WatchGujarat. કોરોના કાળમાં જ ઘણા લોકોએ પોતાના સ્વજનોને અને ગુમાવ્યા છે ઘણા લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. આવી પરિસ્થિતિમાં જે વ્યક્તિ પર આખું ઘર નિર્ભર હોય તેવી વ્યક્તિનું અવસાન થતા આખા ઘરની તેમજ તમામ સભ્યોની પરિસ્થિતિ બદલાઈ જાય છે. મનોવિજ્ઞાન ભવનમાં આવેલ અમુક કેસ અને વિધવા બહેનો સાથે અહીંની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી અને ડો.ધારા આર. દોશીએ વાત કરીને તેમની માનસિક તેમજ સામાજિક સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. અને જે સમસ્યાઓ આ બહેનોએ વ્યક્ત કરી તે સાંભળીને ખરેખર ખૂબ દુઃખ થાય તેમ છે.
અમુક કિસ્સાઓ
કિસ્સો 1: એક બહેને કોરોના ને કારણે પોતાના પતિને ગુમાવ્યા તેમના બે બાળકો છે. તે બહેને જણાવ્યું કે, મારે એક મોટો દીકરો છે. અને દીકરી 7મા ધોરણમાં ભણે છે. દીકરો કોલેજના પહેલા વર્ષમાં છે. તેમને જણાવ્યું કે તેમના પતિના અવસાન બાદ તેની સાથે તેના દીકરા પર પણ ઘરની જવાબદારીનું ભારણ આવી ગયું છે. હવે તેઓ ઘરે બાળકોને ટ્યુશન ભણાવે છે. તેમજ તેનો દીકરો પણ ભણવાની સાથે નાની એવી ઓનલાઇન નોકરી કરે છે. ઘરનું અર્થતંત્ર પહેલાં જે રીતે ચાલતું એ રીતે હવે ચાલી શકતું નથી. પણ બાળકો સમજદાર હોવાથી ઘર ખર્ચમાં અને પોતાના શોખ પુરા કરવામાં થોડી તંગી મૂકી જાતે જ સમજી ગયા છે. પરંતુ મને એ વાતનો અફસોસ થાય છે અને હંમેશા રહેશે કે મારા બાળકોને હું અન્ય બાળકોની જેમ અને જ્યારે મારા પતિ જીવતા હતા ત્યારે તેઓ બાળકોને જે રીતે શોખ પુરા કરતા હતા અને મારા શોખ પુરા કરતા હતા એ હવે હું કરી શકીશ નહીં.
કિસ્સો 2 : એક બહેને કોરોનાને કારણે પોતાના પતિને ગુમાવ્યાં તેમને એક જ દીકરી છે. અને એ પણ હજુ નાની છે. ઘરની પરિસ્થિતિ સામાન્ય હતી જેમાં તેમની અને તેમના પતિને બંનેને અને સાથે તેમના સસરાને પણ કોરોના થયેલું દવાખાનાનો ખર્ચ વધારે પડતો થયો ત્યારે સગા સંબંધીઓએ સહકાર આપ્યો. છતાં મારા પતિનું અવસાન થયું. દવાખાનાંનો ખર્ચ અને અન્ય ખર્ચ માટે હાલ પરિસ્થિતિ એવી છે કે અમારે અમારી દુકાન વહેચી નાખવી પડી છે. મારા સસરા આ ઉંમરે કોઈ કામ નથી કરી શકતા. હું ઘરે સિલાઇકામ કરીને તેમજ સુશોભનની વસ્તુઓ બનાવી ઘર ચલાવું છું.
