રાજ પરિવાર પાસે રૂ. 20 હજાર કરોડની મિલકત છે
રાજકોટનાં રાજવી માંધાતાસિંહ પર તેમના બહેને દાવો માંડ્યા બાદ હવે તેમના ભત્રીજા રણશૂરવીરસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ દાવો માંડ્યો
મહારાજા સ્વ.પ્રદ્યુમ્નસિંહજી જાડેજાને પણ તેમના વડીલો પાસેથી 685 એકર 15 ગુંઠા જમીન વીડીની જમીન પૂર્વજો પાસેથી મળી - રાજવી સ્વ.પ્રદ્યુમ્નસિંહના પૌત્ર રણશૂરવીરસિંહ
WatchGujarat. ઠાકોર માંધાતાસિંહની માઠી બેઠી હોય તેમ રાજવીનાં બહેન અંબાલિકાદેવી બાદ હવે ભત્રીજા રણશૂરવીરસિંહ દ્વારા કોર્ટમાં દાવો મંડાયો છે. જેમાં વસિયત ખોટી હોવાનું જણાવીને તેને સિવિલ કોર્ટમાં પડકારવામાં આવી છે. સાથે વડીલોપાર્જિત મિલકતોની વહેંચણી કરવાને બદલે બધી જ માંધાતાસિંહના નામે થઈ હોવાનું જણાવી આ સામે વાંધો ઉઠાવ્યો છે. તેણે પણ કોર્ટના દ્વાર ખખડાવતા માંધાતાસિંહજીની મુશ્કેલી વધી છે.
રાજકોટનાં રાજવી માંધાતાસિંહ પર તેમના બહેને દાવો માંડ્યા બાદ હવે તેમના ભત્રીજા રણશૂરવીરસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ દાવો માંડ્યો છે. અને તેમને મનોહરસિંહજી અને તેમના પિતા પ્રદ્યુમ્નસિંહજીના વસિયતનામાને ખોટા ગણાવી રાજપરિવારની તમામ મિલકતોમાં પોતાનો હિસ્સો માગ્યો છે. ખાસ કરીને તેમણે 11 મિલકતો કે, જેમા 675 એકર ખેતીની જમીન, વીડી તેમજ રાંદરડા તળાવની જગ્યા અને જે મિલકત મામલે ભાઈ-બહેન વચ્ચે વિવાદ ચાલતો હતો તે માધાપરની જમીન અને સરધારના દરબારગઢનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જે પણ મિલકતોનો ઉલ્લેખ નથી તે માટે પણ કેસ દાખલ કર્યો છે.
રાજવી સ્વ.પ્રદ્યુમ્નસિંહના પૌત્ર રણશૂરવીરસિંહે કહ્યું છે કે, મહારાજા સ્વ.પ્રદ્યુમ્નસિંહજી જાડેજાને પણ તેમના વડીલો પાસેથી 685 એકર 15 ગુંઠા જમીન વીડીની જમીન પૂર્વજો પાસેથી મળી હતી. જે વડીલોપાર્જિત અને સંયુક્ત કુટુંબની મિલકત છે. અને તેમાં તેઓના વારસદારો એટલે કે, અમારો વણવહેંચાયેલો હિસ્સો છે. કારણ કે, તેના મીટ્સ એન્ડ બાઉન્ડ્સના આધારે ભાગ પડ્યા નથી. અગાઉ પ્રદ્યુમ્નસિંહજીએ તો સ્વ. મનોહરસિંહજીની તરફેણમાં વિલ કરી આપ્યું હતું. પણ મનોહરસિંહજીએ આ વીલનું પ્રોબેટ અથવા લેટર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન કોર્ટથી મેળવેલું નથી અને તેથી સ્વ. મનોહરસિંહજીનો કોઇ હક્ક-અધિકાર આ પ્રોપર્ટી પર સ્થાપિત થતો નથી.
