WatchGujarat.કોરોનાની બીજી લહેર હજુ ધીમી પડી છે ત્યાં ત્રીજી લહેરનો ફફડાટ વ્યાપી રહ્યો છે. ત્યારે ત્રીજી લહેરને લઈને લોકોમાં ભય અને ચિંતા વ્યાપી રહી છે. સાથે ત્રીજી લહેર બાળકો માટે ખતરો સાબિત થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે માતાપિતા અને પરિવારના સભ્યોનું માનસિક સ્વાસ્થ્ય ખોરવાયું રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં લઈને કોરોનાની ત્રીજી લહેર આવશે કે કેમ, ત્રીજી લહેર ન આવે માટે શું કરવું ? તો ત્રીજી લહેર માટે કેવા પ્રકારના સાવચેતીના પગલાં લેશો તે અંગે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણના માર્ગદર્શન માં એન. આર. પટેલે સર્વે કર્યો છે. જેમાં 1170 લોકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. ગ્રામ્યના લોકોનું માનવું છે કે સામાજિક સંબંધો ટકાવવા હળવું-મળવું જોઇએ, જોકે શહેરના લોકો સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવું જરૂરી માની રહ્યા છે. સાથે જ સાતમ આઠમનાં તહેવારો પછી કોરોના વધશે એવું મોટાભાગના લોકો માની રહ્યા છે.
કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતા છે?
- હા 68%
- ના 11%
- કહી ન શકાય 21%
ત્રીજી લહેરને લઈને ચિંતિત છો?
- હા 78%
- ના 22%
ત્રીજી લહેરનો ભોગ ન બનવું પડે માટે વેકસીન કે અન્ય કોઈ ઉપાય કરો છો?
- હા 69%
- ના 31%
ભગવાન જગન્નાથની રથ યાત્રા નીકળી એટલે ત્રીજી લહેર નહીં આવે એવું લાગે છે?
- હા 56%
- ના 44%
એવું સાંભળ્યુ છે કે, ત્રીજી લહેર બાળકો માટે સૌથી વધુ ઘાતક છે માટે આપ બાળકને લઈને ચિંતિત છો?
- હા 81%
- ના 19%
ત્રીજી લહેર ન ફેલાય માટે ઘરે રહીને તહેવારો ઉજવવાનું પસંદ કરશો?
- હા 62%
- ના 38%
ગ્રામ્યના લોકો 72% સામુહિક રીતે તહેવાર ઉજવવાની તરફેણમાં છે. અને કહે છે કે, તહેવારો ઘરે એકલા કેમ ઉજવી શકાય? સામાજિક માળખું તૂટવાનો ભય પણ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને લાગી રહ્યો છે.
આપના બાળકને કોરોનાની અસર ન થાય માટે અત્યારથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારવા કોઈ ઉપાય કરો છો?
- હા 79%
- ના 21%
ત્રીજી લહેર ન આવે માટે કોઈ માનતા કે બાધા રાખી છે?
- હા 63%
- ના 37%
તહેવારો પછી કોરોના વધવાની આશંકા જણાય છે?
- હા 71%
- ના 29
કોરોના પછી વૃક્ષો અને પ્રકૃતિની જાળવણી કરવાનું પસંદ કરો છો?
- હા 60%
- ના 40%
કોરોનાની ત્રીજી લહેર ન આવે માટે સરકારે કેવા પગલાં લેવા જોઈએ?
- પૂરતી સાધનસુવિધા ઊભી કરવાથી ત્રીજી લહેરને ખાળી નહીં શકાય, માટે પૂરતા ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ જોઈશે
- વ્યવસ્થા સારી વિકસાવવી હોય તો તળિયેથી ઉપર તરફ એટલે કે ગામડાંથી શહેરો તરફ માળખાગત સુવિધા વધારવી જોઈએ.