કિસ્સો 3 : મારા પતિનું કોરોનાને કારણે અવસાન થયું છે. મારા સસરા 96 વર્ષના છે. મારા દીકરા ને ઘરે પણ બે બાળકો છે. એમના અવસાન બાદ મારા સસરા ખૂબ નબળા પડી ગયા છે. એમને જીવતા જોત તેના દીકરા ની અંતિમ યાત્રા જોઈ છે. આજે મારી ફરજ બમણી થઈ ગઈ છે. હવે મારે મારા પતિની અને મારી બંનેની જવાબદારી સંભાળવાની છે. આવી પરિસ્થિતિમાં બધાને સંભાળતા ક્યારેક સાવ એકલું લાગે છે. પરંતુ જવાબદારી હોવાથી હસતા મોઢે બધું કરવું પડે છે. હમણાં એમના અવસાન ને 4 મહિના થઈ જશે પરંતુ હજુ માનવામાં નથી આવતું. ક્યારેક મગજ કામ કરતું બંધ થઈ જાય છે.
કિસ્સો 4 : મારી ઉંમર ૭૩ વર્ષની છે. મને અને મારા પતિ ને સાથે કોરોના થયેલો. અમે એક જ હોસ્પિટલમાં હતા. તેઓ મારા કરતાં પણ વધારે સ્વસ્થ હતા અને કોઈ બીમારી પણ ન હતી. છતાં તેઓ મને મૂકી ને જતા રહ્યા. અમે છેલ્લે સુધી સાથે હતા. હજુ પણ ક્યારેક ઊંઘ ઊડી જાય છે. મારો આખો પરિવાર મારી સાથે છે. બધા ખૂબ જ સારી રીતે રાખે છે. મારા ઘર માં ચાર પેઢી સાથે રહે છે. અને બધા ખૂબ સારી રીતે રાખે છે પરંતુ એ કમી તો કોઈ પૂરી ના જ કરી શકે.
આર્થિક સમસ્યાઓ
કોરોના કાળ બાદ વિધવા બહેનોએ સૌથી વધુ આર્થીક સમસ્યાઓ અનુભવી. ખાસ પતિએ પોતાની હયાતીમાં જે આર્થિક વ્યવસ્થાપન કર્યું હોય તેની કોઈ માહિતી તેમની પત્નીને આપી ન હોય અને કઈ જગ્યાએ કેટલું રોકાણ અથવા બચત વિશેની કોઈ જાણ બહેનો ને ન હોવાથી આર્થિક સમસ્યાઓ અનુભવતા જોવા મળ્યા હતા. ખાસ કરીને ઘરમાં કમાનાર એક જ પુરુષ હોય તેમના મૃત્યુ પછી સ્ત્રીઓએ ખૂબ પડકારોનો સામનો કરવો પડ્યો છે. જેમ કે એક 31 વર્ષની બહેનના પતિનું મૃત્યુ કોરોનામાં થતા તેમના 3 બાળકોના ઉછેરની પુરી જવાબદારી તેમના પર આવતા આર્થિક ઉણપને કારણે બહેનને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ બેંક વિશેની માહિતી તેમજ નોકરી-વ્યવસાય અને શિક્ષણનો અભાવ હોવાથી આર્થિક સમસ્યાઓ અનુભવતા જોવા મળ્યા છે.
બાળકોના ઉછેર તથા લગ્નની સમસ્યા
એવી બહેનો જેમના બાળકો મોટા કે યુવાન છે તેમને તેમના બાળકોને પરણાવવાની અને નાના બાળકોને ઉછેર તેમજ શિક્ષણની સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો છે. નાના બાળકોને ભણાવવા માટે ઉચ્ચ અભ્યાસ માટે પૈસા જરૂરી બની રહે છે. આ બહેનોને બાળકોને ભણાવવા છે, લગ્ન કરાવવા છે પરંતુ જે સાથ સહકાર જોઈએ તે મળી શકતો નથી.
દેવું કે ઉધાર પૈસાની બાબતોથી અજાણ
પતિએ પોતાની હયાતીમાં કોઈ પાસે જો ઉધાર પૈસા લીધા હોય કે કોઈને પૈસા આપ્યા હોય તો તેની જાણ તેમની પત્ની ને ન હોતા લોકોના દબાણનો ભોગ બનવું પડે છે.