વધુમાં તેમણે જણાવ્યું છે કે, આ મિલકતો અંગેની વીલ સ્વ.મનોહરસિંહજીએ માંધાતાસિંહના તરફેણમાં કરી છે. અને માંધાતાસિંહે પણ સિવિલ કોર્ટમાંથી પ્રોબેટ મેળવેલું ન હોવાથી તેમનો હક પણ સ્થાપિત થતો નથી. ઉપરાંત એવું કહેવાય છે કે તેમના પિતા અનિરુદ્ધસિંહે હક્ક જતો કર્યો છે તે શક્ય નથી કારણ કે, રજિસ્ટ્રેશન એક્ટમાં જોગવાઈ કરાઇ છે કે સો રૂપિયાથી વધારે કિંમતની સ્થાવર મિલકતમાં જો કોઇ વ્યક્તિનો હક્ક હિસ્સો હોય તે માત્ર સબ રજિસ્ટ્રાર સમક્ષ સોગંદનામું કરી તેને રજિસ્ટર્ડ કરાવે ત્યાર બાદ દૂર થાય છે. જ્યારે એવું કહેવાય છે કે, અનિરુદ્ધસિંહે માત્ર 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરી કરીને હક્ક જતો કર્યો છે જે કાયદેસ નથી. તેથી સ્વ.પ્રદ્યુમ્નસિંહના કાયદેસરના વારસદાર તેમના પિતા હતા અને છે તેમજ 685 એકર જગ્યામાં તેમના પિતાનો પણ હક્ક છે અને તે હિસ્સો મેળવવા માટે પોતે સિવિલ કોર્ટમાં દાવો કર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ પરિવાર પાસે રૂ. 20 હજાર કરોડની મિલકત છે. જેમાં માત્ર પેલેસની જ કિંમત 500 કરોડ રૂપિયા આસપાસ છે. આ સિવાય આ પરિવાર પાસે કેટલોક કિંમતી ખજાનો પણ છે. જેમાં માધાપરની 575 એકર જમીન છે. જ્યારે સરધારમાં દરબારગઢ અને બગીચો છે. આ બંનેની કિંમત 1500 કરોડ રૂપિયાથી વધુની આંકવામાં આવી રહી છે. જોકે, રાજવી પરિવારની મિલકતોમાં આ બંને હિસ્સા ખુબ જ નાના છે. આ ઉપરાંત, પેલેસ રોડ મહેલ, તેમજ રાંદરડા તળાવ પર આઉટ હાઉસ તેમજ જમીન, કરોડો રૂપિયાના દેના બેંક હાઉસનો પણ સમાવેશ થાય છે. જેમાં પણ પેલેસ રોડનો મહેલ અને તેની જમીનની જ કિંમત 500 કરોડથી વધુની આંકવામાં આવી રહી છે.
રાજવી પરિવારની મિલકત અને અંદાજિત કિંમત
રણજિત વિલાસ પેલેસ- અંદાજિત કિંમત 500 કરોડ રૂપિયા
શ્રી લાખાજીરાજ જિનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરી- અંદાજિત કિંમત 400 કરોડ રૂપિયા
રાજશ્રૃંગી બિલ્ડિંગ પેલેસ રોડ- 60 કરોડ રૂપિયા
જૂનો દરબારગઢ – આશરે 110 કરોડ રૂપિયા
રાંદરડા લેક ફાર્મ- 240 કરોડ રૂપિયા
માધાપર વીડી જમીન- 3000 કરોડ રૂપિયા
આ સિવાય પણ રાજવી પરિવાર પાસે હીરા ઝવેરાત, અનેક જમીનો, 10 વિન્ટેજ કાર, ચાંદીની બગીઓ, એન્ટિક હથિયાર અને ફર્નિચર, જુના આભૂષણો ઝવેરાત, અનેક મંદિર અને ટ્રસ્ટ છે. જેની કિંમતો પણ કરોડોમાં છે. ત્યારે આ મિલકતોને લઈને ચાલતો વિવાદ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
