ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં રાજકીય ઘમાસાણ શરૂ થયું, તેમના પત્ની અને બહેન કોરોના મુદ્દે આમને સામને
ભાજપના નેતા રિવાબા જાડેજા અને તેમના નણંદ જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ નયનબા જાડેજા વચ્ચે કોરોના મુદ્દે શાબ્દિક યુદ્ધ
રીવાબાના એક નિવેદનનો તેમના નણંદ નયનાબા જાડેજાએ વળતો જવાબ આપતા રાજકારણ ગરમાયું
રાજકીય કાર્યક્રમોથી કોરોના ફેલાય છે, લોકો જાગૃત જ છે-નયનાબા જાડેજા
WatchGujarat. ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ અને ભાજપના નેતા રિવાબા જાડેજા પોતાના જન્મ દિવસે જામનગર જિલ્લાના કુનડ ગામની મુલાકાત લીધી હતી. જેમાં તેમને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાવ્યું હતું. આ કેમ્પમાં રીવાબાએ કોરોના મુદ્દે નિવેદન આપ્યું હતું. જેનો રિવાબાના નણંદ અને જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ નયનાબા જાડેજાએ વળતો જવાબ આપતા રાજકારણ ગરમાયું હતું.છેલ્લા ઘણાં સમયથી રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જામનગર જિલ્લાના વિવિધ ગામોમાં મહિલાઓને મળી રહ્યા છે અને તેઓને સામાજિક સંદેશો આપી રહ્યા છે.
રિવાબા જાડેજા રોજ અલગ અલગ ગામોમાં પ્રવાસ કરીને મહિલાઓમાં સામાજિક જાગૃતતા કેળવાય તે હેતુથી ગામડાંઓની મહિલાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિકાસલક્ષી યોજનાઓની માહિતી આપીને તેઓને આત્મનિર્ભર બનવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત કુનડ ગામ ખાતે યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં રીવાબાએ કોરોના મુદ્દે નિવેદન આપતા કહ્યું હતુ કે, કોરોના હજુ ગયો નથી. જેથી લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. તેમજ બેદરકારીને કારણે કોરોના ફરી આવી શકે છે ત્યારે માસ્ક, સોશિયલ ડિસટન્સ સાથે કોરોનાની ગાઇડલાઇનનું દરેક વ્યક્તિએ પાલન કરવું જરૂરી છે.
આ અંગે રવિન્દ્ર જાડેજાના બહેન અને કોંગ્રેસના મહિલા પ્રમુખ નયનાબા જાડેજાએ રીવાબાના નિવેદનનો વળતો જવાબ આપતા કહ્યું હતું કે, ભાજપ દ્વારા રાજકીય મેળાવડાઓ કરવાના કારણે કોરોના ફેલાય રહ્યો છે. લોકો જાગૃત છે. લોકો ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપના નેતાઓએ કોરોના ફેલાવા પાછળ દોષનો ટોપલો લોકો પર ન ઢોળવો જોઇએ અને રાજકીય મેળાવડાઓ બંધ કરવા જોઇએ. તેમણે તાજેતરમાં જ કેવડિયા ખાતે મળેલી પ્રદેશ ભાજપની કારોબારીનો ઉલ્લેખ કરતા ભાજપ પર નિશાન સાંધ્યું હતું. જે બાદ બંન્ને વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. જેના કારણે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં રાજકીય ઘમાસાણ શરૂ થયું છે.
- ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં રાજકીય ઘમાસાણ શરૂ થયું, તેમના પત્ની અને બહેન કોરોના મુદ્દે આમને સામને
- ભાજપના નેતા રિવાબા જાડેજા અને તેમના નણંદ જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ નયનબા જાડેજા વચ્ચે કોરોના મુદ્દે શાબ્દિક યુદ્ધ
- રીવાબાના એક નિવેદનનો તેમના નણંદ નયનાબા જાડેજાએ વળતો જવાબ આપતા રાજકારણ ગરમાયું
- રાજકીય કાર્યક્રમોથી કોરોના ફેલાય છે, લોકો જાગૃત જ છે-નયનાબા જાડેજા
WatchGujarat. ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ અને ભાજપના નેતા રિવાબા જાડેજા પોતાના જન્મ દિવસે જામનગર જિલ્લાના કુનડ ગામની મુલાકાત લીધી હતી. જેમાં તેમને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાવ્યું હતું. આ કેમ્પમાં રીવાબાએ કોરોના મુદ્દે નિવેદન આપ્યું હતું. જેનો રિવાબાના નણંદ અને જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ નયનાબા જાડેજાએ વળતો જવાબ આપતા રાજકારણ ગરમાયું હતું.છેલ્લા ઘણાં સમયથી રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જામનગર જિલ્લાના વિવિધ ગામોમાં મહિલાઓને મળી રહ્યા છે અને તેઓને સામાજિક સંદેશો આપી રહ્યા છે.
રિવાબા જાડેજા રોજ અલગ અલગ ગામોમાં પ્રવાસ કરીને મહિલાઓમાં સામાજિક જાગૃતતા કેળવાય તે હેતુથી ગામડાંઓની મહિલાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિકાસલક્ષી યોજનાઓની માહિતી આપીને તેઓને આત્મનિર્ભર બનવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત કુનડ ગામ ખાતે યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં રીવાબાએ કોરોના મુદ્દે નિવેદન આપતા કહ્યું હતુ કે, કોરોના હજુ ગયો નથી. જેથી લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. તેમજ બેદરકારીને કારણે કોરોના ફરી આવી શકે છે ત્યારે માસ્ક, સોશિયલ ડિસટન્સ સાથે કોરોનાની ગાઇડલાઇનનું દરેક વ્યક્તિએ પાલન કરવું જરૂરી છે.
આ અંગે રવિન્દ્ર જાડેજાના બહેન અને કોંગ્રેસના મહિલા પ્રમુખ નયનાબા જાડેજાએ રીવાબાના નિવેદનનો વળતો જવાબ આપતા કહ્યું હતું કે, ભાજપ દ્વારા રાજકીય મેળાવડાઓ કરવાના કારણે કોરોના ફેલાય રહ્યો છે. લોકો જાગૃત છે. લોકો ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપના નેતાઓએ કોરોના ફેલાવા પાછળ દોષનો ટોપલો લોકો પર ન ઢોળવો જોઇએ અને રાજકીય મેળાવડાઓ બંધ કરવા જોઇએ. તેમણે તાજેતરમાં જ કેવડિયા ખાતે મળેલી પ્રદેશ ભાજપની કારોબારીનો ઉલ્લેખ કરતા ભાજપ પર નિશાન સાંધ્યું હતું. જે બાદ બંન્ને વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. જેના કારણે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં રાજકીય ઘમાસાણ શરૂ થયું છે.