સામાજિક વિકારનો ભોગ
બહેનોએ જણાવ્યું કે એકલી હોવાના કારણે ઘણા લોકોની વિકૃત નજરનો ભોગ બનવું પડે છે. કોઈની અભદ્ર માંગણી, ઇશારાઓ સહન કરવા પડે છે. કોઈ પોતાની વાસનાનો શિકાર ન કરી બેસે તેવો સતત એક ભય મનમાં રહ્યા કરે છે.
કુટુંબ દ્વારા પણ શોષણ
સગાઓ દ્વારા પણ ઘણી વખત શોષણનો ભય લાગ્યા કરે છે. જરૂરિયાત પૂરી કરવાના બહાને કોઈ ને કોઈ એવી વાતો કરવી જે સહન ન થઈ શકે તેનું ભોગ બનવું પડ્યું હતું.
માનસિક આઘાત અને તણાવ
સતત આ પરિસ્થિતિમાં રહેવાથી એક તણાવ અને આઘાત અનુભવાય. ક્યારે શુ થશે તેની બીક મનને સતત કોરી ખાતી હોય છે. બીજા લગ્ન કરવા ન કરવાનો સતત માનસિક સંઘર્ષ પણ આવી બહેનોને અનુભવાતો હોય છે.
બાળકો કે ઘરના સભ્યો દ્વારા થતો અત્યાચાર
વિધવા બહેનોની સ્થિતિ ઘરમાં પણ દયનિય થઈ જતી જોવા મળતી હોય છે. ઘણા પરિણીત બાળકોને તેની વિધવા માતા એક બોજ સ્વરૂપ લાગે છે. તેમજ ખૂબ ઉદ્ધતાઈ વાળું વર્તન તેમની સાથે કરતા અચકાતા નથી. ઘરના સભ્યો પણ તેની સાથે મારઝૂડ કરતા કે ઉદ્ધતાઈ કરતા અચકાતા હોતા નથી.
એકલતાનો અહેસાસ
જે બહેનોના પતિનું મૃત્યુ થયું તેમને સતત એકલતા કોરી ખાતી જોવા મળી છે. કોઈ એવી વ્યક્તિ ન મળી જે સમજી શકે અને સહિયારો આપે. ભૂતકાળની યાદો સતત મનમાં આવ્યા કરતી હોવાનું પણ અનેક બહેનો પાસેથી જાણવા મળ્યું છે.
આધારીતતા
પતિના મૃત્યુ પછી આધારીતતા વધી ગયાનો અહેસાસ થતો જોવા મળ્યો. કોઈ કામ માટે કોઈની મદદ લેવી જરૂરી બની રહી છે. સાસરે અને પિયર એક બોજ બની રહી ગયા હોવાનો અહેસાસ પણ સતત અંદરથી ડંખતો રહે છે.
વિધવા બહેનોને ઓછી મુશ્કેલી પડે તે માટે ધ્યાનમાં રાખવાની બાબતો
-દરેક પુરુષે પોતાની પત્નીને પોતાના આર્થિક વહીવટની જાણ કરવી જરૂરી છે. જેથી અચાનક મૃત્યુ થતા પરિવારને બાળકોને કોઈ મુશ્કેલી ન થાય.
-બાળકોએ પોતાની માતાનું ખાસ ધ્યાન રાખવું. પતિની એકલતા કોઈ દૂર ન કરી શકે પણ સાથ સહકાર આપવો.
-માતા પિતાએ આજના સમયમાં દીકરીને થોડું ઘણું આર્થિક ઉપાર્જન થાય એ શિક્ષણ આપવું જેથી ભવિષ્યમાં દીકરીઓ એ કોઈ સામે હાથ લાંબો ન કરવો પડે.
-દરેક સ્ત્રીએ આત્મ જાગૃતિ કેળવવી જરૂરી છે.
-સ્ત્રીને માનની નજરે જોતા શીખવું જરૂરી છે.