આરોગ્યકેન્દ્રોમાં ડૉક્ટર હોવા જોઈએ. ત્યાં નર્સ પૂરતી હોવી જોઈએ.
- શહેરો અને ખાસ કરીને ગામડામાં રસીકરણનીઝડપથી વધારવું
- રેમડેસિવિર, એમ્ફોટેરિસિન-બી, પેટાસીટમોલ, ટોસિસ્લિઝુમેબ, ફેવિપેરાવિર ટેબલેટ તેમજ જરૂરી તમામ દવાઓના બીજા વેવમાં થયેલા વપરાશને આધારે ત્રીજા સંભવિત વેવ માટે પૂરતો જથ્થો એકઠો કરી રાખવો જોઈએ.
- કોરોનામાં સૌથી પહેલી અને ખાસ જરૂર ઓક્સિજનની જ હોય છે. માટે ઓક્સિજનનું ઉત્પાદન વધારવાથી ફાયદો થશે. સાથે ઓક્સિજન સાથે સંકળાયેલા અન્ય ચીજો જેમ કે, બાટલાના મોઢા પર લગાડવાના રૅગ્યુલેટર આવી નાની નાની પાયાની ચીજોનું ઉત્પાદન વધારવું જોઈએ.
- જે દુકાનદારો, શાકભાજી વિક્રેતા વગેરે જે સુપર સ્પ્રેડર્સ હોય તેમનું રસીકરણ બને તેટલી જલ્દીથી કરવું જોઈએ.
- પેલી ગુજરાતી કહેવત મુજબ 'પાણી પહેલા પાળ બાંધવી' તે રીતે - જરૂરિયાતમંદ દરેક વ્યક્તિને બેડ મળી રહે માટે સામુહિક આરોગ્યકેન્દ્ર અને પૂરતા પ્રમાણમાં બેડની અને અન્ય સુવિધા વિકસાવવી જોઈએ.
સંભવત ત્રીજી લહેર આવે તો તમે તેના માટે સાવચેતીના કેવા પગલાં લેશો?
- કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે સૌપ્રથમ વેકસીનના બન્ને ડોઝ લેશું.
- બાળકો માટે ત્રીજી લહેર ઘાતક હશે માટે બાળકોને માસ્ક પહેરવાની આદત અત્યારથી પાડવી, બહાર રમવા ન મોકલવા, ભીડ-ભાડવાળી જગ્યા પર જવા, બહારની ખાવા-પીવાની વસ્તુનો ન આપવી, પૌષ્ટિક આહાર અને ઈમ્યૂનિટી મજબૂત બનાવવા માટે જરૂરી તમામ બાબતો અત્યારથી ધ્યાનમાં રાખીયે છીએ.- સમયાંતરે હાથ સાબુ અને પાણી અથવા આલ્કોહોલ આધારિત હૅન્ડ રબથી સારી રીતે ઘસીને હાથ ધોવાથી તેના પર રહેલા વાઇરસ નાશ પામે છે. અને આંખ, નાક અને હોઠને હાથથી અડવાનું ટાળશું.
- જાહેર કાર્યક્રમ તેમજ લગ્ન પ્રસંગમાં જવાનું, ભીડ, બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળશું અને તહેવારો ઘરમાં રહીને ઉજવીશું.
- ભારતીય પરંપરા મુજબ હાથ મેળવવા કરતાં નમસ્તે કહીને હાથ જોડીને અભિવાદન કરીશું.
- ઇમ્યુનિટી વધારવા માટે ઘરેલુ ઉપાય તેમજ ઘર પરિવારમાં કોઈને તાવ કે શરદી ઉધરસ જણાય કે તરત જ યોગ્ય સારવાર કરીયે છીએ.
- કોરોનાની ત્રીજી લહેર માટે માત્ર સરકારે જ નહીં પરંતુ દરેક વ્યક્તિ વ્યક્તિગત કાળજી લેશે તો ત્રીજી લહેર આવતાં અટકાવી શકીશું.
