સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સુત્રાપાડા અને માણાવદર ૯ ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા
ધોધમાર વરસાદના પગલે રાજ્યમાં કુલ ૮ નાગરિકોના મોત નિપજ્યાં
વાજડી વડ ગામના રામજી મંદિરની ધજા ઉપર વીજળી પડી મંદિરની અંદર ઉતરતા શ્રી રામચંદ્ર ભગવાન તેમજ જાનકીજીનું સ્થાપન છે ત્યાં ઉપર મોટો હોલ પડી ગયો
Watchgujarat. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. જેમાં સૌથી વધુ માણાવદરમાં 9 ઇંચ વરસાદ થયો છે. જ્યારે રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડથી લેવાયેલો વિજળીનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. આ સાથે લોધિકા તાલુકાના વાજડી વડ ગામના રામજી મંદિરની ધજા ઉપર વીજળી પડી મંદિરની અંદર ઉતરતા શ્રી રામચંદ્ર ભગવાન તેમજ જાનકીજીનું સ્થાપન છે ત્યાં ઉપર મોટો હોલ પડી ગયો હતો. તેમજ ઇલેક્ટ્રિસિટીના બોર્ડ સહીતની સ્વિચો ટુટી બહાર નીકળી હતી. એટલું જ નહીં જસદણ તાલુકાના પ્રતાપપુર નવાગામ વાડી વિસ્તાર નાના મોરલીયા વિસ્તારમાં વીજળી પડતા ૧૪ અને ૧૫ વર્ષના બે બાળકોના મોત થયા છે.
https://youtu.be/ZgGUCX3u5jg
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સુત્રાપાડા અને માણાવદર ૯ ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા હતા. અને દેડિયાપાડામાં પણ ૨૪ કલાકમાં ૯ ઇંચ વરસાદ થયો હતો. ધોધમાર વરસાદના પગલે રાજ્યમાં કુલ ૮ નાગરિકોના મોત નિપજ્યાં છે. જેમાં વીજળી પડવાથી ૪ અને ડૂબવા તેમજ તણાવાથી ૪ લોકોના મોત થયાં છે. ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં માત્ર ૪ કલાકમાં જ ૯ ઇંચ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ સિવાય વેરાવળ, માંગરોળ, વંથલી અને ભેંસાણમાં ૭ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગોંડલ, માળીયા અને બાબરામાં પણ ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સાગબારા તાલુકામાં સાડાપાંચ ઇંચ વરસાદ, વિસાવદરમાં ૨ કલાકમાં ૫ ઇંચ જ્યારે ખાંભામાં ૪ ઇંચ વરસાદ પડતાં થોડા સમય માટે તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
બુધવાર સવારથી જ સોરઠ, સોમનાથ, અમરેલી, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદના મંડણ થયા હતા. સોરઠમાં ૨થી ૬, અમરેલી જિલ્લામાં દોઢથી સાડા છ ઇંચ, સોમનાથ જિલ્લામાં ૧થી ૯, રાજકોટ જિલ્લામાં અડધાથી ૬, પોરબંદર જિલ્લામાં ૦થી ૧, મોરબી જિલ્લામાં ૧થી ૨, ભાવનગર જિલ્લામાં ૦થી ૩, બોટાદ જિલ્લામાં ૧થી૩, જામનગર જિલ્લામાં ઝાપટાથી ૨ ઇંચ વરસાદ પડયો છે. અમરેલી જિલ્લામાં મંગળવારે મોડી રાતથી માંડીને બુધવારે વહેલી સવારે સુર્ય ઊગતાની સાથે જ ધોધમાર વરસાદ પડયો હતો. સમગ્ર જિલ્લામાં અડધા ઇંચથી ૬ ઇંચ સુધી વરસાદ પડી જતા ખુશીનો માહોલ છવાઈ ગયો છે. બાબરા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર ૬ ઇંચ વરસાદ પડયો હતો. ખાંભા ૫, ધારી ૩, રાજુલા ૩, જાફરાબાદ અઢી, અમરેલી, સા.કુંડલા, લીલીયા બે ઇંચ વરસાદ પડયો હતો.