WatchGujarat. કોરોના કાળમાં જ ઘણા લોકોએ પોતાના સ્વજનોને અને ગુમાવ્યા છે ઘણા લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. આવી પરિસ્થિતિમાં જે વ્યક્તિ પર આખું ઘર નિર્ભર હોય તેવી વ્યક્તિનું અવસાન થતા આખા ઘરની તેમજ તમામ સભ્યોની પરિસ્થિતિ બદલાઈ જાય છે. મનોવિજ્ઞાન ભવનમાં આવેલ અમુક કેસ અને વિધવા બહેનો સાથે અહીંની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી અને ડો.ધારા આર. દોશીએ વાત કરીને તેમની માનસિક તેમજ સામાજિક સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. અને જે સમસ્યાઓ આ બહેનોએ વ્યક્ત કરી તે સાંભળીને ખરેખર ખૂબ દુઃખ થાય તેમ છે.
અમુક કિસ્સાઓ
કિસ્સો 1: એક બહેને કોરોના ને કારણે પોતાના પતિને ગુમાવ્યા તેમના બે બાળકો છે. તે બહેને જણાવ્યું કે, મારે એક મોટો દીકરો છે. અને દીકરી 7મા ધોરણમાં ભણે છે. દીકરો કોલેજના પહેલા વર્ષમાં છે. તેમને જણાવ્યું કે તેમના પતિના અવસાન બાદ તેની સાથે તેના દીકરા પર પણ ઘરની જવાબદારીનું ભારણ આવી ગયું છે. હવે તેઓ ઘરે બાળકોને ટ્યુશન ભણાવે છે. તેમજ તેનો દીકરો પણ ભણવાની સાથે નાની એવી ઓનલાઇન નોકરી કરે છે. ઘરનું અર્થતંત્ર પહેલાં જે રીતે ચાલતું એ રીતે હવે ચાલી શકતું નથી. પણ બાળકો સમજદાર હોવાથી ઘર ખર્ચમાં અને પોતાના શોખ પુરા કરવામાં થોડી તંગી મૂકી જાતે જ સમજી ગયા છે. પરંતુ મને એ વાતનો અફસોસ થાય છે અને હંમેશા રહેશે કે મારા બાળકોને હું અન્ય બાળકોની જેમ અને જ્યારે મારા પતિ જીવતા હતા ત્યારે તેઓ બાળકોને જે રીતે શોખ પુરા કરતા હતા અને મારા શોખ પુરા કરતા હતા એ હવે હું કરી શકીશ નહીં.
કિસ્સો 2 : એક બહેને કોરોનાને કારણે પોતાના પતિને ગુમાવ્યાં તેમને એક જ દીકરી છે. અને એ પણ હજુ નાની છે. ઘરની પરિસ્થિતિ સામાન્ય હતી જેમાં તેમની અને તેમના પતિને બંનેને અને સાથે તેમના સસરાને પણ કોરોના થયેલું દવાખાનાનો ખર્ચ વધારે પડતો થયો ત્યારે સગા સંબંધીઓએ સહકાર આપ્યો. છતાં મારા પતિનું અવસાન થયું. દવાખાનાંનો ખર્ચ અને અન્ય ખર્ચ માટે હાલ પરિસ્થિતિ એવી છે કે અમારે અમારી દુકાન વહેચી નાખવી પડી છે. મારા સસરા આ ઉંમરે કોઈ કામ નથી કરી શકતા. હું ઘરે સિલાઇકામ કરીને તેમજ સુશોભનની વસ્તુઓ બનાવી ઘર ચલાવું છું.