કોરોનાની ત્રીજી લહેર ફેલાવવા પાછળ ક્યાં ક્યાં કારણો તમારી દ્રષ્ટિએ જવાબદાર હોય શકે?
- જાહેર મેળાવડાઓ, અપૂરતી કાળજી અને સરકાર તરફથી આપવામાં આવેલ ગાઈડલાઈનનું યોગ્ય પાલન ન કરવું.
- વેકસીન અંગેની ખોટી માન્યતાઓ
- જો ત્રીજી લહેર આવે તો નાનાં શહેરો અને ગામડાં માટે વધારે ચિંતાજનક રહેશે એવું નિષ્ણાતો માને છે. કેમ કે, ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારમાં અપૂરતી સુવિધાઓ, માળખાગત સુવિધા પૂરતી હોય તો પ્રાથમિક આરોગ્યકેન્દ્રોમાં ડૉક્ટરોની કમી, સરકાર ગામડામાં વૅન્ટિલેટર તો મૂકી દેશે, પણ એ ચલાવનારાની જરૂર પણ પડશે.
- ગામડામાં રસીકરણની સંખ્યા શહેર કરતા ઓછી હોવી.
- શહેરના લોકો ઘરે રહીને તહેવાર ઉજવવા તૈયાર હોય છત્તા ગામડામાં તહેવારો એટલે સામુહિક અને સામાજિક મેળાવડો માટે ત્યાં સંક્રમણનું પ્રમાણ વધી શકે.
- તેમજ અન્ય કેટલાક કારણો જે ત્રીજી લહેર માટે જવાબદાર હોય શકે.
અન્ય પ્રતિભાવો
- આ ઉપરાંત કેટલાક લોકોએ જણાવ્યું કે, તાકતે વાવાજોડાને કારણે કોરોનાંનો વાયરસ જતો રહ્યો છે.
- ભગવાન જગન્નાથ પ્રત્યે શ્રદ્ધાં છે કે આ વર્ષે તેમની રથ યાત્રા નીકળી એટલે ત્રીજી લહેર નહીં આવે.
- માનતા કે બાધા રાખી છે માટે અમારા ગામ કે પરિવારમાં કોરોનાની અસર નહીં થાય.
- ધર્મમાં નહીં માનનાર વર્ગ જ કોરોનાનો ભોગ બનશે.
માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે
- ફોન, વીડિયો કોલ કે સોશિયલ મીડિયાથી મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં રહો
- તમને ચિંતા થતી હોય તે બાબતની ચર્ચા કરો
- બીજા લોકોની ચિંતાને પણ સમજવાની કોશિશ કરો
- તમારું નવું રૂટિન હોય તેને સુચારુ રીતે ચલાવવા માટે વ્યવહારુ માર્ગો શોધો, શાકભાજી કેમ લાવવા, ઘેરથી કામ કેમ કરવું વગેરે
- તંદુરસ્તીની કાળજી લો: નિયમિત કસરત કરો, સંતુલિત પૌષ્ટિક ખોરાક લો અને પૂરતા પ્રમાણમાં પાણી પીવો.
- ધૂમ્રપાન ટાળો અને વધારે શરાબ- પાન ના કરો
- માહિતી યોગ્ય જગ્યાએથી જ મેળવો અને મહામારી વિશે વાંચવાનું અને જોવાનું મર્યાદિત પ્રમાણમાં જ રાખો.
લાગણીઓનો સામનો કરો: કેટલીક સ્થિતિ આપણા કાબૂમાં નથી તેવું કબૂલવામાં કશું ખોટું નથી. તેના બદલે તમારા નિયંત્રણમાં હોય તે બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરો, જેમ કે તમારું વર્તન તમને મજા પડતી હોય તે પ્રવૃત્તિ કરો.
- શક્ય ના હોય ત્યારે સ્થિતિને સ્વીકારી લો, નવું શીખો.