રાજ પરિવાર પાસે રૂ. 20 હજાર કરોડની મિલકત છે
રાજકોટનાં રાજવી માંધાતાસિંહ પર તેમના બહેને દાવો માંડ્યા બાદ હવે તેમના ભત્રીજા રણશૂરવીરસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ દાવો માંડ્યો
મહારાજા સ્વ.પ્રદ્યુમ્નસિંહજી જાડેજાને પણ તેમના વડીલો પાસેથી 685 એકર 15 ગુંઠા જમીન વીડીની જમીન પૂર્વજો પાસેથી મળી - રાજવી સ્વ.પ્રદ્યુમ્નસિંહના પૌત્ર રણશૂરવીરસિંહ
WatchGujarat. ઠાકોર માંધાતાસિંહની માઠી બેઠી હોય તેમ રાજવીનાં બહેન અંબાલિકાદેવી બાદ હવે ભત્રીજા રણશૂરવીરસિંહ દ્વારા કોર્ટમાં દાવો મંડાયો છે. જેમાં વસિયત ખોટી હોવાનું જણાવીને તેને સિવિલ કોર્ટમાં પડકારવામાં આવી છે. સાથે વડીલોપાર્જિત મિલકતોની વહેંચણી કરવાને બદલે બધી જ માંધાતાસિંહના નામે થઈ હોવાનું જણાવી આ સામે વાંધો ઉઠાવ્યો છે. તેણે પણ કોર્ટના દ્વાર ખખડાવતા માંધાતાસિંહજીની મુશ્કેલી વધી છે.
રાજકોટનાં રાજવી માંધાતાસિંહ પર તેમના બહેને દાવો માંડ્યા બાદ હવે તેમના ભત્રીજા રણશૂરવીરસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ દાવો માંડ્યો છે. અને તેમને મનોહરસિંહજી અને તેમના પિતા પ્રદ્યુમ્નસિંહજીના વસિયતનામાને ખોટા ગણાવી રાજપરિવારની તમામ મિલકતોમાં પોતાનો હિસ્સો માગ્યો છે. ખાસ કરીને તેમણે 11 મિલકતો કે, જેમા 675 એકર ખેતીની જમીન, વીડી તેમજ રાંદરડા તળાવની જગ્યા અને જે મિલકત મામલે ભાઈ-બહેન વચ્ચે વિવાદ ચાલતો હતો તે માધાપરની જમીન અને સરધારના દરબારગઢનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જે પણ મિલકતોનો ઉલ્લેખ નથી તે માટે પણ કેસ દાખલ કર્યો છે.
રાજવી સ્વ.પ્રદ્યુમ્નસિંહના પૌત્ર રણશૂરવીરસિંહે કહ્યું છે કે, મહારાજા સ્વ.પ્રદ્યુમ્નસિંહજી જાડેજાને પણ તેમના વડીલો પાસેથી 685 એકર 15 ગુંઠા જમીન વીડીની જમીન પૂર્વજો પાસેથી મળી હતી. જે વડીલોપાર્જિત અને સંયુક્ત કુટુંબની મિલકત છે. અને તેમાં તેઓના વારસદારો એટલે કે, અમારો વણવહેંચાયેલો હિસ્સો છે. કારણ કે, તેના મીટ્સ એન્ડ બાઉન્ડ્સના આધારે ભાગ પડ્યા નથી. અગાઉ પ્રદ્યુમ્નસિંહજીએ તો સ્વ. મનોહરસિંહજીની તરફેણમાં વિલ કરી આપ્યું હતું. પણ મનોહરસિંહજીએ આ વીલનું પ્રોબેટ અથવા લેટર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન કોર્ટથી મેળવેલું નથી અને તેથી સ્વ. મનોહરસિંહજીનો કોઇ હક્ક-અધિકાર આ પ્રોપર્ટી પર સ્થાપિત થતો નથી.