કિસ્સો 3 : મારા પતિનું કોરોનાને કારણે અવસાન થયું છે. મારા સસરા 96 વર્ષના છે. મારા દીકરા ને ઘરે પણ બે બાળકો છે. એમના અવસાન બાદ મારા સસરા ખૂબ નબળા પડી ગયા છે. એમને જીવતા જોત તેના દીકરા ની અંતિમ યાત્રા જોઈ છે. આજે મારી ફરજ બમણી થઈ ગઈ છે. હવે મારે મારા પતિની અને મારી બંનેની જવાબદારી સંભાળવાની છે. આવી પરિસ્થિતિમાં બધાને સંભાળતા ક્યારેક સાવ એકલું લાગે છે. પરંતુ જવાબદારી હોવાથી હસતા મોઢે બધું કરવું પડે છે. હમણાં એમના અવસાન ને 4 મહિના થઈ જશે પરંતુ હજુ માનવામાં નથી આવતું. ક્યારેક મગજ કામ કરતું બંધ થઈ જાય છે.
કિસ્સો 4 : મારી ઉંમર ૭૩ વર્ષની છે. મને અને મારા પતિ ને સાથે કોરોના થયેલો. અમે એક જ હોસ્પિટલમાં હતા. તેઓ મારા કરતાં પણ વધારે સ્વસ્થ હતા અને કોઈ બીમારી પણ ન હતી. છતાં તેઓ મને મૂકી ને જતા રહ્યા. અમે છેલ્લે સુધી સાથે હતા. હજુ પણ ક્યારેક ઊંઘ ઊડી જાય છે. મારો આખો પરિવાર મારી સાથે છે. બધા ખૂબ જ સારી રીતે રાખે છે. મારા ઘર માં ચાર પેઢી સાથે રહે છે. અને બધા ખૂબ સારી રીતે રાખે છે પરંતુ એ કમી તો કોઈ પૂરી ના જ કરી શકે.
આર્થિક સમસ્યાઓ
કોરોના કાળ બાદ વિધવા બહેનોએ સૌથી વધુ આર્થીક સમસ્યાઓ અનુભવી. ખાસ પતિએ પોતાની હયાતીમાં જે આર્થિક વ્યવસ્થાપન કર્યું હોય તેની કોઈ માહિતી તેમની પત્નીને આપી ન હોય અને કઈ જગ્યાએ કેટલું રોકાણ અથવા બચત વિશેની કોઈ જાણ બહેનો ને ન હોવાથી આર્થિક સમસ્યાઓ અનુભવતા જોવા મળ્યા હતા. ખાસ કરીને ઘરમાં કમાનાર એક જ પુરુષ હોય તેમના મૃત્યુ પછી સ્ત્રીઓએ ખૂબ પડકારોનો સામનો કરવો પડ્યો છે. જેમ કે એક 31 વર્ષની બહેનના પતિનું મૃત્યુ કોરોનામાં થતા તેમના 3 બાળકોના ઉછેરની પુરી જવાબદારી તેમના પર આવતા આર્થિક ઉણપને કારણે બહેનને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ બેંક વિશેની માહિતી તેમજ નોકરી-વ્યવસાય અને શિક્ષણનો અભાવ હોવાથી આર્થિક સમસ્યાઓ અનુભવતા જોવા મળ્યા છે.
બાળકોના ઉછેર તથા લગ્નની સમસ્યા
એવી બહેનો જેમના બાળકો મોટા કે યુવાન છે તેમને તેમના બાળકોને પરણાવવાની અને નાના બાળકોને ઉછેર તેમજ શિક્ષણની સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો છે. નાના બાળકોને ભણાવવા માટે ઉચ્ચ અભ્યાસ માટે પૈસા જરૂરી બની રહે છે. આ બહેનોને બાળકોને ભણાવવા છે, લગ્ન કરાવવા છે પરંતુ જે સાથ સહકાર જોઈએ તે મળી શકતો નથી.
દેવું કે ઉધાર પૈસાની બાબતોથી અજાણ
પતિએ પોતાની હયાતીમાં કોઈ પાસે જો ઉધાર પૈસા લીધા હોય કે કોઈને પૈસા આપ્યા હોય તો તેની જાણ તેમની પત્ની ને ન હોતા લોકોના દબાણનો ભોગ બનવું પડે છે.