- વર્તમાન પર જ ધ્યાન કેન્દ્રીત કરો અને યાદ રાખો કે આ સંકટ થોડા સમય માટે જ છે રૂટિન જેવું રાખીને સારી ઊંઘ લો અને સૂતાં પહેલાં કેફેન તથા સ્ક્રીન ટાઇમ ઓછો.
સંભવિત ત્રીજી લહેર બાળકો માટે ઘાતક હોવાથી માતાપિતાએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- મા પોતાના બાળકોને દૂધ પિવડાવતી હોય છે. આ સિવાય એ પણ ધ્યાન રાખવું પડશે કે બાળકો ઓક્સિન માસ્ક ઉતારીને ફેંકી ના દે.
- એકવાર પેરેન્ટ્સને વેક્સીન લગાવી દેવામાં આવે તો બાળકો સંક્રમિત થવાની સંભાવના ઘણી ઓછી થઈ જશે.
- નિયમિત હેન્ડવોશ, સેનિટાઈઝર અને માસ્ક ની ટેવ પાડવા બાળક ને સમજ આપવી.
- બાળક ને પૌષ્ટીક આહાર આપવો નાના બાળકો ને ૮ થી ૧૦ કલાક ની નિંદર કરાવવી.
- ઝીંક અને વિટામીન સી વાળા ફળો તેમજ ખોરાક આપવો.
- જંક ફુડ પેકેન્ડ ફુડ તેમજ ઠંડો ખોરાક ટાળવો.
- શરદી- ઉધરસ ધરાવતા વડીલો એ ઘર મા સતત માસ્ક પહેરી રાખવું
- હકારાત્મક વાતો કરી બાળકમા હકારાત્મક તેમજ સર્જનાત્મક અભિગમ કેળવાવવો.
-બાળક ને ભીડ વાળી જગ્યાઓ પર ન લઈ જવુ.
-બાળક નુ વેક્સિનેશન નિયમિત પણે પૂર્ણ કરાવવુ, સરકાર દ્વારા કરવા મા કોરોના પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ઘરના દરેક સભ્યો એ રસીકરણ કરાવવુ.
WatchGujarat.કોરોનાની બીજી લહેર હજુ ધીમી પડી છે ત્યાં ત્રીજી લહેરનો ફફડાટ વ્યાપી રહ્યો છે. ત્યારે ત્રીજી લહેરને લઈને લોકોમાં ભય અને ચિંતા વ્યાપી રહી છે. સાથે ત્રીજી લહેર બાળકો માટે ખતરો સાબિત થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે માતાપિતા અને પરિવારના સભ્યોનું માનસિક સ્વાસ્થ્ય ખોરવાયું રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં લઈને કોરોનાની ત્રીજી લહેર આવશે કે કેમ, ત્રીજી લહેર ન આવે માટે શું કરવું ? તો ત્રીજી લહેર માટે કેવા પ્રકારના સાવચેતીના પગલાં લેશો તે અંગે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણના માર્ગદર્શન માં એન. આર. પટેલે સર્વે કર્યો છે. જેમાં 1170 લોકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. ગ્રામ્યના લોકોનું માનવું છે કે સામાજિક સંબંધો ટકાવવા હળવું-મળવું જોઇએ, જોકે શહેરના લોકો સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવું જરૂરી માની રહ્યા છે. સાથે જ સાતમ આઠમનાં તહેવારો પછી કોરોના વધશે એવું મોટાભાગના લોકો માની રહ્યા છે.
કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતા છે?
- હા 68%
- ના 11%
- કહી ન શકાય 21%
ત્રીજી લહેરને લઈને ચિંતિત છો?
- હા 78%
- ના 22%
ત્રીજી લહેરનો ભોગ ન બનવું પડે માટે વેકસીન કે અન્ય કોઈ ઉપાય કરો છો?
