન્હાના માનસિક ત્રાસને કારણે તેમના પતિ ઘર છોડીને 6 જાન્યુઆરીના જતા રહ્યા છે. ઘરેથી નીકળતા સમયે તેમણે RPFની ક્રાઇમ કોન્ફરન્સ માટે જતા હોવાનું કહ્યું હતું. જોકે બાદમાં મોબાઈલ પર કોલ કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો.
વધુમાં તેમણે કહ્યું હતું કે, પતિનો ફોન સ્વીચ ઓફ હોય તેમણે સાથે નોકરી કરતા કોન્સ્ટેબલને ફોન કર્યો હતો. અને તેમની પાસેથી પતિ નોકરી પર પહોંચ્યા જ નહીં હોવાનું જાણવા મળ્યું હતું.. જેને લઈ 7 જાન્યુઆરીએ તેમણે ભક્તિનગર પોલીસમાં ગુમનોંધ આપી હતી. આ અંગે RPFમાં પણ જાણ કરી હતી. છતાં અધિકારીઓ દ્વારા કોઈ જ તપાસ કરવામાં આવી ન હોવાનો ગંભીર આરોપ પણ તેમણે લગાવ્યો છે.
પતિની સાથે બનેલી જૂની ઘટનાઓ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, 2015માં LLBનો અભ્યાસ કરવા માટેની રજાઓ મંજૂર કરવામાં આવી નહોતી. જોકે તાજેતરમાં પણ જયપુર ખાતે મૂળ વતનમાં મકાનનું કામ ચાલતું હોવાથી 5 વખત રજા રિપોર્ટ મુક્યો હતો. તેમ છતાં પણ RPFના ઉચ્ચ અધિકારીઓએ રજાઓ મંજુર ન કરી માનસિક ત્રાસ આપતા હતા. તેમના ગુમ થયાની જાણ કર્યા બાદ મોબાઈલ ફોનના લોકેશન પણ કાઢીને શોધખોળ કરવામાં આવી નહોતી. જેને લઈને પોતે પોલીસની મદદ માંગવા મજબૂર બન્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
રાજકોટ વેસ્ટર્ન રેલવેના DSC પવનકુમાર શ્રીવાસ્તવ અને વેસ્ટર્ન રેલવે RPFના આઈજી પ્રવીણચંદ્ર સિન્હાના માનસિક ત્રાસને કારણે તેમના પતિ ઘર છોડીને 6 જાન્યુઆરીના જતા રહ્યા
લાપતા PSIની પત્નીના આરોપોને લઈ રેલવે વિભાગ દ્વારા પણ જવાબદાર અધિકારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે
RPFમાં પણ જાણ કરી છતાં અધિકારીઓ દ્વારા કોઈ જ તપાસ કરવામાં આવી ન હોવાનો પત્નીએ ગંભીર આરોપ લગાવ્યો
WatchGujarat. એક ક્રાઈમ કોન્ફરન્સમાં જવાનું કહી ઘરેથી 6 જાન્યુઆરીનાં રોજ નિકળેલો RPFનાં PSI લાપતા હોવાનું સામે આવ્યું છે. બલરામ ફૌજદાર નામના આ PSIની પત્ની ડો. અમૃતાબેન ચૌધરી દ્વારા આ મામલે ઉપરી અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો સણસણતો આરોપ લગાવ્યો છે. જેને લઈને હાલ ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. બીજીતરફ લાપતા PSIની પત્નીના આરોપોને લઈ રેલવે વિભાગ દ્વારા પણ જવાબદાર અધિકારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
RPF PSI બલરામ ફૌજદારનાં આ પત્ની ડો. અમૃતા ચૌધરીનાં જણાવ્યા મુજબ રાજકોટ વેસ્ટર્ન રેલવેના DSC પવનકુમાર શ્રીવાસ્તવ અને વેસ્ટર્ન રેલવે RPFના આઈજી પ્રવીણચંદ્ર સિન્હાના માનસિક ત્રાસને કારણે તેમના પતિ ઘર છોડીને 6 જાન્યુઆરીના જતા રહ્યા છે. ઘરેથી નીકળતા સમયે તેમણે RPFની ક્રાઇમ કોન્ફરન્સ માટે જતા હોવાનું કહ્યું હતું. જોકે બાદમાં મોબાઈલ પર કોલ કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો.
વધુમાં તેમણે કહ્યું હતું કે, પતિનો ફોન સ્વીચ ઓફ હોય તેમણે સાથે નોકરી કરતા કોન્સ્ટેબલને ફોન કર્યો હતો. અને તેમની પાસેથી પતિ નોકરી પર પહોંચ્યા જ નહીં હોવાનું જાણવા મળ્યું હતું.. જેને લઈ 7 જાન્યુઆરીએ તેમણે ભક્તિનગર પોલીસમાં ગુમનોંધ આપી હતી. આ અંગે RPFમાં પણ જાણ કરી હતી. છતાં અધિકારીઓ દ્વારા કોઈ જ તપાસ કરવામાં આવી ન હોવાનો ગંભીર આરોપ પણ તેમણે લગાવ્યો છે.
પતિની સાથે બનેલી જૂની ઘટનાઓ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, 2015માં LLBનો અભ્યાસ કરવા માટેની રજાઓ મંજૂર કરવામાં આવી નહોતી. જોકે તાજેતરમાં પણ જયપુર ખાતે મૂળ વતનમાં મકાનનું કામ ચાલતું હોવાથી 5 વખત રજા રિપોર્ટ મુક્યો હતો. તેમ છતાં પણ RPFના ઉચ્ચ અધિકારીઓએ રજાઓ મંજુર ન કરી માનસિક ત્રાસ આપતા હતા. તેમના ગુમ થયાની જાણ કર્યા બાદ મોબાઈલ ફોનના લોકેશન પણ કાઢીને શોધખોળ કરવામાં આવી નહોતી. જેને લઈને પોતે પોલીસની મદદ માંગવા મજબૂર બન્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.