સામાજિક વિકારનો ભોગ
બહેનોએ જણાવ્યું કે એકલી હોવાના કારણે ઘણા લોકોની વિકૃત નજરનો ભોગ બનવું પડે છે. કોઈની અભદ્ર માંગણી, ઇશારાઓ સહન કરવા પડે છે. કોઈ પોતાની વાસનાનો શિકાર ન કરી બેસે તેવો સતત એક ભય મનમાં રહ્યા કરે છે.
કુટુંબ દ્વારા પણ શોષણ
સગાઓ દ્વારા પણ ઘણી વખત શોષણનો ભય લાગ્યા કરે છે. જરૂરિયાત પૂરી કરવાના બહાને કોઈ ને કોઈ એવી વાતો કરવી જે સહન ન થઈ શકે તેનું ભોગ બનવું પડ્યું હતું.
માનસિક આઘાત અને તણાવ
સતત આ પરિસ્થિતિમાં રહેવાથી એક તણાવ અને આઘાત અનુભવાય. ક્યારે શુ થશે તેની બીક મનને સતત કોરી ખાતી હોય છે. બીજા લગ્ન કરવા ન કરવાનો સતત માનસિક સંઘર્ષ પણ આવી બહેનોને અનુભવાતો હોય છે.
બાળકો કે ઘરના સભ્યો દ્વારા થતો અત્યાચાર
વિધવા બહેનોની સ્થિતિ ઘરમાં પણ દયનિય થઈ જતી જોવા મળતી હોય છે. ઘણા પરિણીત બાળકોને તેની વિધવા માતા એક બોજ સ્વરૂપ લાગે છે. તેમજ ખૂબ ઉદ્ધતાઈ વાળું વર્તન તેમની સાથે કરતા અચકાતા નથી. ઘરના સભ્યો પણ તેની સાથે મારઝૂડ કરતા કે ઉદ્ધતાઈ કરતા અચકાતા હોતા નથી.
એકલતાનો અહેસાસ
જે બહેનોના પતિનું મૃત્યુ થયું તેમને સતત એકલતા કોરી ખાતી જોવા મળી છે. કોઈ એવી વ્યક્તિ ન મળી જે સમજી શકે અને સહિયારો આપે. ભૂતકાળની યાદો સતત મનમાં આવ્યા કરતી હોવાનું પણ અનેક બહેનો પાસેથી જાણવા મળ્યું છે.
આધારીતતા
પતિના મૃત્યુ પછી આધારીતતા વધી ગયાનો અહેસાસ થતો જોવા મળ્યો. કોઈ કામ માટે કોઈની મદદ લેવી જરૂરી બની રહી છે. સાસરે અને પિયર એક બોજ બની રહી ગયા હોવાનો અહેસાસ પણ સતત અંદરથી ડંખતો રહે છે.
વિધવા બહેનોને ઓછી મુશ્કેલી પડે તે માટે ધ્યાનમાં રાખવાની બાબતો
-દરેક પુરુષે પોતાની પત્નીને પોતાના આર્થિક વહીવટની જાણ કરવી જરૂરી છે. જેથી અચાનક મૃત્યુ થતા પરિવારને બાળકોને કોઈ મુશ્કેલી ન થાય.
-બાળકોએ પોતાની માતાનું ખાસ ધ્યાન રાખવું. પતિની એકલતા કોઈ દૂર ન કરી શકે પણ સાથ સહકાર આપવો.
-માતા પિતાએ આજના સમયમાં દીકરીને થોડું ઘણું આર્થિક ઉપાર્જન થાય એ શિક્ષણ આપવું જેથી ભવિષ્યમાં દીકરીઓ એ કોઈ સામે હાથ લાંબો ન કરવો પડે.
-દરેક સ્ત્રીએ આત્મ જાગૃતિ કેળવવી જરૂરી છે.
-સ્ત્રીને માનની નજરે જોતા શીખવું જરૂરી છે.