- હા 69%
- ના 31%
ભગવાન જગન્નાથની રથ યાત્રા નીકળી એટલે ત્રીજી લહેર નહીં આવે એવું લાગે છે?
- હા 56%
- ના 44%
એવું સાંભળ્યુ છે કે, ત્રીજી લહેર બાળકો માટે સૌથી વધુ ઘાતક છે માટે આપ બાળકને લઈને ચિંતિત છો?
- હા 81%
- ના 19%
ત્રીજી લહેર ન ફેલાય માટે ઘરે રહીને તહેવારો ઉજવવાનું પસંદ કરશો?
- હા 62%
- ના 38%
ગ્રામ્યના લોકો 72% સામુહિક રીતે તહેવાર ઉજવવાની તરફેણમાં છે. અને કહે છે કે, તહેવારો ઘરે એકલા કેમ ઉજવી શકાય? સામાજિક માળખું તૂટવાનો ભય પણ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને લાગી રહ્યો છે.
આપના બાળકને કોરોનાની અસર ન થાય માટે અત્યારથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારવા કોઈ ઉપાય કરો છો?
- હા 79%
- ના 21%
ત્રીજી લહેર ન આવે માટે કોઈ માનતા કે બાધા રાખી છે?
- હા 63%
- ના 37%
તહેવારો પછી કોરોના વધવાની આશંકા જણાય છે?
- હા 71%
- ના 29
કોરોના પછી વૃક્ષો અને પ્રકૃતિની જાળવણી કરવાનું પસંદ કરો છો?
- હા 60%
- ના 40%
કોરોનાની ત્રીજી લહેર ન આવે માટે સરકારે કેવા પગલાં લેવા જોઈએ?
- પૂરતી સાધનસુવિધા ઊભી કરવાથી ત્રીજી લહેરને ખાળી નહીં શકાય, માટે પૂરતા ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ જોઈશે
- વ્યવસ્થા સારી વિકસાવવી હોય તો તળિયેથી ઉપર તરફ એટલે કે ગામડાંથી શહેરો તરફ માળખાગત સુવિધા વધારવી જોઈએ.
આરોગ્યકેન્દ્રોમાં ડૉક્ટર હોવા જોઈએ. ત્યાં નર્સ પૂરતી હોવી જોઈએ.
- શહેરો અને ખાસ કરીને ગામડામાં રસીકરણનીઝડપથી વધારવું
- રેમડેસિવિર, એમ્ફોટેરિસિન-બી, પેટાસીટમોલ, ટોસિસ્લિઝુમેબ, ફેવિપેરાવિર ટેબલેટ તેમજ જરૂરી તમામ દવાઓના બીજા વેવમાં થયેલા વપરાશને આધારે ત્રીજા સંભવિત વેવ માટે પૂરતો જથ્થો એકઠો કરી રાખવો જોઈએ.
- કોરોનામાં સૌથી પહેલી અને ખાસ જરૂર ઓક્સિજનની જ હોય છે. માટે ઓક્સિજનનું ઉત્પાદન વધારવાથી ફાયદો થશે. સાથે ઓક્સિજન સાથે સંકળાયેલા અન્ય ચીજો જેમ કે, બાટલાના મોઢા પર લગાડવાના રૅગ્યુલેટર આવી નાની નાની પાયાની ચીજોનું ઉત્પાદન વધારવું જોઈએ.
- જે દુકાનદારો, શાકભાજી વિક્રેતા વગેરે જે સુપર સ્પ્રેડર્સ હોય તેમનું રસીકરણ બને તેટલી જલ્દીથી કરવું જોઈએ.
- પેલી ગુજરાતી કહેવત મુજબ 'પાણી પહેલા પાળ બાંધવી' તે રીતે - જરૂરિયાતમંદ દરેક વ્યક્તિને બેડ મળી રહે માટે સામુહિક આરોગ્યકેન્દ્ર અને પૂરતા પ્રમાણમાં બેડની અને અન્ય સુવિધા વિકસાવવી જોઈએ.