વધુમાં તેમણે જણાવ્યું છે કે, આ મિલકતો અંગેની વીલ સ્વ.મનોહરસિંહજીએ માંધાતાસિંહના તરફેણમાં કરી છે. અને માંધાતાસિંહે પણ સિવિલ કોર્ટમાંથી પ્રોબેટ મેળવેલું ન હોવાથી તેમનો હક પણ સ્થાપિત થતો નથી. ઉપરાંત એવું કહેવાય છે કે તેમના પિતા અનિરુદ્ધસિંહે હક્ક જતો કર્યો છે તે શક્ય નથી કારણ કે, રજિસ્ટ્રેશન એક્ટમાં જોગવાઈ કરાઇ છે કે સો રૂપિયાથી વધારે કિંમતની સ્થાવર મિલકતમાં જો કોઇ વ્યક્તિનો હક્ક હિસ્સો હોય તે માત્ર સબ રજિસ્ટ્રાર સમક્ષ સોગંદનામું કરી તેને રજિસ્ટર્ડ કરાવે ત્યાર બાદ દૂર થાય છે. જ્યારે એવું કહેવાય છે કે, અનિરુદ્ધસિંહે માત્ર 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરી કરીને હક્ક જતો કર્યો છે જે કાયદેસ નથી. તેથી સ્વ.પ્રદ્યુમ્નસિંહના કાયદેસરના વારસદાર તેમના પિતા હતા અને છે તેમજ 685 એકર જગ્યામાં તેમના પિતાનો પણ હક્ક છે અને તે હિસ્સો મેળવવા માટે પોતે સિવિલ કોર્ટમાં દાવો કર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ પરિવાર પાસે રૂ. 20 હજાર કરોડની મિલકત છે. જેમાં માત્ર પેલેસની જ કિંમત 500 કરોડ રૂપિયા આસપાસ છે. આ સિવાય આ પરિવાર પાસે કેટલોક કિંમતી ખજાનો પણ છે. જેમાં માધાપરની 575 એકર જમીન છે. જ્યારે સરધારમાં દરબારગઢ અને બગીચો છે. આ બંનેની કિંમત 1500 કરોડ રૂપિયાથી વધુની આંકવામાં આવી રહી છે. જોકે, રાજવી પરિવારની મિલકતોમાં આ બંને હિસ્સા ખુબ જ નાના છે. આ ઉપરાંત, પેલેસ રોડ મહેલ, તેમજ રાંદરડા તળાવ પર આઉટ હાઉસ તેમજ જમીન, કરોડો રૂપિયાના દેના બેંક હાઉસનો પણ સમાવેશ થાય છે. જેમાં પણ પેલેસ રોડનો મહેલ અને તેની જમીનની જ કિંમત 500 કરોડથી વધુની આંકવામાં આવી રહી છે.
રાજવી પરિવારની મિલકત અને અંદાજિત કિંમત
રણજિત વિલાસ પેલેસ- અંદાજિત કિંમત 500 કરોડ રૂપિયા
શ્રી લાખાજીરાજ જિનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરી- અંદાજિત કિંમત 400 કરોડ રૂપિયા
રાજશ્રૃંગી બિલ્ડિંગ પેલેસ રોડ- 60 કરોડ રૂપિયા
જૂનો દરબારગઢ – આશરે 110 કરોડ રૂપિયા
રાંદરડા લેક ફાર્મ- 240 કરોડ રૂપિયા
માધાપર વીડી જમીન- 3000 કરોડ રૂપિયા
આ સિવાય પણ રાજવી પરિવાર પાસે હીરા ઝવેરાત, અનેક જમીનો, 10 વિન્ટેજ કાર, ચાંદીની બગીઓ, એન્ટિક હથિયાર અને ફર્નિચર, જુના આભૂષણો ઝવેરાત, અનેક મંદિર અને ટ્રસ્ટ છે. જેની કિંમતો પણ કરોડોમાં છે. ત્યારે આ મિલકતોને લઈને ચાલતો વિવાદ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.