ભાવનગરમાં મંગળવારના મોડીરાત્રિથી લઈને બુધવારની સાંજ સુધીમાં પોણા ત્રણ ઇંચ મેઘકૃપા થઈ છે. આ ઉપરાંત આજે બુધવારના સિહોરમાં ૬૩ , મહુવામાં ૩૬, પાલિતાણામાં ૩૪, ગારિયાધારમાં ૩૦, જેસરમાં ૨૭ અને તળાજામાં ૧૨ અને ઘોઘામાં ૯ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. ગારિયાધારમાં વીજળી પડતા કેટલાક વિસ્તારમાં સોલાર, ટીવી, પંખા જેવા વીજળીના ઉપકરણો બળી ગયા હતા. બોટાદમાં ૩ ઇંચ વરસાદથી પાણી ભરાતા ઠેર ઠેર વાહનો ફ્સાયા હતા. આણંદ જિલ્લામાં સાંજના છ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. નડિયાદ શહેરમાં એક કલાકમાં સવા ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સુત્રાપાડા અને માણાવદર ૯ ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા
ધોધમાર વરસાદના પગલે રાજ્યમાં કુલ ૮ નાગરિકોના મોત નિપજ્યાં
વાજડી વડ ગામના રામજી મંદિરની ધજા ઉપર વીજળી પડી મંદિરની અંદર ઉતરતા શ્રી રામચંદ્ર ભગવાન તેમજ જાનકીજીનું સ્થાપન છે ત્યાં ઉપર મોટો હોલ પડી ગયો
Watchgujarat. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. જેમાં સૌથી વધુ માણાવદરમાં 9 ઇંચ વરસાદ થયો છે. જ્યારે રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડથી લેવાયેલો વિજળીનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. આ સાથે લોધિકા તાલુકાના વાજડી વડ ગામના રામજી મંદિરની ધજા ઉપર વીજળી પડી મંદિરની અંદર ઉતરતા શ્રી રામચંદ્ર ભગવાન તેમજ જાનકીજીનું સ્થાપન છે ત્યાં ઉપર મોટો હોલ પડી ગયો હતો. તેમજ ઇલેક્ટ્રિસિટીના બોર્ડ સહીતની સ્વિચો ટુટી બહાર નીકળી હતી. એટલું જ નહીં જસદણ તાલુકાના પ્રતાપપુર નવાગામ વાડી વિસ્તાર નાના મોરલીયા વિસ્તારમાં વીજળી પડતા ૧૪ અને ૧૫ વર્ષના બે બાળકોના મોત થયા છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સુત્રાપાડા અને માણાવદર ૯ ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા હતા. અને દેડિયાપાડામાં પણ ૨૪ કલાકમાં ૯ ઇંચ વરસાદ થયો હતો. ધોધમાર વરસાદના પગલે રાજ્યમાં કુલ ૮ નાગરિકોના મોત નિપજ્યાં છે. જેમાં વીજળી પડવાથી ૪ અને ડૂબવા તેમજ તણાવાથી ૪ લોકોના મોત થયાં છે. ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં માત્ર ૪ કલાકમાં જ ૯ ઇંચ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ સિવાય વેરાવળ, માંગરોળ, વંથલી અને ભેંસાણમાં ૭ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગોંડલ, માળીયા અને બાબરામાં પણ ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સાગબારા તાલુકામાં સાડાપાંચ ઇંચ વરસાદ, વિસાવદરમાં ૨ કલાકમાં ૫ ઇંચ જ્યારે ખાંભામાં ૪ ઇંચ વરસાદ પડતાં થોડા સમય માટે તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
બુધવાર સવારથી જ સોરઠ, સોમનાથ, અમરેલી, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદના મંડણ થયા હતા. સોરઠમાં ૨થી ૬, અમરેલી જિલ્લામાં દોઢથી સાડા છ ઇંચ, સોમનાથ જિલ્લામાં ૧થી ૯, રાજકોટ જિલ્લામાં અડધાથી ૬, પોરબંદર જિલ્લામાં ૦થી ૧, મોરબી જિલ્લામાં ૧થી ૨, ભાવનગર જિલ્લામાં ૦થી ૩, બોટાદ જિલ્લામાં ૧થી૩, જામનગર જિલ્લામાં ઝાપટાથી ૨ ઇંચ વરસાદ પડયો છે. અમરેલી જિલ્લામાં મંગળવારે મોડી રાતથી માંડીને બુધવારે વહેલી સવારે સુર્ય ઊગતાની સાથે જ ધોધમાર વરસાદ પડયો હતો. સમગ્ર જિલ્લામાં અડધા ઇંચથી ૬ ઇંચ સુધી વરસાદ પડી જતા ખુશીનો માહોલ છવાઈ ગયો છે. બાબરા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર ૬ ઇંચ વરસાદ પડયો હતો. ખાંભા ૫, ધારી ૩, રાજુલા ૩, જાફરાબાદ અઢી, અમરેલી, સા.કુંડલા, લીલીયા બે ઇંચ વરસાદ પડયો હતો.
ભાવનગરમાં મંગળવારના મોડીરાત્રિથી લઈને બુધવારની સાંજ સુધીમાં પોણા ત્રણ ઇંચ મેઘકૃપા થઈ છે. આ ઉપરાંત આજે બુધવારના સિહોરમાં ૬૩ , મહુવામાં ૩૬, પાલિતાણામાં ૩૪, ગારિયાધારમાં ૩૦, જેસરમાં ૨૭ અને તળાજામાં ૧૨ અને ઘોઘામાં ૯ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. ગારિયાધારમાં વીજળી પડતા કેટલાક વિસ્તારમાં સોલાર, ટીવી, પંખા જેવા વીજળીના ઉપકરણો બળી ગયા હતા. બોટાદમાં ૩ ઇંચ વરસાદથી પાણી ભરાતા ઠેર ઠેર વાહનો ફ્સાયા હતા. આણંદ જિલ્લામાં સાંજના છ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. નડિયાદ શહેરમાં એક કલાકમાં સવા ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.