સંભવત ત્રીજી લહેર આવે તો તમે તેના માટે સાવચેતીના કેવા પગલાં લેશો?
- બાળકો માટે ત્રીજી લહેર ઘાતક હશે માટે બાળકોને માસ્ક પહેરવાની આદત અત્યારથી પાડવી, બહાર રમવા ન મોકલવા, ભીડ-ભાડવાળી જગ્યા પર જવા, બહારની ખાવા-પીવાની વસ્તુનો ન આપવી, પૌષ્ટિક આહાર અને ઈમ્યૂનિટી મજબૂત બનાવવા માટે જરૂરી તમામ બાબતો અત્યારથી ધ્યાનમાં રાખીયે છીએ.- સમયાંતરે હાથ સાબુ અને પાણી અથવા આલ્કોહોલ આધારિત હૅન્ડ રબથી સારી રીતે ઘસીને હાથ ધોવાથી તેના પર રહેલા વાઇરસ નાશ પામે છે. અને આંખ, નાક અને હોઠને હાથથી અડવાનું ટાળશું.
- જાહેર કાર્યક્રમ તેમજ લગ્ન પ્રસંગમાં જવાનું, ભીડ, બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળશું અને તહેવારો ઘરમાં રહીને ઉજવીશું.
- ભારતીય પરંપરા મુજબ હાથ મેળવવા કરતાં નમસ્તે કહીને હાથ જોડીને અભિવાદન કરીશું.
- ઇમ્યુનિટી વધારવા માટે ઘરેલુ ઉપાય તેમજ ઘર પરિવારમાં કોઈને તાવ કે શરદી ઉધરસ જણાય કે તરત જ યોગ્ય સારવાર કરીયે છીએ.
- કોરોનાની ત્રીજી લહેર માટે માત્ર સરકારે જ નહીં પરંતુ દરેક વ્યક્તિ વ્યક્તિગત કાળજી લેશે તો ત્રીજી લહેર આવતાં અટકાવી શકીશું.
- જાહેર મેળાવડાઓ, અપૂરતી કાળજી અને સરકાર તરફથી આપવામાં આવેલ ગાઈડલાઈનનું યોગ્ય પાલન ન કરવું.
- વેકસીન અંગેની ખોટી માન્યતાઓ
- જો ત્રીજી લહેર આવે તો નાનાં શહેરો અને ગામડાં માટે વધારે ચિંતાજનક રહેશે એવું નિષ્ણાતો માને છે. કેમ કે, ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારમાં અપૂરતી સુવિધાઓ, માળખાગત સુવિધા પૂરતી હોય તો પ્રાથમિક આરોગ્યકેન્દ્રોમાં ડૉક્ટરોની કમી, સરકાર ગામડામાં વૅન્ટિલેટર તો મૂકી દેશે, પણ એ ચલાવનારાની જરૂર પણ પડશે.
- ગામડામાં રસીકરણની સંખ્યા શહેર કરતા ઓછી હોવી.
- શહેરના લોકો ઘરે રહીને તહેવાર ઉજવવા તૈયાર હોય છત્તા ગામડામાં તહેવારો એટલે સામુહિક અને સામાજિક મેળાવડો માટે ત્યાં સંક્રમણનું પ્રમાણ વધી શકે.
- તેમજ અન્ય કેટલાક કારણો જે ત્રીજી લહેર માટે જવાબદાર હોય શકે.
અન્ય પ્રતિભાવો
- આ ઉપરાંત કેટલાક લોકોએ જણાવ્યું કે, તાકતે વાવાજોડાને કારણે કોરોનાંનો વાયરસ જતો રહ્યો છે.
- ભગવાન જગન્નાથ પ્રત્યે શ્રદ્ધાં છે કે આ વર્ષે તેમની રથ યાત્રા નીકળી એટલે ત્રીજી લહેર નહીં આવે.
- માનતા કે બાધા રાખી છે માટે અમારા ગામ કે પરિવારમાં કોરોનાની અસર નહીં થાય.
- ધર્મમાં નહીં માનનાર વર્ગ જ કોરોનાનો ભોગ બનશે.
માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે
- ફોન, વીડિયો કોલ કે સોશિયલ મીડિયાથી મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં રહો
- તમને ચિંતા થતી હોય તે બાબતની ચર્ચા કરો
- બીજા લોકોની ચિંતાને પણ સમજવાની કોશિશ કરો
- તમારું નવું રૂટિન હોય તેને સુચારુ રીતે ચલાવવા માટે વ્યવહારુ માર્ગો શોધો, શાકભાજી કેમ લાવવા, ઘેરથી કામ કેમ કરવું વગેરે
- તંદુરસ્તીની કાળજી લો: નિયમિત કસરત કરો, સંતુલિત પૌષ્ટિક ખોરાક લો અને પૂરતા પ્રમાણમાં પાણી પીવો.
- ધૂમ્રપાન ટાળો અને વધારે શરાબ- પાન ના કરો
- માહિતી યોગ્ય જગ્યાએથી જ મેળવો અને મહામારી વિશે વાંચવાનું અને જોવાનું મર્યાદિત પ્રમાણમાં જ રાખો.
લાગણીઓનો સામનો કરો: કેટલીક સ્થિતિ આપણા કાબૂમાં નથી તેવું કબૂલવામાં કશું ખોટું નથી. તેના બદલે તમારા નિયંત્રણમાં હોય તે બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરો, જેમ કે તમારું વર્તન તમને મજા પડતી હોય તે પ્રવૃત્તિ કરો.
- શક્ય ના હોય ત્યારે સ્થિતિને સ્વીકારી લો, નવું શીખો.
- વર્તમાન પર જ ધ્યાન કેન્દ્રીત કરો અને યાદ રાખો કે આ સંકટ થોડા સમય માટે જ છે રૂટિન જેવું રાખીને સારી ઊંઘ લો અને સૂતાં પહેલાં કેફેન તથા સ્ક્રીન ટાઇમ ઓછો.
સંભવિત ત્રીજી લહેર બાળકો માટે ઘાતક હોવાથી માતાપિતાએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- મા પોતાના બાળકોને દૂધ પિવડાવતી હોય છે. આ સિવાય એ પણ ધ્યાન રાખવું પડશે કે બાળકો ઓક્સિન માસ્ક ઉતારીને ફેંકી ના દે.
- એકવાર પેરેન્ટ્સને વેક્સીન લગાવી દેવામાં આવે તો બાળકો સંક્રમિત થવાની સંભાવના ઘણી ઓછી થઈ જશે.
- નિયમિત હેન્ડવોશ, સેનિટાઈઝર અને માસ્ક ની ટેવ પાડવા બાળક ને સમજ આપવી.
- બાળક ને પૌષ્ટીક આહાર આપવો નાના બાળકો ને ૮ થી ૧૦ કલાક ની નિંદર કરાવવી.
- ઝીંક અને વિટામીન સી વાળા ફળો તેમજ ખોરાક આપવો.
- જંક ફુડ પેકેન્ડ ફુડ તેમજ ઠંડો ખોરાક ટાળવો.
- શરદી- ઉધરસ ધરાવતા વડીલો એ ઘર મા સતત માસ્ક પહેરી રાખવું
- હકારાત્મક વાતો કરી બાળકમા હકારાત્મક તેમજ સર્જનાત્મક અભિગમ કેળવાવવો.
-બાળક ને ભીડ વાળી જગ્યાઓ પર ન લઈ જવુ.
-બાળક નુ વેક્સિનેશન નિયમિત પણે પૂર્ણ કરાવવુ, સરકાર દ્વારા કરવા મા કોરોના પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ઘરના દરેક સભ્યો એ રસીકરણ કરાવવુ.